SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ કાડ-૩ – ગાથા-૩૧ સન્મતિપ્રકરણ નથી. તેથી લાકડાં કાગળ આદિને આશ્રયી તે દહન છે અને આત્મા-આકાશ આદિને આશ્રયી તે અદહન છે. આમ બન્ને ધર્મો માનવા શું ખોટા છે ? ત્યારે તે શાન્ત થઈ જાય છે. વિરોધ શમી જાય છે અને સ્વીકારી લે છે કે હા, દહન તે અદહન પણ જરૂર છે. તેવી જ રીતે કાગળ-ધૂળ-કચરા આદિને પવન ખેંચી જાય છે માટે પવન તે પવન જરૂર છે પરંતુ પર્વતો કે શીલાઓને તે કંઈ ખેંચી જતો નથી. તેથી તે અપવન પણ જરૂર છે. આ રીતે સાચી સમજ આવતાં અનેકાન્તદૃષ્ટિ ખીલી ઉઠે છે. અને સઘળા વિરોધો શાન્ત થઈ જાય છે. વિરોધ કરનારા એવા તે વિરોધીના હૃદયમાં પણ વિરોધને બદલે સમન્વય સધાતો જાય છે. તેથી આ અનેકાન્ત દૃષ્ટિ વિરોધભંજક અને સમન્વય સાધક છે. ટીકામાં કહ્યું છે કે - પન = નાવિના નિર્વર્તિતા-ઉત્પવિતા સંજ્ઞા = મથાને શેષાં तेऽपि दहनपवनादय एवमेवानेकान्तात्मका द्रष्टव्याः । तथाहि - दाहपरिणामयोग्यं तृणादिकं दहतीति दहनः, तदपरिणतिस्वभावं स्वात्माकाशाप्राप्तवज्राण्वादिकं न दहतीति । तेन यद् द्रव्यं यथा दहनरूपतया प्रतिषिद्धं तद् अद्रव्यं = अदहनादिरूपं, तथा = भजनाप्रकारेण "स्याद्दहनः स्यान्न" इति भवति, ततो नाव्यापि अनेकान्तः । આ રીતે જે જે દ્રવ્ય જે જે કાર્ય કરવામાં નિપુણ છે તે તે દ્રવ્ય, તે તે ભાવે એટલે કે તે તે કાર્ય કરવાની અપેક્ષાએ તે તે નામને ધારણ કરવામાં જેમ સમર્થ છે તેવી જ રીતે તે તે દ્રવ્ય જે જે કાર્ય કરવામાં પ્રતિષિદ્ધ હોય. નિષિદ્ધ હોય અથવા જે કાર્ય કરવામાં તે અસમર્થ હોય તે તે કાર્યને આશ્રયી તે જ દ્રવ્ય અદ્રવ્ય પણ જરૂર છે જ. દાહ્યને આશ્રયી અગ્નિ જેમ દહન છે. તેમ અદાલ્યને આશ્રયી અગ્નિ અદહન પણ જરૂર છે. માટે દહન એવો અગ્નિ દહન પણ છે. અને અદહન પણ છે આમ ભજના જાણવી. તથા પહેલા દેવલોકનો દેવેન્દ્ર, ત્યાંના પ્રથમ દેવલોકના દેવોનો ઇન્દ્ર હોવાથી દેવેન્દ્ર જરૂર છે. પરંતુ ઉપરના દેવલોકના દેવોનો તે ઇન્દ્ર નથી. માટે અદેવેન્દ્ર પણ જરૂર છે. રાજા પોતાના દેશનો રાજા હોવાથી રાજા જરૂર છે. પરંતુ અન્ય દેશોમાં તેનું કંઈ ચાલતું નથી. તેથી અરાજા પણ જરૂર છે. આમ સૂક્ષ્મદૃષ્ટિએ વિચારીએ તો સર્વત્ર અનેકાન્તતા જરૂર સમજાશે. અને આ અનેકાન્તદૃષ્ટિ એ જ સંપૂર્ણ સાચી દ્રષ્ટિ છે. જે સર્વત્ર વ્યાપક છે. || ૩૦ || कुंभो ण जीवदवियं, जीवो वि ण होइ कुंभदवियं ति । तम्हा दो वि अदवियं, अण्णोण्णविसेसिया होंति ॥ ३१ ॥ कुम्भो न जीवद्रव्यं, जीवोऽपि न भवति कुम्भद्रव्यमिति । तस्माद् द्वावपि अद्रव्यमन्योन्यविशेषितौ भवतः ॥ ३१ ॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy