________________
૨૭૧
સન્મતિપ્રકરણ
કાષ્ઠ-૩ – ગાથા-૨૩-૨૪ द्रव्यार्थान्तरभूता मूर्ता अमूर्ताश्च ते गुणा भवेयुः । यदि मूर्ताः परमाणवो न सन्त्यमूर्तेष्वग्रहणम् ॥ २४ ।।
ગાથાર્થ - “સ્થિતિ” (ધ્રૌવ્ય) એ દ્રવ્યનું લક્ષણ છે. અને ઉત્પત્તિ અને નાશ એ ગુણનું લક્ષણ છે. આમ એકાન્તભેદવાદી કહે છે. પરંતુ આમ હોતે છતે કેવલી ભગવાનમાં આ લક્ષણ ઘટે છે. પરંતુ અણુ આદિ દ્રવ્યમાં આ લક્ષણ સંભવતું નથી. // ૨૩ //
તથા વળી દ્રવ્યથી અર્થાન્તરભૂત માનેલા એવા તે ગુણો શું મૂર્તિ છે ? કે શું અમૂર્ત છે? જો મૂર્ત હોય તો પરમાણુ તે પરમાણુ છે. આમ નહીં ઘટે. અને જો ગુણો અમૂર્ત હોય તો ઘટપટાદિ સ્થૂલ પદાર્થોનું અગ્રહણ થશે. // ૨૪ ||
વિવેચન - નૈયાયિક - વૈશેષિક આદિ કેટલાક દર્શનકારો એકાન્તભેદવાદી છે. તેઓ ગુણોને માને છે ખરા, પરંતુ દ્રવ્યથી ગુણો અને ગુણોથી દ્રવ્યોને એકાન્ત ભિન્ન માને છે. અને સમવાયસંબંધ વડે દ્રવ્યમાં ગુણો જોડાયેલા છે આમ માને છે. દ્રવ્ય આધાર છે અને ગુણા આધેય છે. આવી એકાન્તભેદની માન્યતા દૃઢ હોવાથી “સ્થિતિ” એ દ્રવ્યનું લક્ષણ છે અને ઉત્પત્તિ-વિનાશ એ ગુણનું લક્ષણ છે આમ કહે છે. (અહીં ગુણ એટલે ગુણો અને ગુણસંબંધી પર્યાયો સમજવા.)
દ્રવ્ય અનાદિથી છે અને અનંતકાલ રહેનાર છે તેથી “સ્થિતિ” અર્થાત્ ધૃવત્વ-સદા રહેવાપણું આ દ્રવ્યનું લક્ષણ છે. તથા ગુણ-પર્યાયો આવે છે અને જાય છે. જેમ જીવદ્રવ્યમાં જ્ઞાનાદિ ગુણો ક્ષયોપશમાનુસાર વધે છે અને ઘટે છે. પુદ્ગલદ્રવ્યમાં નીલ પીતાદિ-તથા આમ્લ-મધુરતાદિ ગુણો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તેથી ઉત્પત્તિ અને વિનાશ એ ગુણનું લક્ષણ છે. આ પ્રમાણે એકાન્તભેદવાદી તૈયાયિકાદિ કેટલાક દર્શનકારી સ્થિતિ એ દ્રવ્યનું લક્ષણ અને જન્મ-મરણ (ઉત્પાદ-વ્યય) એ ગુણ-પર્યાયનું લક્ષણ છે. આમ કહે છે.
ઉપરોક્ત દ્રવ્ય-ગુણનાં લક્ષણોમાં દોષ જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે - દ્રવ્ય અને ગુણનાં આવાં લક્ષણ કરીએ તો આ લક્ષણ કેવલી પરમાત્મામાં સંભવે છે. પરંતુ પરમાણુ આદિ અન્ય દ્રવ્યમાં સંભવતું નથી. કારણ કે કેવલી ભગવાન વીતરાગ હોવાથી કેવલાત્મ ભાવે સ્થિત જ હોય છે. તેમના જ્ઞાનમાં ચેતનાચેતન સઘળા પદાર્થો જણાય છે પરંતુ પોતે તે ભાવે પરિણામ પામતા નથી. તથા ચેતનાચેતન સઘળા પદાર્થો શેયરૂપે (જ્ઞાનમાં જણાવા રૂપે) ઉત્પન્ન થાય છે અને અજ્ઞેયરૂપે (જ્ઞાનમાં ન જણાવા રૂપે) નાશ પામે છે. આ રીતે કેવલીમાં આ લક્ષણ ઘટે છે. પરંતુ પરમાણુ આદિ દ્રવ્યમાં આ લક્ષણ ઘટતું નથી. કારણ કે જેમ ગાયમાં અશ્વની ઉત્પત્તિ હોતી નથી અને અશ્વમાં ગાયની ઉત્પત્તિ હોતી નથી કારણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org