________________
સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૨૫-૨૬
૨૭૫ આ ભેદભેદની ચર્ચા ઘણી લાંબી કરી હોવાથી અભ્યાસકવર્ગને ઉગ ઉત્પન્ન કરે એવી પણ બને, તેનો ગ્રંથકારશ્રી હવે પછીની ૨૫મી ગાથામાં સુંદર ઉત્તર આપે છે. / ૨૩-૨૪ /
सीसमईविप्फारणमेत्तत्थोऽयं कओ समुल्लावो । इहरा कहामहं चेव, णत्थि एवं ससमयम्मि ।। २५ ॥ ण वि अत्थि अण्णवादो, ण वि तव्वाओ जिणोवएसम्मि । तं चेव य मण्णंता, अवमण्णंता ण याणंति ॥ २६ ।। शिष्यमतिविकाशनमात्रार्थोऽयं कृतः समुल्लापः । इतरथा कथामुखं चैव, नास्त्येवं स्वसमये ।। २५ ।। नाप्यस्त्यन्यवादो, नापि तद्वादो जिनोपदेशे । तच्चैव च मन्यमाना, अवमन्यमाना न जानन्ति ।। २६ ।।
ગાથાર્થ - શિષ્યોની બુદ્ધિના માત્ર વિકાસ માટે જ આ ચર્ચાનો સઘળો ય પ્રસંગ અહીં લખ્યો છે. અન્યથા જૈનશાસ્ત્રોમાં આવા પ્રકારની એકાન્તવાદની કથાનો આરંભ જ સંભવતો નથી. ૨૫ //
કારણ કે જિનેશ્વર પરમાત્માના ઉપદેશમાં એકાન્ત અન્યવાદ (મેદવાદ) પણ નથી. તથા તદ્દાદ (અભેદવાદ) પણ નથી. છતાં તેમ જ માનતા (એકાન્ત ભેદવાદને કે એકાન્ત અભેદવાદને જ માનતા) કેટલાક દર્શનકારો વસ્તુતત્ત્વના યથાર્થ સ્વરૂપનું અપમાન કરતા છતા યથાર્થપણે કંઈ જાણતા જ નથી. / ૨૬ છે.
વિવેચન - ઉપરની ૨૪મી ગાથાના વિવેચનમાં અંતે જે પ્રશ્ન કર્યો. તેના અનુસંધાનમાં ખુલાશો કરતાં ગ્રંથકારશ્રી પોતે જ આટલી બધી લાંબી ચર્ચા કરવાનું પ્રયોજન શું છે ? તે સમજાવતાં કહે છે કે
વાસ્તવિક રીતે આવા પ્રકારની કોઈ પણ જાતના એકાન્તવાદની ચર્ચાને જૈનદર્શનમાં સ્થાન જ નથી. કારણ કે તેમાં દ્રવ્યથી ગુણને, કે ગુણથી પર્યાયને, કે પર્યાયથી દ્રવ્યને, કે ગુણથી દ્રવ્યને ક્યાંય નથી એકાન્ત ભેદ માનવામાં આવ્યો કે ક્યાંય નથી એકાત્તે અભેદ માનવામાં આવ્યો. કારણ કે “વસ્તુસ્થિતિ” જ તેવી (એકાન્તભેદવાળી કે એકાન્ત અભદવાળી) નથી. અને જે જે દર્શનકારો જેવી જેવી વસ્તુસ્થિતિ હોય તેવી તેવી વસ્તુસ્થિતિને પોતે ન જાણે અને બીજાને તેવી સાચી ન કહે અને મનમાની કલ્પનાઓ કરીને અન્યથા કહે, તેઓ વસ્તુની વાસ્તવિકતાના અજાણ અને વાસ્તવિકતાના લોપક હોવાથી સાચી રીતે તો તેઓ કંઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org