________________
સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૨૧
૨૬૫ તેવા સંબંધિપણું જ છે. અર્થાત્ ઉપાદાનકારણમાં રહેલા પરિણામી સ્વભાવના લીધે જ નિમિત્ત કારણો મળતાં તે તે દ્રવ્ય તેવા તેવા સંબંધિપણે પરિણામ પામ્યું છે છતાં પણ સ્થૂલદૃષ્ટિવાળા જીવો આટલું સૂક્ષ્મ પરિણામ પણ જોઈ-સમજી શકતા નથી. એટલે હાલ પુરતુ માની લઈએ કે માત્ર નિમિત્તોના સંબંધના વશથી તેમાં સંબંધીપણુ જણાય છે.
તો પણ નયનેન્દ્રિયના સંબંધમાત્રથી જ આમ્રફળમાં રૂપ જણાય છે અને રસનેન્દ્રિયના સંબંધમાત્રથી જ રસ જણાય છે તથા ધ્રાણેન્દ્રિયના સંબંધમાત્રથી જ તેમાં ગંધ જણાય છે તથા તે તે ગુણોની હીનાધિકતારૂપ તરતમતા પણ તે તે ઈન્દ્રિયોના સંબંધમાત્રથી જ જણાય છે. આ વાતમાં નિમિત્ત માત્રથી જ જણાય છે અને ઉપાદાનમાં તેવા ગુણો નથી કે ગુણોની તરતમતા નથી. આ વાત ઘટતી નથી. અર્થાત્ નિમિત્તમાત્રના સંબંધથી જ ઉપાદાનમાં તેવા તેવા ગુણો ભાસે છે પરંતુ ઉપાદાનમાં વાસ્તવિક તેવા ગુણો અને પર્યાય રૂપ વિશેષ ધર્મો નથી. આ વાત સર્વથા ખોટી છે. કારણ કે જો આમ્રફળમાં પોતાનામાં રૂપગુણ ન હોય અને નયનેન્દ્રિયના સંબંધમાત્રથી જ રૂપવત્તા આવતી હોય તો નીલી-પીળી અને લાલ કેરીની સાથે નયનેન્દ્રિયનો સંબંધ જ્યારે થયો. ત્યારે સર્વત્ર ઉપાદાન અને નિમિત્તના સંયોગ રૂપ સંબંધ સરખો જ છે. સરખુ જ રૂપ જણાવું જોઈએ, ભિન્ન ભિન્ન રૂપ કેમ જણાય ? તથા કાળા રંગવાળી બે વસ્તુની સાથે એક જ કાળે એક સરખો જ નયનેન્દ્રિયનો સંબંધ થયો. તો એક વસ્તુ થોડી કાળી અને બીજી વસ્તુ અનંતગુણી કાળી આમ કેમ જણાય? જો નિમિત્ત માત્રથી જ આ વ્યવહાર થતો હોય તો નયનેન્દ્રિયનો સંબંધ કે જે સંબંધ રૂપને જણાવવામાં નિમિત્ત ભૂત છે. તે તો સર્વત્ર સમાન જ છે. ભિન્ન ભિન્ન રૂપ અને રૂપની વચ્ચે અનંતગણાપણાની તરતમતા કેમ જણાય? તેવી જ રીતે રસનેન્દ્રિયનો કેરીની સાથે સંબંધ સરખો હોવા છતાં દ્વિગુણમધુરતાનો અનુભવ કેમ થાય? અને આવું જણાય તો છે જ. તેથી અવશ્ય માનવું જોઈએ કે ઉપાદાન કારણભૂત એવી કેરીમાં પોતાનામાં તેવા તેવા ગુણો અને તેવી તેવી ગુણોની તરતમતા વાસ્તવિકપણે સ્વયં છે જ, અને તે સ્વતઃ સિદ્ધ પોતાના સહજ સ્વરૂપે ગુણો રહેલા છે અને પર્યાયો નિમિત્ત માત્રથી નથી. ફક્ત નિમિત્તે તેનું વ્યંજક છે.
ટીકામાં કહ્યું છે કે - {qસ્થવિશેષવશ યુ સમ્બવિશેષઃ યથા પતિसम्बन्धिविशेषजनितसम्बन्धविशेषसमासादितसम्बन्धिविशेषोऽवगतः । द्रव्याद्वैतवादिनस्तु न सम्बन्धिविशेषः, नापि सम्बन्धविशेषः संगच्छत इति कुतो रसनादिविशेषसम्बन्धजनितो रसादिविशेषपरिणाम: ? ।
આવી જ રીતે રસનેન્દ્રિયના સંબંધ રૂપ કેવલ એકલા નિમિત્તકારણથી જ રસ અને રસની હીનાધિકતા આવતી હોત તો આમ્બ-મધુરાદિ કેરીઓનો સંબંધ ભિન્ન ભિન્ન પુરૂષોને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org