SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૩ – ગાથા-૩૧ ૨૯૧ ગાથાર્થ - ઘટ એ કંઈ જીવદ્રવ્ય નથી. અને જીવ પણ કંઈ કુંભદ્રવ્ય નથી. તેથી તે બન્ને (કુંભ અને જીવ) પરસ્પર વિશેષિત કરાયા છતા “અદ્રવ્ય” પણ જરૂર છે જ. II૩૧॥ વિવેચન - ત્રીસમી ગાથામાં વિસ્તારથી સમજાવ્યું તેમ અહીં પણ સમજવું. આ ગાથામાં અનેકાન્ત દૃષ્ટિ વધુ દૃઢપણે સમજાવવા માટે ઘટ અને જીવનું ઉદાહરણ ગ્રંથકારશ્રી આપે છે. ઘટ-પટ, ઘર-દુકાન આદિ કેટલાંક દ્રવ્યો આ સંસારમાં એવાં છે. કે જે પુદ્ગલ દ્રવ્યો છે. અને તેમાં વર્ણ ગંધ-૨સ-સ્પર્શ આદિ ઇન્દ્રિયગ્રાહ્ય ગુણો છે. તેથી તે મૂર્ત દ્રવ્ય તથા અજીવ દ્રવ્ય કહેવાય છે. તેમાં ચૈતન્યાદિ ગુણો નથી. તથા જીવ નામનું એક એવું દ્રવ્ય છે કે જેમાં ઇન્દ્રિયગ્રાહ્ય વર્ણાદિ મૂર્ત ગુણો નથી પણ ચૈતન્યાદિ અમૂર્ત ગુણો છે. અને તે જીવ દ્રવ્ય અમૂર્ત અને ચેતન કહેવાય છે. આ વાત શાસ્ત્રજ્ઞ જગતમાં જાણીતી છે. હવે ઉપલકદૃષ્ટિથી જોઈએ તો ઘટપટ એ પણ દ્રવ્ય છે કારણ કે તે પણ ગુણો અને પર્યાયોનો આધાર છે. અને તેનું પુદ્ગલદ્રવ્ય રૂપે અસ્તિત્વ ત્રૈકાલિક છે. તેવી જ રીતે જીવ એ પણ એક દ્રવ્ય છે. કારણ કે તે પણ ચૈતન્યાદિ ગુણ-પર્યાયોનો આધાર છે. તથા વૈકાલિક પદાર્થ છે. તેથી દ્રવ્યનું લક્ષણ બન્નેમાં બરાબર લાગુ પડે છે તત્ત્વાર્થ સૂત્રકારે કહ્યું છે કે ‘‘મુળપર્યાયવત્ દ્રવ્યમ્’’ તથા પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં કહ્યું છે કે - ગુણ પર્યાયતણું જે ભાજન, એક રૂપ ત્રિહું કાલિ રે । તેહ દ્રવ્ય નિજ જાતિં કહીઈ, જસ નહીં ભેદ વિચાલઈ રે જિનવાણી રંગઈ મનિ ધિરઈ ॥ ૨-૧ ॥ આ રીતે વિચારતાં ઘટ-પટ આદિ જડ પદાર્થો આ પણ પુદ્ગલાત્મક દ્રવ્ય છે અને જીવ પણ ચેતનાત્મક દ્રવ્ય છે ધર્માસ્તિકાયાદિ ૬ દ્રવ્યોમાંના આ બન્ને પુદ્ગલ અને જીવરૂપે દ્રવ્યો છે. દ્રવીભૂત થાય છે. નવા નવા પર્યાયરૂપે પરિણામ પામે છે. તેથી ઘટપટ આદિ પુદ્ગલદ્રવ્ય પણ દ્રવ્ય જ કહેવાય અને જીવ પણ દ્રવ્ય જ કહેવાય. દ્રવ્યનું લક્ષણ તથા દ્રવ્યનું સ્વરૂપ દરેકમાં બરાબર ઘટે છે. આ વાત દરેકના મગજમાં એવી ઠસી ગઈ છે કે ઘટ-પટ એ અદ્રવ્ય છે અને જીવ એ પણ અદ્રવ્ય છે આવું જો કહેવામાં આવે, સાંભળવામાં આવે કે સંભળાવવામાં આવે તો તે સાંભળનારાઓ તુરત ખળભળી ઉઠે છે. આકુળ-વ્યાકુળ થાય છે અને વિરોધ જ ઉભો કરે છે કે ઘટ-પટ-જીવ આ પદાર્થો તો દ્રવ્ય જ છે. તેને અદ્રવ્ય કેમ કહેવાય ? તમારૂં (આવું ખોટું કહેનારાનું) મગજ ખસી ગયું હોય એમ લાગે છે. ઘટપટ અને જીવને અદ્રવ્ય કહેવાની તમારી વાત તદ્દન ખોટી છે. આ સર્વે તો નિયમા દ્રવ્ય જ છે. આમ એકાન્તતાને જ પકડી રાખે છે. અને દ્રવ્યપણે સ્વીકાર કરેલા એકાન્તવાદનો બહુ જ આગ્રહ રાખે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy