________________
સન્મતિપ્રકરણ
કાણ્ડ-૩ – ગાથા-૨૩-૨૪
૨૭૩
આ રીતે સર્વે પણ પદાર્થોને દ્રવ્યાત્મક-ગુણાત્મક અને પર્યાયાત્મક માનવામાં આવે અર્થાત્ દ્રવ્યથી ગુણપર્યાયોનો અને ગુણપર્યાયોથી દ્રવ્યનો કથંચિદ્ અભેદ લેવામાં આવે એટલે કે ભેદાભેદ માનવામાં આવે તો જ તેમાં ત્રિપદીવાળું પૂર્ણ લક્ષણ ઘટી શકે છે અને જેમાં ત્રિપદીવાળું લક્ષણ સંભવે તેને જ સત્ કહેવાય છે. અન્યથા વસ્તુ સત્ કહેવાતી જ નથી. તેથી આવા પ્રકારના એકાન્તભેદવાદીએ પોતાના એકાન્તભેદવાદને છોડીને ભેદાભેદ ઉભયવાદ અર્થાત્ કથંચિદ્ (અભેદ સાપેક્ષ) એવો ભેદવાદ સ્વીકારવો જોઈએ. પરંતુ એકાન્તભેદવાદ માનવો જોઈએ નહી. એકાન્તભેદ માનવાની વાસના છોડી દેવી જોઈએ.
જો કથંચિદ્ ભેદાભેદ માનો તો જ વસ્તુનું પૂર્ણલક્ષણ થાય છે અને તે લક્ષણ વસ્તુમાં પૂર્ણપણે ઘટે છે. એકાન્તભેદ માત્ર માનવાથી ત્રિપદીવાળું સત્ નું લક્ષણ ક્યાંય ઘટતું નથી. કારણ કે દ્રવ્યમાં એકલું ધ્રૌવ્ય અને ગુણ-પર્યાયમાં એકલું ઉત્પાદ-વ્યય લેવાથી ત્રિપદીમય લક્ષણ ક્યાંય સંભવશે નહીં. તેથી “અસંભવ” દોષ આવે છે. માટે આમ માનવું બરાબર નથી.
તથા એકાન્તભેદ માનવાથી બીજો પણ દોષ આવે છે અને તે એ દોષ આવે છે કે દ્રવ્યથી એકાન્તે ભિન્ન માનેલા આ ગુણ-પર્યાયોને શું તમે મૂર્ત માનશો કે અમૂર્ત માનશો ? (અહીં મૂર્તનો અર્થ ઇન્દ્રિયગોચર અને અમૂર્તનો અર્થ ઇન્દ્રિયથી અગોચર એવો કરવો). હવે જો આ ગુણ-પર્યાયોને મૂર્ત કહેશો એટલે કે ઈન્દ્રિય ગોચર છે. આમ જો કહેશો, તો પરમાણુ-યણુક-ચણુક આદિ સૂક્ષ્મસ્કંધો કે જે અતીન્દ્રિય છે. તે અતીન્દ્રિય રહેશે નહીં. કારણ કે તમે ગુણોને મૂર્ત માન્યા છે. અને દ્રવ્યને ગુણોના આધારભૂત માન્યું છે. તેથી જો ગુણ-પર્યાયો મૂર્ત (ઇન્દ્રિય ગોચર) હોય તો તેના આધારભૂત દ્રવ્ય પણ મૂર્ત જ ઠરશે. તેથી પરમાણુ આદિ સૂક્ષ્મ દ્રવ્યો પણ તેના ગુણો મૂર્ત માન્યા હોવાથી ગુણો ઇન્દ્રિય ગોચર થવાથી ઇન્દ્રિયગોચર થશે. પણ અતીન્દ્રિય રહેશે નહીં અને જો ખરેખર પરમાણુ આદિ સૂક્ષ્મદ્રવ્યો ગુણોની મૂર્તતાને લીધે મૂર્ત બને એમ માનીએ તો તે દ્રવ્યોનું સૂક્ષ્મત્વ-અતીન્દ્રિયત્વ વિગેરે કેમ રહેશે ? તેમાં પરમાણુત્વ પણ કેમ સિદ્ધ થશે ? સ્થૂલત્વ થવાથી સંધત્વ આવી જશે. પરમાણુ જેવું કોઈ સૂક્ષ્મ દ્રવ્ય જ સંસારમાં સિદ્ધ નહી રહે.
તથા ગુણોને જો અમૂર્ત માનશો તો ગુણો ઇન્દ્રિયોથી અગોચર થશે. તેથી તે ગુણો · જે દ્રવ્યમાં હશે તે દ્રવ્ય પણ ઇન્દ્રિયોથી અગોચર બનશે. આમ બનવાથી ઘટ-પટ-શકટ જેવી ઘણી સ્થૂલ વસ્તુઓ પણ ઇન્દ્રિયોથી અગોચર બનશે. જ્યારે ઘટ-પટ-શકટ આદિ પદાર્થો તો ઇન્દ્રિયોથી ગોચર છે. આ રીતે વિચારતાં દ્રવ્યથી ગુણોને એકાન્તે ભિન્ન માનવા તે વ્યાજબી નથી. જો મૂર્ત માનીએ તો તે ગુણો જેમાં રહે તે પરમાણુ-યણુક-ત્ર્યણુક આદિ સૂક્ષ્મ દ્રવ્ય પણ મૂર્ત થઈ જાય અને તે ગુણોને જો અમૂર્ત માનીએ તો તેવા ગુણો વાળુ ઘટપટ-શકટ આદિ સ્થૂલ દ્રવ્ય પણ અતીન્દ્રિય બની જાય. આવા દોષો આવે. તેથી ગુણોને દ્રવ્યથી એકાન્ત ભિન્ન ન માનતાં કથંચિત્ અભિન્ન પણ માનવા જોઈએ.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org