________________
કાડ-૩ – ગાથા-૩૨-૩૩
સન્મતિપ્રકરણ
૨૯૩ कुम्भादेरजीवद्रव्याद् व्यावृत्तम् अव्यावृत्तम् वा ? प्रथमपक्षे स्वरूपापेक्षया जीवो जीवद्रव्यम्, कुम्भाधजीवद्रव्यापेक्षया तु न जीवद्रव्यमित्युभयरूपत्वादनेकान्त एव । द्वितीयपक्षे तु सर्वस्य सर्वात्मकतापत्तेः प्रतिनियतरूपाभावतस्तयोरभावः खरविषाणवद् । ततः सर्वमनेकान्तात्मकम्, अन्यथा प्रतिनियतरूपताऽनुपपत्तेः इति व्यवस्थितम् ।
અનેકાન્તદષ્ટિ સમજાવવા માટે ગ્રંથકારશ્રીએ અથાગ પ્રયત્ન આ ગાથાઓમાં કર્યો છે, વાંચનારા શ્રોતા થાકી જાય, કંટાળી જાય, એકની એક વાત ઘણીવાર આવી. એમ લાગી જાય. પરંતુ વક્તા એવા ગ્રંથકારશ્રી આપણા જેવા જીવો ઉપર કૃપા કરીને અનેક રીતે સમજાવે છે તેઓનો ઉપકાર કદાપિ ભુલાય તેમ નથી. હવે આ ચર્ચા અહીં સમાપ્ત થાય છે. હવે ત્રિપદીના પ્રકારો (ભદ-પ્રતિભેદ) સમજાવે છે. તે ૩૧ |
હવે ઉત્પત્તિ-નાશ અને ધૃવત્વના પ્રકારો (ભેદો) સમજાવે છે. ત્યાં પ્રથમ ઉત્પત્તિના બે પ્રકાર છે. તે કહે છે -
उप्पाओ दुवियप्पो, पओगजणिओ य वीससा चेव । तत्थ उ पओगजणिओ, समुदयवाओ अपरिसुद्धो ॥ ३२ ॥ साभाविओ वि समुदयकओव्व, एगंतिओ व्व होज्जाहि । आगासाईआणं तिण्हं परपच्चओऽणियमा ॥ ३३ ॥ उत्पादो द्विविकल्पः, प्रयोगजनितश्च विश्रसा चैव । तत्र तु प्रयोगजनितः समुदायवादोऽपरिशुद्धः ।। ३२ ।। स्वाभाविकोऽपि समुदयकृतो वैकान्तिको वा भवेत् । आकाशादीनां त्रयाणां परप्रत्ययोऽनियमात् ।। ३३ ।।
ગાથાર્થ – ઉત્પાદના બે વિકલ્પો (ભેદો) છે. એક પ્રયોગજનિત અને બીજો વિશ્રસા. ત્યાં જે પ્રયોગજનિત ઉત્પાદ છે તે સમુદાયકૃત જ હોય છે. અને તે અશુદ્ધ હોય છે. ૩રા
બીજા નંબરનો જે સ્વાભાવિક ઉત્પાદ છે. તે પણ સમુદાય કૃત પણ હોય છે અથવા એકાન્તિક પણ હોય છે. તથા આકાશાદિ ત્રણ દ્રવ્યો (કે જે વ્યવહારથી અપરિણામી જણાય) છે. તેનો ઉત્પાદ અવશ્ય પરપ્રત્યયિક છે અને તેથી અનિયમિત છે. ૩૩ .
વિવેચન - આ સંસારમાં જે કોઈ કાર્યો બને છે તે સર્વ ઈશ્વરકૃત છે. આમ તૈયાયિકવૈશેષિક આદિ કેટલાક દર્શનકારો માને છે. ઘટ-પટ-ઘર આદિ કેટલાક પદાર્થોમાં કુંભકારવણકર અને સૂત્રધાર (સુથાર) આદિનું ભલે કર્તુત્વ જણાય છે. તો પણ ત્યાં પરોક્ષરૂપે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org