________________
૨૯૨ કાડ-૩ - માથા-૩૧
સન્મતિપ્રકરણ પરંતુ જ્યારે તે સાંભળનારાઓનો વિરોધ સંબંધી આ ખળભળાટ સાંભળી લીધા પછી (ઉભરો ઠલવાયા પછી) ધીરેથી સમજાવીએ કે જે ઘટ-પટ આદિ દ્રવ્યો છે તે પોતપોતાના ગુણધર્મોવાળું દ્રવ્ય હોવાથી દ્રવ્ય તો અવશ્ય છે. વર્ણાદિ મૂર્તગુણોવાળું પણ જરૂર છે. જલાધારાદિ અને શરીરાચ્છાદનાદિ પર્યાય રૂપે પરિણામ પામનારૂં પણ જરૂર છે. પરંતુ તે ઘટ-પટ આદિ દ્રવ્ય ચૈતન્યાદિ ઈતરગુણોવાળું અને દેવ-નારકાદિ જીવગતપર્યાયવાળું શું છે કે નથી ? તો આ ખળભળાટ વાળા જ કહેશે કે ના, તે ચૈતન્યાદિ ગુણોવાળું દ્રવ્ય નથી તો પછી ચૈતન્યાદિ ગુણોવાળુ આ દ્રવ્ય ન હોવાથી અને દેવ-નારકાદિ પર્યાયવાળું આ દ્રવ્ય ન હોવાથી “TUJપર્યાયવેત્ દ્રવ્યમ્'' આવા પ્રકારનું દ્રવ્યનું આ લક્ષણ તે ઘટપટમાં લાગુ ન પડવાથી “અદ્રવ્ય” છે આમ પણ અવશ્ય કહેવાય જ. એમાં કંઈ ખોટું નથી. એવી જ રીતે જીવદ્રવ્ય પણ પોતાના ચૈતન્યાદિ ગુણોવાળું અને દેવ-નારકાદિ પર્યાયોવાળું હોવાથી દ્રવ્ય તો અવશ્ય કહેવાય જ, પરંતુ સાથે સાથે વર્ણાદિ મૂર્ત ગુણોવાળું દ્રવ્ય ન હોવાથી અને જલાધારાદિ અને શરીરાચ્છાદનાદિ પર્યાય રૂપે પરિણામ ન પામતું હોવાથી તે સ્વરૂપે આ જીવદ્રવ્ય અદ્રવ્ય પણ અવશ્ય કહેવાય જ, આમાં આટલો બધો વિરોધ અને ખળભળાટ કરવાની શી જરૂર ? સાંભળનારા બધા જ શાન્ત થઈ જાય છે.
- આ રીતે જો સૂમદૃષ્ટિએ વિચારીએ તો કુંભ એ જીવદ્રવ્ય સ્વરૂપ નથી. અને જીવદ્રવ્ય કુંભદ્રવ્યસ્વરૂપ નથી. તેથી તે બન્ને દ્રવ્યો સ્વગુણ-પર્યાયનો આશ્રય હોવાથી તેને આશ્રયી દ્રવ્ય તો જરૂર છે જ. પરંતુ સાથે સાથે અન્યોન્ય (અરસપરસ) વિશેષિત કરાયા છતા અર્થાત્ પરદ્રવ્યના ગુણો અને પારદ્રવ્યના પર્યાયો રૂપે વિચારાયા છતા “અદ્રવ્ય” પણ અવશ્ય છે જ. દ્રવ્યને અદ્રવ્ય કહેતાં પહેલાં તો આ વ ખળભળી ઉઠે છે. પરંતુ સ્વ અને પરના ગુણ પાયાના આધારની વિવક્ષા સમજાવતાં તે ખળભળાટ શાન્ત થઈ જાય છે. સઘળા પણ વિરોધો શમી જાય છે.
સિધ્ધાન્તકારશ્રી સિધ્ધસે દિવાકરસૂરિજી મહારાજશ્રીએ વીતરાગ પરમાત્મા દ્વારા પ્રણીત “અનેકાનતદષ્ટિ'ને સમજાવવા આ સઘળી ગાથાઓમાં અથાગ પ્રયત્ન કર્યો છે. અનેક ઉદાહરણો આપ્યાં છે અને પદાર્થોનું વાસ્તવિક યથાર્થ ઉભયાત્મક સ્વરૂપ સમજાવ્યું છે. કોઈ પણ પદાર્થ જેમ દ્રવ્ય છે તેમ ઈતરદ્રવ્યના ગુણ-પર્યાયરૂપ ન હોવાથી અદ્રવ્ય પણ જરૂર છે. (ઈતર દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યનું નાસ્તિપણું પણ તેમાં છે) સ્વદ્રવ્યરૂપે અસ્તિ અને પદ્રવ્યરૂપે નાસ્તિ આમ સમજીએ તો જ વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ થાય છે અને આ જ સાચી વાત છે. સાચું સ્વરૂપ છે. કોઈ પણ જાતની આનાકાની કર્યા વિના ડાહ્યા માણસો (તત્ત્વજ્ઞજીવો) છે. આ વાત સ્વીકારી લે છે. આ વાત સ્વીકારવામાં જ ડહાપણ છે.
ટીકામાં કહ્યું છે કે - મુક્યો નીવડ્યું ન વિતતિ, નીવોપર મવતિ ઘટદ્રવ્યમ્ | तस्माद् द्वावपि अद्रव्यमन्योन्यविशेपितौ-परस्पराभावात्मकौ । यतोऽयमभिप्राय: जीवद्रव्यं
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org