________________
૨૬૨
કાષ્ઠ-૩ – ગાથા-૨૦
સન્મતિપ્રકરણ भण्णइ संबंधवसा, जह संबंधित्तणं अणुमयं ते । णणु संबंधविसेसं, संबंधिविसेसणं सिद्धं ॥ २० ॥ भण्यते सम्बन्धवशाद् यथा सम्बन्धित्वमनुमतं तव । ननु सम्बन्धविशेषं, सम्बन्धिविशेषणं सिद्धम् ॥ २० ॥
ગાથાર્થ - એકાન્ત અભેદવાદી વડે બચાવ કહેવાય છે કે હે ઉભયવાદી જૈન આચાર્યશ્રી ! જેમ સામાન્ય સંબંધના વશથી સામાન્ય સંબંધીપણું તમને માન્ય છે. તેમ ખરેખર સંબંધવિશેષના લીધે સંબંધી વિશેષપણુ પણ અવશ્ય સિદ્ધ થાય છે. માની લેવું જોઈએ. || ૨૦ ||
વિવેચન -ગાથા ૧૮-૧૯ માં સિધ્ધાન્તકારે અભેદવાદીની વાતનો ઉચ્છેદ કરતાં જે કહ્યું કે સમાનજાતિના બે ફળોમાં સમાનપણે ઇન્દ્રિયસંબંધ હોવા છતાં જે ગુણોની તરતમતા સ્વરૂપ વિશેષ જણાય છે અને વિવક્ષિત એવા એક જ પુરૂષમાં તેની સાથેના બીજા-ત્રીજા પુરૂષનો સંબંધ સમાન હોવા છતાં પણ કાલાન્તરે બીજાની સાથે લઘુતાને બદલે ગુરુતા અને ત્રીજાની સાથે ગુરુતાને બદલે લઘુતા જે જણાય છે. તે અન્યદ્રવ્યના સંબંધ માત્રથી તો ન જ ઘટે. પણ વસ્તુમાં પોતાનામાં જ તેવા તેવા ગુણધર્મો વિશેષધર્મો માનવા જોઈએ.
આવા પ્રકારની સિધ્ધાન્તકારની વાતની સામે એકાન્ત અભેદવાદી પોતાના પક્ષનો બચાવ કરતાં આ ગાથામાં જણાવે છે કે - હે આચાર્યશ્રી ! મUU3 = તમે કહેલી વાતની સામે મારા વડે આવા પ્રકારનો ઉત્તર કહેવાય છે કે – જેમ વિવક્ષિત પુરૂષમાં પુત્ર-પિતા અને દાદા આદિના સંબંધોને લીધે અનુક્રમે પિતાપણુ-પુત્રપણુ અને પૌત્રપણુ વિગેરે ભાવો સ્વરૂપ સંબંધીપણુ હોય છે. આ વાત તમને અનુમત (સમ્મત) છે તેની જેમ વિવક્ષિત એવાં કેરી આદિ પુદ્ગલદ્રવ્યોમાં પણ રસનેન્દ્રિય આદિ ઇન્દ્રિયોના સંબંધની વિશેષતાને લીધે સંબંધી (સંબંધ પામેલી) એવી કેરી આદિ વસ્તુમાં રહેલી વિશેષતા (વિવિધતા) પણ પરાપેક્ષિત સિદ્ધ થાય જ છે.
સારાંશ એવો છે કે - કોઈ એક દેવદત્ત નામનો પુરૂષ એ ખરેખર તો સામાન્ય પુરૂષમાત્ર જ છે. (સામાન્ય માત્ર જ - દ્રવ્યાàત જ છે). છતાં તેની સામે તેનો પુત્ર ઉભો હોય ત્યારે તે પુત્રની સાથેના સંબંધથી પિતાપણે વ્યવહારાય છે. તેની સામે તેના પિતા ઉભા હોય તો પિતાની સાથેના સંબંધથી પુત્રપણાના સંબંધીપણે વ્યવહારાય છે. તેની સામે તેના દાદા ઉભા હોય તો તે દાદાની સાથેના સંબંધથી પૌત્રપણાના સંબંધી તરીકે વ્યવહારાય છે. આ રીતે પરસ્પરના સંબંધ માત્રથી જેમ તેવા તેવા સંબંધવાળાપણું (સંબંધિત્વ) વ્યવહાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org