________________
સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૨૫-૨૬
૨૭૯ મહોર મારે છે. તે પણ ખોટું છે. આ પણ એકાન્તભેદવાદની જ માન્યતા છે. ભેદવાદવાળા દર્શનોની માન્યતાની આ એક પ્રકારની છાયા જ છે. કમરહિત સિદ્ધાત્મા અાહારી છે. કર્મસહિત સશરીરી આત્મા અણાહારી નથી પણ આહારી છે તથા શરીર પૌદ્ગલિક દ્રવ્ય હોવાથી અચેતન છે. તે માટે તે પોતે એકલું પાંચ ઇન્દ્રિયોના વિષયને ભોગવતું નથી પણ શરીર દ્વારા આત્મા જ ભોગવે છે. ભોક્તા આત્મા જ છે. જો શરીર ભોકતા હોત તો મૃતકશરીર પણ ભોક્તા બનવું જોઈએ. તેથી શરીર એ આહારાદિનું સાધન માત્ર છે. આત્મા જ આહારાદિનો કર્તા ભોક્તા છે. તથા આહારાદિની ઈચ્છા-આનંદ-હર્ષ-શોક-ગ્લાનિ જીવને જ થાય છે. શરીરને થતાં નથી. માટે કુહાડો અને સુથાર છેદનક્રિયાના કાલે જેમ સંયોગસંબંધથી જોડાઈને જો કથંચિત્ અભિન્ન બને તો જ છેદનક્રિયા કરી શકે છે તેમ આત્મા અને શરીર વિશિષ્ટસંયોગસંબંધ પામીને કથંચિત્ અભેદભાવ પામે છે તો જ આ સંસારના ભોગઉપભોગો ઘટે છે. એકાન્તભેદમાં ઘટતા જ નથી. માટે શરીરથી આત્મા એકાન્ત ભિન્ન જ છે. આવા પ્રકારના મિથ્યાવાદીઓના ફંદામાં ન ફસાવું.
જગતના પદાર્થોનું સ્વરૂપ જ સ્વયં ભેદભેદાદિ ઉભયાત્મક છે, જેવું છે તેવું પરમાત્મા દેખે છે અને કહે છે તેઓને કોઈ સ્વરૂપ તરફ પક્ષપાત કે દ્વેષ નથી તે કારણે તીર્થકર ભગવંતોની વાણીમાં નથી ક્યાંય એકાન્તભેદવાદને સ્થાન કે નથી ક્યાંય એકાન્ત અભેદવાદને સ્થાન, તેથી એકાન્ત ભેદ પણ નથી અને એકાત્ત અભેદ પણ નથી. એકાન્ત નિત્ય પણ નથી અને એકાત્ત અનિત્ય પણ નથી. એકાન્ત અસ્તિ પણ નથી અને એકાતે નાસ્તિ પણ નથી, તથા એકાન્ત સામાન્ય પણ નથી અને એકાન્ત વિશેષ પણ નથી. સર્વત્ર અપેક્ષા વિશેષ બન્ને છે. આ કારણે પરમાત્માની વાણીને સાપેક્ષવાદ સ્યાદ્વાદ અથવા અનેકાન્તવાદ અને સમન્વયવાદ કહેવાય છે. આ વાણી જ અત્યન્ત શુદ્ધ નિર્દોષ અને અમૃત સમાન છે.
ટીકામાં કહ્યું છે કે – “નૈવાતિ વાતો TUITળો:, નાણચવીતો વિનોપશે. = द्वादशाङ्गे-प्रवचने, सर्वत्रैव कथञ्चिदित्याश्रयणात् "तदेव अन्यदेवेति वा मन्यमानाः, मननीयमेव अवमन्यमाना वादिनोऽभ्युपगतविषयावज्ञाविधायित्वाद् अज्ञा भवन्ति । अभ्युपगमनीयवस्त्वस्तित्वप्रतिपादकोपायनिमित्तापरिज्ञानाद् मृषावादिवदिति तात्पर्यार्थः ततोऽनेकान्तवाद एव व्यवस्थितः ।
જે જે દર્શનકારો આ વાતને નથી સમજતા, અને મનમાની કલ્પનાઓ કરીને પોતાની માન્યતાને આગળ ધરીને પરમાત્માની વાતનું અપમાન કરે છે અસ્વીકાર કરે છે. તે સાચે જ કંઈ જાણતા નથી, ઘણા અજ્ઞાની છે. અત્યન્ત મિથ્યાભાવવાળી દૃષ્ટિયુક્ત છે. જિનેશ્વર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org