________________
૨૬૦ કાડ-૩ – ગાથા-૧૯
સન્મતિપ્રકરણ દેવદત્તમાં યજ્ઞદત્તની અપેક્ષાએ જે લઘુત્વ (નાનાપણું = હૃસ્વત્વ) જણાય છે અને ચૈત્રની અપેક્ષાએ જે ગુરુત્વ (લાંબાપણુ = મોટાપણું) જણાય છે. તે લઘુત્વ અને ગુરુત્વ આ બન્ને ધર્મો (વિશેષધર્મો) દેવદત્તમાં વાસ્તવિકપણે છે જ. પોતાના સહજ ધર્મો છે. માત્ર બન્ને બાજુના પુરૂષોના સંયોગથી જ જન્ય નથી. ફક્ત તે તે વિશેષધર્મોનો ભંજક અનુક્રમે તે બીજા-ત્રીજા પુરૂષનો સંયોગ છે.
જો આમ ન સમજીએ અને આ ધર્મોને માત્ર પરાપેક્ષિત જ સમજીએ અને વાસ્તવિકપણે અછત સમજીએ તો કાલાન્તરે તે વિપરીત બોધ થાય છે તે ઘટશે નહીં. પાંચ ફટવાળો દેવદત્ત શરીરમાં વધારે ઉંચો વધ્યો અને ધારો કે સાત ફૂટની ઉંચાઈવાળો બન્યો. ત્યારે તે જ દેવદત્ત નામનો પ્રથમ પુરૂષ યજ્ઞદત્ત નામના બીજા પુરૂષની અપેક્ષાએ જે પહેલાં લઘુ હતો અને લઘુપણે જણાતો હતો. તે હવે ગુરુપણે જણાય છે. તે કેમ જણાય ? કારણ કે બે નંબરના યજ્ઞદત્તની અપેક્ષાએ જ દેવદત્તમાં લઘુત્વ ધર્મ પ્રથમ હતો પણ વાસ્તવિક તો દેવદત્તમાં કોઈ વિશેષ ધર્મ હતો જ નહીં. આવું કહીએ તો તે પ્રમાણે તમારા મતે તે દેવદત્તમાં કોઈ વિશેષ ધર્મ છે જ નહીં. તે તો સામાન્ય માત્ર જ છે. તો પછી તે દેવદત્ત પાંચ ફુટનો હોય કે સાત ફુટનો હોય પણ છ ફુટની ઉંચાઈવાળા યજ્ઞદત્ત કરતાં તો સદાકાલ લઘુતા જ રહેવી જોઈએ, અને લઘુતા જ દેખાવી જોઈએ. કારણ કે પરાપેક્ષા તો સદા એની એ જ છે. પણ આમ બનતું નથી. એક કાલે યજ્ઞદત્તની અપેક્ષાએ લઘુતા જણાય છે ત્યાં જ કાલાન્તરે ગુરુતા પણ ક્યારેક જણાય છે. તેથી દેવદત્તમાં જ ઉંચાઈ વધવા રૂપ વિશેષધર્મ સ્વતઃ સિધ્ધ થાય છે. માત્ર તેનો વ્યંજક યજ્ઞદત્તનો સંયોગ છે.
એવી જ રીતે જે દેવદત્તની ઉંચાઈ ફૂટ છે. તે વૃદ્ધાસ્થાના કારણે કે રૂધિર આદિ ધાતુઓ સુકાવાના કારણે ધારો કે તેની ઉંચાઈ ઘટીને ૩ ફુટ થઈ ગઈ. તો ત્રણ નંબરના ચૈત્રની અપેક્ષાએ જે ગુરુત્વધર્મ દેવદત્તમાં જણાતો હતો તેને બદલે હવે લઘુત્વધર્મ જે જણાય છે. તે પણ કેમ ઘટશે ? અર્થાત્ નહીં ઘટે. કારણ કે તમે દેવદત્તમાં તો કોઈ વિશેષ ધર્મ માનતા જ નથી. માત્ર પરાપેક્ષિત (ત્રીજા પુરૂષને આશ્રયિને) જ ગુરુતા હતી એમ કહો છો. તે પરાપેક્ષા તો કાલાન્તરે પણ તેની તે જ છે. જેવી પહેલાં હતી. તેવી જ હાલ પણ છે. તેથી ગુરુતાને જણાવનારી આ પરાપેક્ષા હવે દ્રવ્યમાં પરિવર્તન માન્યા વિના લઘુતાને જણાવનારી કેમ બને ? જો એમ માનીએ કે દેવદત્તમાં પહેલાં ત્રીજા પુરૂષને આશ્રયી ગુરુતા (પાંચ ફુટ ઉંચાપણું) એ વાસ્તવિક વિશેષ ધર્મ હતો. અને હવે તે જ વિશેષ ધર્મ વૃદ્ધાવસ્થાદિના કારણે રૂધિરાદિ ધાતુઓ સુકાવાથી લઘુતારૂપે પરિણામ પામેલો છે. આમ ગુરુતા અને લઘુતા નામના ગુણો કાલભદે દેવદત્તમાં પરિણામ પામે છે આમ જો માનીએ તો જ આ વાત ઘટી શકે. આમ માનવા જતાં સામાન્યમાં વિશેષ ધર્મ સ્વીકારવા જ રહ્યા. આમ જો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org