SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ કાડ-૩ – ગાથા-૨૩-૨૪ સન્મતિપ્રકરણ કથંચિત્ અભિન્ન માનવાથી ઉપર કહેલો એક પણ દોષ આવતો નથી. કારણ કે પરમાણુ કયણુક આદિ જે જે દ્રવ્ય સૂક્ષ્મ હોવાથી અતીન્દ્રિય છે. તેના ગુણો પણ અતીન્દ્રિય (અમૂર્ત) થશે અને તેથી તે ગુણો અને તે દ્રવ્ય એમ બન્ને ઇન્દ્રિયગોચર નહીં થાય. તથા જે જે ઘટ-પટાદિ દ્રવ્યો સ્થૂલ હોવાથી ઇન્દ્રિયગોચર (મૂર્ત) છે. તેના ગુણો પણ ઇન્દ્રિયગોચર (મૂર્ત) થશે. અને તેથી તે ગુણો અને તે દ્રવ્ય ઇન્દ્રિયગોચર (મૂર્ત) બનશે. આમ થવાથી પરમાણુ આદિ અતીન્દ્રિય દ્રવ્યો અતીન્દ્રિય જ રહેશે અને ઘટ પટાદિ ઇન્દ્રિયગ્રાહ્ય દ્રવ્ય ઇન્દ્રિયગ્રાહ્ય જ રહેશે. કોઈ પણ જાતનો કોઈ દોષ આવશે નહીં. આ રીતે દ્રવ્ય અને ગણ-પર્યાયોનો કેવલિ ભાષિત ભેદભેદ સ્વીકારવામાં કોઈ દોષ આવતા ન હોવાથી અને વસ્તુ સ્થિતિ પણ યથાર્થ તેવીજ હોવાથી ગુણો એ દ્રવ્યથી એકાન્ત ભિન્ન પણ નથી અને એકાન્ત અભિન્ન પણ નથી. પરંતુ કથંચિત્ ભિન્ન છે અને કથંચિ અભિન્ન છે. જૈન દર્શનકારોએ જણાવેલો દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદાભેદ ગ્રંથકારશ્રી ગાથા ૧ થી ૭ માં સમજાવતા હતા. અને અનુભવ પણ આવો જ થાય છે કે જે દ્રવ્ય છે તે જ દ્રવ્ય ગુણ-પર્યાયોથી તાદાભ્ય સંબંધ આદિ ભાવે કથંચિ અભિન્ન પણ છે. સર્વલોકને સાધારણપણે અનુભવ પણ આમ જ થાય છે કે સુવર્ણ તે જ કુંડલ બન્યું છે. જે ઘટ છે તે જ રક્ત બન્યો છે. જે ગોળ-સાકર છે. તે જ ગળ્યાં છે. આમ અભેદ જણાય છે. માટે કથંચિ અભિન્ન પણ છે જ. જિનેશ્વર પરમાત્માથી કથિત અને અનુભવસિદ્ધ જ આવો નિર્દોષ ભેદાભેદ છે તો પછી ગાથા ૮ માં દ્રવ્યથી ગુણના એકાન્તભેદવાદનો, તેની સામે ગાથા ૯ થી ૧૫ માં કહેલા ગુણથી પર્યાયના એકાત અભેદનો, અને ત્યારબાદ ગાથા ૧૬ થી ૧૮ માં કહેલ દ્રવ્યથી ગુણતા એકાત્ત અભેદનો, અને ગાથા ૧૭ થી ૨૨ માં એકાન્ત અમેદવાદીની સામે ઉભયવાદી સિદ્ધાન્તકારે કરેલી ચર્ચાનો, તથા ગાથા ૨૩-૨૪ માં ફરીથી એકાન્ત ભેદવાદનો બહુ જ ઝીણી ઝીણી દલીલોથી જે આ ઘણો લાંબો પ્રસંગ અહીં લખવામાં આવ્યો છે. તેનું કારણ શું ? આવા પ્રકારના એકાન્તવાદોનું કથન કે વર્ણન તથા તેના તરફની દલીલોનો આટલો બધો વિસ્તાર કરવાની આવા અનેકાન્ત વાદીઓના (જૈનોના) ગ્રંથોમાં જરૂર જ નથી. કારણ કે જૈનદર્શન તો વીતરાગ પરમાત્માથી પ્રણીત છે. સર્વજ્ઞ-સર્વદર્શીથી કથિત છે. તેથી સંપૂર્ણ યથાર્થકથન છે. તે દર્શનમાં નથી એકાન્ત અમેદવાદ કે નથી એકાત્તે ભેદવાદ. આ રીતે જો આ જૈનદર્શન અનેકાન્તવાદ વાળું હોવાથી સંપૂર્ણ નિર્દોષ અને સત્ય છે જ્યાં અલ્પ પણ મિથ્યાભાવ નથી. તો તે દર્શનમાં (તે દર્શનના આવા શાસ્ત્રોમાં) આવા પ્રકારના એકાન્તવાદની ચર્ચા - સમાલોચના કરવાની શું જરૂર ? ઘણી વખત આવી લાંબી લાંબી દાર્શનિક ચર્ચા અભ્યાસુ વર્ગને નિરસતા લાવનારી પણ બને છે. આવો પ્રશ્ન અહીં જરૂર થશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy