________________
પ્રકાશન વેળાએ..
II વિના દ્રવ્યાનુયોગવિચાર, ચરણ-કરણનો નહીં કો સાર II
• દ્રવ્યગુણપર્યાયનો રાસ
અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણભગવાન શ્રી મહાવીરપરમાત્માએ સમસ્ત ઘાતિકર્મોનો નાશ કરી કૈવલ્યલક્ષ્મીને પામ્યા બાદ સમસ્ત વિશ્વનું જે સ્વરૂપ જોયું તેને “ઉધ્ધનેઈ વા, વિગમેઈ વા, ધૂઈ વા” આ ત્રિપદીરૂપે પ્રરૂપ્યું. અને બીજબુદ્ધિને ધરનાર ગણધર ભગવંતોએ તેને દ્વાદશાંગીરૂપે ગ્રન્થસ્થ કર્યું. દ્વાદશાંગીરૂપ આ સમસ્ત મૃત મુખ્ય ચાર વિભાગમાં વહેંચાયેલું છે. દ્રવ્યાનુયોગ-૧, કથાનુયોગ-૨, ગણિતાનુયોગ-૩, ચરણકરણાનુયોગ-૪. આ ચારે અનુયોગો વિવક્ષાથી પોતપોતાના વિષયમાં મુખ્યતા અનુભવે છે. સાધ્ય તરીકે ચરણ-કરણાનુયોગની મુખ્યતા આંકવામાં આવી છે. છતાં દ્રવ્યાનુયોગના જ્ઞાન વિના ચરણકરણાનુયોગનો સાર પામી શકાતો નથી. તેથી, અપેક્ષાએ દ્રવ્યાનુયોગને મુખ્ય કહી શકાય.
જૈન સિદ્ધાંતનો પાયો અનેકાંતવાદ છે માટે જ ભગવાન શ્રી મહાવીરદેવે ગણધરભગવંતોને ત્રિપદીનું પ્રદાન કર્યું હતું.
કોઈપણ પદાર્થને માત્ર એક જ નથી કે એક જ દૃષ્ટિકોણથી ન સ્વીકારતાં સર્વનયના સમૂહરૂપ પ્રમાણથી સ્વીકારવામાં આવે તેને અનેકાંતવાદ કહેવામાં આવે છે. અનેકાંતવાદસાપેક્ષવાદ-પ્રમાણવાદ-વિભજ્યવાદ આ બધા સમાનાથી નામો છે. આ અનેકાંતસિદ્ધાંતનું અવલંબન લીધા વિના ગમે તેટલાં શાસ્ત્રો ભણવામાં આવે કે તત્ત્વનિરૂપણ કરવામાં આવે તો પણ તે દ્વારા શાસ્ત્રોનો પરમાર્થ પામી શકાતો નથી કે તેનું યથાર્થ નિરૂપણ થઈ શકતું નથી.
માટે જ સન્મતિતર્કગ્રંથની ત્રીજા કાંડની ૬૭ મી ગાથામાં चरणकरणप्पहाणा, ससमयपरसमय मुक्कवावारा । चरणकरणस्स सारं, निच्छयसुद्धं न याणं ति ॥६७॥
ગાથામાં કહેલા ભાવને ગુજરાતી ભાષામાં ઢાળતાં ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહામહોપાધ્યાશ્રીજીએ “વિના દ્રવ્યાનુયોગવિચાર, ચરણકરણનો કો નહિ સાર' આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org