________________
કાઠ-૩ – ગાથા-૧૯
સન્મતિપ્રકરણ
૨૬૧ સામાન્યમાં પોતાનામાં જ પોતાના વિશેષ ધર્મો ન માનીએ તો આ વાત ઘટતી નથી. માટે સર્વ સામાન્ય દ્રવ્યો વિશેષોથી ભરેલાં જ છે પણ એકલો અભેદ (સામાન્ય) નથી જ.
આ પ્રમાણે જ્યાં જ્યાં એક સરખી સમાન ઇન્દ્રિયગોચરતા હશે એક સરખો ઇન્દ્રિયોનો વિષય હશે ત્યાં જે દ્વિગુણમધુર-અનંતગુણકાળુ વિગેરે જે કંઈ જણાય છે તે વિશેષધર્મો માન્યા વિના ઘટશે નહીં. તથા એક પુરૂષમાં જ અન્યની અપેક્ષાએ જે લઘુતા અને ગુરુતા જણાય છે તે જ વિવક્ષિત પુરૂષમાં કાળાન્તરે તે જ બીજા-ત્રીજા પુરૂષની અપેક્ષાએ જે વૈપરીયતા (ગુરુતા અને લઘુતા) જણાય છે. તે પણ માત્ર પરાપેક્ષાથી નહીં ઘટે. પણ વિચલિત એવા તે દેવદત્ત નામના પુરુષમાં પુરુષત્વ નામના સામાન્યધર્મની જેમ પાંચ ફુટ ઉંચાઈ વાળો, સાત ફુટ ઉંચાઈવાળો અને ત્રણ ફુટ ઉંચાઈ વાળો વિશેષ પરિણામ પણ અવશ્ય થાય જ છે. આમ જ માનવું રહ્યું. અને તે વિશેષધર્મો પણ તે પુરૂષસામાન્યમાં અવશ્ય છે જ. તેથી કોઈ પણ દ્રવ્ય જેમ સામાન્ય ધર્માત્મક સ્વતઃ છે. એ જ રીતે વિશેષધર્માત્મક પણ સ્વતઃ જ છે. માત્ર તે તે વિશેષ ધર્મોના ભંજક આવા આવા અન્યદ્રવ્યના સંજોગો છે. આવા પ્રકારનું વસ્તુસ્વરૂપ છે. અને આવું જ સ્વરૂપ વસ્તુમાં જ છે. તે જ સાચું તત્ત્વ છે. તેથી જેમ સામાન્યપણે અભેદ છે. તેવી જ રીતે વિશેષપણે ભેદ પણ અવશ્ય છે જ.
આ ગાથાનો સાર એ છે કે (૧) સમાન જાતિના બે ફળોમાં રહેલી મધુરાદિ રસની તરતમતા, (દ્વિગુણમધુરતાદિ) (૨) સમાન જાતિના બે પદાર્થોમાં રહેલી કૃષ્ણાદિ રૂપની તરતમતા (અનંતગુણ કૃષ્ણતાદિ) સિદ્ધ કરે છે કે પદાર્થોમાં આ ગુણો અને ગુણોની તરતમતા સ્વતઃ સિદ્ધ છે. વાસ્તવિક છે. છતા ભાવો છે. સદ્ ભાવો છે. સ્વયંસિદ્ધ છે. માત્ર તેની વ્યંજકતા વ્યંજકને આધીન છે પણ તે ગુણોનું અને ગુણોની તરતમતાનું હોવાપણું વ્યંજકને આધીન નથી. આ દૃષ્ટાન્ન અચેતનને આશ્રયી છે. અને લઘુતા-ગુરુતાની (દરનો મહ વા) વાત સચેતનને આશ્રયી છે. તેવી જ રીતે દેવદત્ત નામના પુરૂષમાં લઘુતા અને ગુરુતા, તથા કાલાન્તરે આવતી ગુરુતા અને લઘુતા પોતાના સ્વયંસિદ્ધ ધર્મ છે. સહજધર્મ છે. વિશેષ ધર્મ છે. માત્ર તે વ્યંગ્ય ધર્મનો બોધ વ્યંજકને આધીન છે. પણ તે ગુણોનું કે કાલાન્તરે બદલાયેલા ગુણોનું હોવાપણું વ્યંજકને આધીન નથી. અગરબત્તીમાં સુગંધનું હોવાપણું જેમ સ્વતઃ છે. માત્ર તેનું વ્યંજક અગ્નિદ્રવ્ય છે. પણ અગ્નિદ્રવ્યના સંયોગથી અગરબત્તીમાં ગંધ આવતી હોય આમ બનતું નથી. તેમ અહીં સમજવું. / ૧૯ //
સામાન્ય (દ્રવ્ય) માત્રમાં વિશેષ (ગુણ-પર્યાયો) સ્વતઃ જ હોય છે. આ પ્રમાણે સિધ્ધાન્તકારે કરેલા વિશેષ ધર્મોના સમર્થનની સામે એકાન્તઅમેદવાદી (એકાન્તસામાન્યવાદી) પોતાના પક્ષનો બચાવ કરતાં કહે છે કે -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org