SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાડ-૩ - ગાથા-૨૮ ૨૮૫ અથવા મુસ્કુરા = અગ્નિના કણીયા રૂપ વિવક્ષિતપર્યાયો વિદ્યમાન નથી. તેવા તૃણકાષ્ટાદિમાં “આ પગલદ્રવ્ય અગ્નિમય બનેલા છે. તથા અથવા અગ્નિમય બનવાનાં છે. આ રીતે વર્તમાનકાલે અગ્નિપર્યાય વિનાના કાષ્ટ-તૃણાદિમાં પણ તે તે પર્યાયોની તિરોભાવે અખંડ શ્રદ્ધા આ જીવને હોય છે માટે અનેકાન્તવાદ અવ્યાપક નથી. પરંતુ સર્વત્ર વ્યાપક છે. હવે આ જ ૬ કાયોને હિંસા અને અહિંસાના આચરણમાં જ્યારે જોડીએ ત્યારે તે આચરણરૂપે અનેકાન્તનું બીજું ક્રિયાસંબંધી ઉદાહરણ બને છે. જીવઘાત એ પાપ છે. અધર્મ છે. કર્મબંધનો હેતુ છે આમ સમજતો આ જીવ જીવઘાત વર્જવા પ્રયત્નશીલ બને છે. અને જીવઘાત વર્જવો પણ જોઈએ. પરંતુ “જીવઘાત એકાતે વર્જવો જ જોઈએ” આવો આગ્રહ ક્યારેક અનર્થકારી પણ થાય છે. જેમ કે આપણાં બાળકો અથવા કુટુંબીઓ દુખવ્યસનો તરફ જતાં હોય ત્યારે તેઓને આપેલો દંડ, ભય, અને યથોચિત તાડન (હિંસા રૂપ હોવા છતાં પણ) હિંસાની કોટિમાં ગણાતો નથી. સાધુ-સાધ્વીજી કે સજ્જનો ઉપર ત્રાસ વરતાવતા અને ઉપસર્ગ કરતા દુર્જનો ઉપર કરેલો દંડ, ભય, તાડન-મારણ વિગેરે હિંસાની કોટિમાં ગણાતો નથી. આ રીતે જે આચાર હિંસામય ભલે હોય પરંતુ તે આચાર પરંપરાએ વમાં કે પરમાં ગુણપ્રાપ્તિનો, કે પ્રાપ્તગુણોની રક્ષાનો હેતુ બને અથવા દોષનાશનો કે અપ્રાતદોષોના આગમનનો નિષેધક બને તો હિંસામય તે આચાર (આશય શુદ્ધ હોવાથી) હિંસાની કોટિમાં ગણાતી નથી “હિંસા ન જ કરવી” આટલી જ માત્ર શ્રદ્ધા કરતો પુરૂષ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવને ન સમજવાથી તથા લાભાલાભ કે હિતાહિતને ન સમજવાથી અપેક્ષાવાદની દૃષ્ટિ વિના શાસ્ત્રકારોની દૃષ્ટિએ ભાવથી શ્રદ્ધાવાળો કહેવાતો નથી. ક્યાંઈક ગુણોની પ્રાપ્તિ માટે કે પ્રાપ્તગુણોની રક્ષા આદિ માટે જીવઘાત સ્વીકાર્ય પણ બને છે. જેમ કે પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓને એક ગામમાં વધુ રહેવાથી પરિચય વધારે થવાથી રાગ-દ્વેષ જે થાય છે તે ન થાય તે માટે વિહાર કરવાની ભગવાનની આજ્ઞા છે. ત્યાં રસ્તામાં નદી આવતી હોય તો ઉતરતાં અપ્લાયની હિંસા હોય તો પણ વિહારની અનુજ્ઞા છે. આ તત્ત્વ જાણવા માટે સ્વરૂપહિંસા હેતુહિંસા અને અનુબંધહિંસા એમ ત્રણ પ્રકારની હિંસાના સ્વરૂપને ગુરુનિશ્રાએ બરાબર સમજવું જોઈએ. ટીકામાં કહ્યું છે કે - અવધારન ‘‘પડેતે નવી: વા'' રૂત્યેવં શ્રદ્ધાન: षटकायान् भावतः = परमार्थतो न श्रद्धत्ते, जीवराश्यपेक्षया तेषामेकत्वात्, कायानामपि पुद्गलतयैकत्वात्, जीवपुद्गलप्रदेशानां परस्पराविनिर्भागवृत्तित्वाच्च-जीवप्रदेशानां स्याद् अजीवत्वम्, प्रत्येकं प्राधान्यविवक्षया स्याद् अनिकायत्वम् । सूत्रविहितन्यायेन प्रवृत्तस्याप्रमत्तस्य "हिंसाऽप्यहिंसा" । इति "तद्धाते स्यादधर्मः इति न भावसम्यग्दृष्टिरसौ स्यात्, द्रव्यसम्यग्दृष्टिस्तु स्यात्, “भगवतैवमुक्तम्" इति जिनवचनरुचिस्वभावत्वात् । Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy