________________
૨૭૮
કાડ-૩ – ગાથા-૨૫-૨૬
સન્મતિપ્રકરણ य एव दोषाः किल नित्यवादे, विनाशवादेऽपि समास्त एव । ___परस्परध्वंसिषु कण्टकेषु जयत्यधृष्यं जिन ! शासनं ते ॥ २६ ॥
કેવલ એકલા નિત્યવાદમાં જે દોષો આવે છે. તે જ સઘળા દોષો વિનાશિવાદમાં પણ (અનિત્યવાદમાં પણ) સરખા જ છે. આ રીતે બન્ને કાંટાઓ પરસ્પર નાશ પામતે જીતે હે જિનેશ્વર પ્રભુ ! તમારૂં શાસન અવૃષ્ય (કોઈ જેની હોડ ન કરી શકે તે) રીતે જય પામે છે. વિજય પામે છે. ૨૬ /
તથા વળી તત્ત્વજિજ્ઞાપુ મહાત્માઓએ બીજી પણ એક વાત અહીં ખાસ જાણવા જેવી છે કે નૈયાયિકાદિ ભેદ માને છે. અને સાંખ્યાદિ અભેદ માને છે. આમ બોલાય, પણ જૈનો ભેદભેદવાદ માને છે આમ ન બોલાય, તેને બદલે જૈનો ભેદાભદવાદ કહે છે આમ બોલાય. કારણ કે “માનવું” આ શબ્દ મનન-ચિંતન-કલ્પના કરવા વાળામાં સંભવે. અને મનન-ચિંતન કલ્પના કરવાપણું છદ્મસ્થમાં જ સંભવે. તેથી તે નિયાયિકાદિ છદ્મસ્થ છે. અલ્પજ્ઞ છે. સર્વજ્ઞ નથી. માટે તૈયાયિકાદિમાં અને સાંખ્યાદિમાં “માને છે” આમ કહી શકાય પરંતુ તીર્થંકરભગવંતો નથી છઘ0 કે નથી અલ્પજ્ઞ, તેઓ તો પરિપૂર્ણ સર્વજ્ઞ-કેવલીવીતરાગ પ્રભુ છે. તેઓને નથી કલ્પના કરવાની કે નથી મનન-ચિંતન કરવાનું. પણ કેવલજ્ઞાન અને કેવલદર્શનથી આ જગતનું સ્વરૂપ જેવું છે તેવું દેખે છે અને જેવું દેખે છે તેવું જગતના જીવોને સમજાવે છે. કહે છે તેથી જિનેશ્વરો આમ કહે છે આવું બોલાય પણ જિનેશ્વરો આવું માને છે એમ મતિજ્ઞાનની અપેક્ષવાળું “માને છે” આમ ન બોલાય. જિનેશ્વર ભગવંતોએ જગતનું જ સ્વરૂપ શાસ્ત્રોમાં કહ્યું છે. તેમાં નથી મનન-ચિંતનશક્તિનો વ્યવહાર કે નથી કલ્પનાશક્તિનો વ્યવહાર કે નથી કોઈ બાજુના પક્ષપાતનો વ્યવહાર. તેથી તેઓનાં વચનો જગતના સ્વરૂપની કલ્પના કરીને કહેવાવાળાં નથી પણ પ્રત્યક્ષ દેખીને કહેવાવાળાં છે. તેથી જ અલૌકિક છે. લોકોત્તર છે અને સંપૂર્ણપણે સત્ય છે. તથા યથાર્થ છે. “જૈનદર્શનકારો આમ માને છે એવું મતિની સાપેક્ષતાવાળું ક્યારેય પણ બોલવું નહીં.” પણ જિનેશ્વરભગવંતો આમ કહે છે. આવું બોલવું. તેઓશ્રી યથાર્થવાદી છે.
જૈનકુલમાં જન્મેલા, જૈનદર્શનનો કંઈક અભ્યાસ કરનારા અને અધ્યાત્મવાદના નામે સ્વાધ્યાય કરતા અને કરાવતા, કેટલાક વક્તાઓ કોઈ કોઈ સંપ્રદાયોમાં “શરીરથી આત્માને” એકાન્ત ભિન્ન માનીને પાંચ ઇન્દ્રિયોના વિષયોનો ઉપભોગ શરીર જ માત્ર કરે છે. શરીરથી આત્મા તો ભિન્ન જ છે. આત્મા તો અણાહારી જ છે. શરીર જ સુખ-દુઃખ ભોગવે છે. જડ એવું શરીર શરીરનું કામ કરે છે. તેમાં આત્માને શું લાગે વળગે ? આત્મા તો તેનાથી નિરાલો છે” ઇત્યાદિ કહીને ઉપવાસાદિ તપ કરવા તે વ્યર્થ છે. આત્મા આહાર કરતો જ નથી તો આત્માને આહારત્યાગની જરૂર જ રહેતી નથી. આવી વાતો કહીને તેને અધ્યાત્મની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org