________________
૨૫૮ કાડ-૩ – ગાથા-૧૯
સન્મતિપ્રકરણ બમણી (દ્વિગુણ) મધુર લાગી. ત્યાં આ કેરીથી આ કેરી દ્વિગુણ મધુર છે આવો જે સંસારી જીવોને રસનેન્દ્રિય દ્વારા અનુભવ થાય છે તે કેમ ઘટશે ? કારણ કે જો ઇન્દ્રિયના સંજોગે જ વિશેષ ભાસિત થતા હોય પણ દ્રવ્યમાં પોતાનામાં સહજસ્વભાવે વિશેષ ન વર્તતા હોય તો આવા સ્થળે એક જ ઇન્દ્રિયો (રસનેન્દ્રિયનો) કેરી નામના ફળની સાથે સરખો જ સંબંધ છે. તે બન્નેમાંથી એકમાં મહું હોઝાર્દિ = દ્વિગુણમધુરતા અને એકમાં અર્ધમધુરતાનો જે અનુભવ થાય છે. તે ઘટશે નહીં. કારણ કે તમારા મતે તો તે બન્નેમાં કેરી દ્રવ્ય સામાન્ય માત્ર છે અને રસનેન્દ્રિયનો સંયોગ રસને જણાવશે. પણ તેની હીનાધિકાને કોણ જણાવશે ? તમારા મતે દ્રવ્યમાં તો સ્વતઃ તરતમતા છે જ નહીં તેથી આ અનુભવ મેદ ઘટશે નહીં. જો કેરી નામના દ્રવ્યમાં જ અધમધુરતા અને દ્વિગુણમધુરતા સહજ રીતે રહેલ છે એમ માનીએ અને રસનેન્દ્રિયનો સંયોગ તેનો વ્યંજક (જણાવનાર) છે. આમ માનવામાં આવે તો જ આ અનુભવ યુક્તિસંગત થાય. અન્યથા નહીં થાય. માટે દ્રવ્યમાં અધમધુરતા અને દ્વિગુણમધુરતા રૂપ વિશેષો સ્વાભાવિકપણે જ છે. સહજ છે. સ્વતઃ જન્ય છે. વ્યંગ્ય છે અને રસનેન્દ્રિયનો સંયોગ તેનો વ્યંજક છે. આમ માનવું જોઈએ જેમ અગરબત્તીમાં સુગંધ અને નવા ઘટમાં ગંધ સ્વતઃ પોતાનો ગુણ છે. વ્યંગ્ય છે. અને અનુક્રમે પહેલામાં અગ્નિનો સંયોગ અને બીજામાં જલનો સંયોગ તે ગંધનો વ્યંજક છે. આમ માનવું જોઈએ. જો આમ ન માનીએ અને અગ્નિ તથા જલના સંયોગથી જ માત્ર ગંધ થાય છે અને જણાય છે. પણ દ્રવ્યમાં સ્વતઃ સુગંધ કે દુર્ગધ છે જ નહીં આમ જ જો માનવામાં આવે તો તે જ અગ્નિ અને જલનો સંયોગ અગરબત્તી અને - નવા ઘટને છોડીને અન્ય પદાર્થ સાથે કરતાં તેવી વિશિષ્ટ ગંધ તે અન્ય પદાર્થમાં કેમ જણાતી નથી ? માટે માનવું જોઈએ કે આ ગુણો દ્રવ્યના પોતાના સહજ છે. અને ઇન્દ્રિયનો સંયોગ તો માત્ર તે ગુણોનો ભંજક છે. પણ ઇન્દ્રિયોનો સંયોગ કંઈ દ્રવ્યમાં અછતા ગુણોને જણાવનારો બનતો નથી.
આવી જ રીતે મidhયં ત = બં = કોઈ પણ બે કાળી વસ્તુઓમાં એક અલ્પ કાળી વસ્તુ છે. અને બીજી વસ્તુ તેનાથી અનંતગુણી કાળી વસ્તુ છે ત્યાં બન્ને કાળી વસ્તુની સાથે ચક્ષુરિન્દ્રિયનો સંયોગ કરો, તો તે સંયોગ તો સમાન જ છે. જો ચક્ષના સંયોગ માત્રથી જ કાળાશની પ્રતીતિ થતી હોય અને વસ્તુમાં પોતાના ધર્મ રૂપે કૃષ્ણગુણ ન હોય (વિશેષધર્મ ન હોય) તો બન્ને કાળી વસ્તુઓની સાથે કાલભેદે કરાયેલો ચક્ષુનો સંયોગ તો સમાન જ છે. જો માત્ર ચક્ષુરિન્દ્રિયના સંયોગથી જ કૃષ્ણગુણાત્મક વિશેષધર્મ ભાસિત થતો હોય તો એક વસ્તુમાં અલ્પકાળાશ અને બીજી વસ્તુમાં અધિકકાળાશ કેમ જણાય ? અને . આવો તરતમતાવાળો અનુભવ તો થાય જ છે. તે માટે કાળાશ નામનો ગુણ (વિશેષ ધર્મ) વસ્તુમાં પોતાનામાં સહજ રીતે જ છે. અને તે પોતાનો જ ગુણવિશેષ છે. સ્વતઃ જન્ય છે. સ્વાભાવિક છે પણ ઇન્દ્રિયના સંબંધ માત્રથી આ ગુણો ઉત્પન્ન થતા નથી કે જણાતા નથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org