SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ કાડ-૩ – ગાથા-૨૫-૨૬ સન્મતિપ્રકરણ જાણતા જ નથી અર્થાત્ અજ્ઞાની જ છે. ભલે વ્યવહારમાં પંડિત કહેવાતા હોય, જગતમાં વિદ્વાન તરીકે પંકાતા હોય તો પણ વસ્તુ સ્વરૂપને યથાર્થ ન જાણતા હોવાથી અને અયથાર્થ જાણતા હતા અને તેવી પ્રરૂપણા કરતા છતા તેઓ મહાઅજ્ઞાની અને મહામિથ્યાત્વી છે. આ કારણથી જ જૈનદર્શનમાં આવા પ્રકારના એકાન્તવાદની ચર્ચાને કોઈ સ્થાન જ નથી. આમ હોવા છતાં આ ગ્રંથમાં વારંવાર અનેકસ્થાને જે આવા પ્રકારના એકાન્તવાદની ઘણી લાંબી લાંબી ચર્ચા કરવામાં આવી છે. તે અભ્યાસ રૂચિ વાળા શિષ્યોની બુદ્ધિના વિકાસ માટે જ કરવામાં આવી છે. જિજ્ઞાસુ અને તત્ત્વરુચિવાળા શિષ્યોને વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેમ સમજાવવું જોઈએ તેમ જે જે દર્શનકારો અયથાર્થ સ્વરૂપ માને છે. તે પણ સમજાવવું જોઈએ, કારણ કે જેથી ભદ્રિક સ્વભાવવાળા એવા તેઓ આવા મિથ્યાવાદીઓની મિથ્યા માન્યતાના ફંદામાં ન ફસાય. અને આવા જિજ્ઞાસુ શિષ્યોના આત્માનું અકલ્યાણ ન થઈ જાય, કલ્યાણકારી યથાર્થ માર્ગમાં જ રહે. તથા ભાવિમાં તેઓ પણ બન્ને બાજુના યથાર્થ - અયથાર્થ સ્વરૂપના જ્ઞાતા બની તેમાં આવતા ગુણ-દોષોના જાણકાર બની અયથાર્થવાદના પડકાર સામે પ્રતિકાર કરવામાં પાવરધા બને. તે આશયથી આટલી લાંબી ચર્ચા અહીં કરવામાં આવી છે. આ સંસારમાં આ જીવનો ઉપકાર થાય તે માટે જેમ ઉપાદેય ભાવો એટલે કે આદરવા યોગ્ય ભાવો જાણવા જોઈએ, તેમ આ જીવનો અપકાર ન થઈ જાય તે માટે તેનાથી બચવા સારૂં હેય ભાવો પણ જાણવા જોઈએ. રજુ (દોરડું) ઘરના કામકાજમાં કામ લાગે એટલ રજુ કોને કહેવાય? કેવું હોય? તેનું સ્વરૂપ શું હોય? આ સઘળું જેમ જાણવું જોઈએ, તેમ સર્પ કરડી ન જાય, મરી ન જઈએ આમ અકલ્યાણ ન થઈ જાય તે માટે સર્પથી બચવા સારૂં સર્પ કેવો હોય ? સર્પ કોને કહેવાય? કેટલી જાતના હોય? તેનું સ્વરૂપ શું? આ પણ સઘળું હેયભાવે જાણવું જોઈએ. “રજુને” સાચું અને પૂર્ણ જાણ્યું ત્યારે જ કહેવાય કે સર્પાદિ ઈતર વસ્તુઓને બરાબર જાણીને, આ રજુ તે સર્પાદિ નથી, સર્પાદિની જેમ કરડશે નહી આમ જાણ્યું હોય તો જ. તેથી ઉપકાર કરવા માટે જેમ ઉપકારીને જાણવા જોઈએ તેમ અપકારીને પણ તેમાંથી બચવા માટે જાણવા જોઈએ. સજ્જનને જેમ ઓળખવા જોઈએ તેમ દૂર્જનને પણ (તેનાથી બચવા) બરાબર ઓળખવા જોઈએ. બલ્ક વધારે સારી રીતે ઝીણવટથી ઓળખવા જોઈએ જેથી નુકશાન ન થાય. આ બાબતમાં સાક્ષી આપતા કવિઓએ કહ્યું છે કે - दुर्जनं प्रथमं वन्दे, सज्जनं तदनन्तरम् । गुदाप्रक्षालनं कृत्वा, हस्तप्रक्षालनं यथा ।। १ ।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy