________________
સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૨૯
૨૮૭ પ્લેન ગતિમાન જ માત્ર નથી. પણ ગતિવાળું પણ છે અને ગતિના અભાવ વાળું પણ છે. તો તે ભૂલદષ્ટિવાળા જીવો તેનો તુરત વિરોધ કરશે. અને આપણને ઠપકો જ આપશે કે તમને આટલું ય દેખાતું નથી. આટલા બધા વેગથી તો આ રોકેટ અથવા પ્લેન ઉપર જાય છે. અને ગતિ જ કરે છે. તેને ગતિવાળું જ કહેવાય, ગતિના અભાવવાળું કેમ કહેવાય? અર્થાત્ ગતિના અભાવવાળું ન જ કહેવાય. માત્ર ગતિવાળું જ કહેવાય. આવું જોરશોરથી તે બોલશે.
પરંતુ “આ રોકેટ અથવા પ્લેન કેવળ એકલી ગતિવાળું જ માત્ર છે” તે કેટલા અંશે સાચુ છે ? તે તપાસવા જરા ઊંડા ઉતરીએ અને તેને જ પુછીએ કે આ રોકેટ અથવા પ્લેન શું ઉર્ધ્વગતિ કરે છે કે અધોગતિ કરે છે? પૂર્વદિશા તરફ તિચ્છ ગતિ કરે છે કે પશ્ચિમદિશા તરફ તિથ્વી ગતિ કરે છે ? ઈત્યાદિ પ્રશ્નો જ્યારે પુછીએ ત્યારે તે જ કહેશે કે ના-ના, માત્ર ઉર્ધ્વગતિ જ કરે છે. અન્ય કોઈ પણ દિશામાં આ રોકેટ અથવા પ્લેન ગતિ કરતું નથી. ત્યારે સિધ્ધ થાય છે કે વિવક્ષિત આ દ્રવ્ય જ્યારે ગતિભાવે પરિણામ પામ્યું છે. ત્યારે ઉર્ધ્વગતિને
આશ્રયી જેમ ગતિમાન છે તેમ તે જ કાલે અન્ય દિશાની ગતિને આશ્રયી અગતિમાન : (ગતિના અભાવવાળું) પણ જરૂર છે જ. સ્થૂલદેષ્ટિએ દેખાતો વિરોધ તુરત શાન્ત થઈ જાય છે. આ જ અનેકાન્ત દૃષ્ટિનો પ્રભાવ છે.
તે દ્રવ્યમાં ગતિમત્તા અને અગતિમત્તા એમ બન્ને સ્વરૂપ વાસ્તવિક સાચાં છે. પરંતુ પરિપૂર્ણ આ બન્ને સ્વરૂપ તેને જ દેખાય છે અને તેને જ સમજાય છે કે જેની દૃષ્ટિ આવા પ્રકારના અનેકાન્તવાદ રૂપ અમૃતના સંસ્કારથી રંગાઈ હોય છે. જેની દૃષ્ટિ અનેકાન્તવાદના સંસ્કારથી રંગાયેલી નથી હોતી તેઓ ઉપરછલ્લી રીતે ગતિમાન દ્રવ્યને નિયમો ગતિમાન જ કહે છે અને આમ માની લે છે. અને તેવા પ્રકારના અજ્ઞાન અને કદાગ્રહને લીધે ગતિ - અને અગતિને એકી સાથે એકદ્રવ્યમાં એકકાલે માનવામાં વિરોધ જ કર્યા કરે છે. પરંતુ અનેકાન્તવાદના સંસ્કારથી સંસ્કાર પામેલી આવા પ્રકારની સૂક્ષ્મદષ્ટિએ વિચારતાં ગતિમાન દેખાતું દ્રવ્ય પણ અન્ય દિશાઓની અપેક્ષાએ અગતિમાન પણ ચોક્કસ છે જ. આમ વસ્તુનું પૂર્ણ અને યથાર્થ સ્વરૂપ સ્વયં સમજાઈ જ જાય છે અને સર્વ વિરોધો શાન્ત થઈ જાય છે. આ જ અનેકાન્ત વૃષ્ટિનો ચમત્કાર વિશેષ છે.
રોકેટ અથવા પ્લેનનું તો આ એક ઉદાહરણ માત્ર જ છે. આ રીતે તૃણાદિદ્રવ્ય પણ વાયુના જોરે જે દિશામાં ગતિ કરતું હોય છે. ત્યારે એક જ દિશામાં તે ગતિમાન છે. શેષ સર્વ દિશામાં તે ગતિમાન નથી. તેથી અન્ય દિશાઓને આશ્રયી તે તૃણાદિ અગતિમાન પણ અવશ્ય છે.
ટીકામાં કહ્યું છે કે - “તિક્રિયાવિ દ્રવ્ય મિત્ર" રૂત્તિ વિદ્ મચત્તે, तदपि गतिक्रियापरिणतं जीवद्रव्यं सर्वतो गमनायोगाद् उर्ध्वादिप्रतिनियतदिग्गतिकं तैर्वादि
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org