________________
(૩૦)
શ્રી સન્મતિતર્ક પ્રકરણ અનેકાન્તવાદને સમજવા માટે ખુબ જ ઉપયોગી ગ્રન્થ છે. પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં મૂલ અને ટીકા હોવાથી સૌ કોઈ તેને સમજી શકે નહીં, અને જે સમજે નહીં એ તાણે ઘણું, સમજે તો ખિંચાતાણી મટી જાય. સંસ્કૃત-પ્રાકૃત ન સમજી શકનારા એવા જૈન વિદ્યાથીઓ-અભ્યાસીઓના માટે લોકભાષામાં તે ગ્રન્થનો સાર ઉપલબ્ધ થાય તે આ કાળની જરૂરીયાત બની ગઈ. એ જરૂરીયાતને લક્ષમાં લઈને ગંભીરપ્રકૃતિવાળા અને પ્રૌઢ અભ્યાસી એવા પંડિતવર્યશ્રી ધીરુભાઈએ પોતે પ્રથમ સમજીને બીજા અભ્યાસીઓને સમજવા માટે આ પ્રકરણનો માર્ગાનુસારી ક્ષયોપશમ મુજબ જે ગુજરાતી અનુવાદ ટીકામાંથી સાર લઈને ગ્રન્થ સ્વરૂપે તૈયાર કર્યો છે તે બદલ ખરેખર તેઓ ખુબ ખુબ ધન્યવાદને પાત્ર
શ્રી સન્મતિતર્ક પ્રકરણને પ્રાચીન શાસ્ત્રકારોએ દર્શનપ્રભાવક શાસ્ત્ર તરીકે બિરદાવ્યું છે. આ ગ્રન્થના અભ્યાસીઓ ખુબ જ જૂજ રહ્યા છે. તે સ્થિતિમાં શ્રી ધીરુભાઈ પંડિતજીએ આ પ્રકરણ સમજવા માટે એને સરળ બનાવવા માટે જે પ્રયાસ કર્યો છે તે ઘણો સ્તુત્ય પ્રયાસ છે. કદાચ એમાં કોઈ ક્ષતિ રહી જવાનો સંભવ ખરો - પરંતુ તેઓના ધ્યાનમાં લવાતાં તેનો સુધારો થતાં પણ વાર નહીં લાગે.
પ્રાન્ત, આ પ્રકરણગ્રન્થનો અભ્યાસ કરવા દ્વારા અધિકૃત મહાનુભાવો પોતાના એકાન્તવાદની વાસનાનું ઝેર ઓકી નાખીને અનેકાન્તવાદના અમૃતમાં સ્નાન કરી આત્મકલ્યાણના પુનિત પંથે પ્રગતિ કરતા થાઓ એવી શુભ કામના.
આ. જયસુંદરસૂરિજીના ધર્મલાભ
8
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org