SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૧૯ ૨૫૭ પ્રમાણે સર્વે પણ દ્રવ્યો દ્રવ્યાત્મક માત્ર રૂપે સામાન્ય જ છે. તેમાં ગુણ-પર્યાયાત્મક કોઈ વિશેષો જુદા નથી. જે કોઈ વિશેષો જણાય છે તે તેવા તેવા સંબંધવિશેષોને લીધે જ જણાય છે. પણ પદાર્થમાં તેના વિશેષો છે અને જણાય છે તેવું નથી. પાંચ ફુટની ઉંચાઈવાળાની આગળપાછળ ઓછી-વધતી ઉંચાઈવાળાને ઉભો રાખો તો આ પુરુષ તમને નાનો-મોટો દેખાશે. પરંતુ તે પુરુષ વાસ્તવિકપણે નાનો-મોટો નથી. ફક્ત પાંચ ફુટની ઉંચાઈવાળો છે. તેવી જ રીતે દ્રવ્યને જુદી જુદી ઇન્દ્રિયો સાથે જોડો છો. તો જુદા જુદા ભાવે જણાય છે. તેથી દ્રવ્યમાં કંઈ વિશેષો આવી જતા નથી. આવા પ્રકારનું એકાન્તઅમેદવાદીનું કથન છે. દ્રવ્યાદ્વૈતવાદ જ છે. ગુણાદિ વિશેષો નથી. દ્રવ્યજાતિ જ માત્ર છે. ગુણ-આદિ કોઈ અન્ય જાતિ નથી. આવા પ્રકારનું કથન એકાન્ત અમેદવાદી એકાન્તભેદવાદીની સામે કહે છે. ૧૭-૧૮ જેમ એકાન્તભેદવાદ યથાર્થ નથી. તેમ એકાત્ત અભેદવાદ પણ યથાર્થ નથી. તેમાં પણ દોષો જ આવે છે. તેથી તે પણ સ્વીકારવા જેવો નથી. આ કારણે હવે ઉભયવાદી (અનેકાન્તવાદી) સિધ્ધાન્તકારશ્રી (જૈન દર્શનકારશ્રી) શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી એકાન્ત અભેદવાદીને પણ સમજાવતાં કહે છે કે होज्जाहि दुगुणमहुरं, अणंतगुणकालयं तु जं दव्वं । ण उ डहरओ महल्लो वा होइ संबंधओ पुरिसो ।। १९ ।। भवेद् द्विगुणमधुरं, अनन्तगुणकालकं तु यद् द्रव्यम् । न तु महरको महान् वा, भवति सम्बन्धतः पुरुषः ।। १९ ।। ગાથાર્થ - આ દ્રવ્ય દ્વિગુણમધુર (બમણું મીઠું) છે અને અનંત ગુણ કાળું છે. આવો જે વ્યવહાર થાય છે તે, તથા આ પુરૂષ આ પુરૂષથી નાનો-મોટો છે. આ વ્યવહાર જે થાય છે. તે (વિશેષ માન્યા વિના) કેવલ એકલા સંબંધમાત્રથી ઘટશે નહીં. | ૧૦ વિવેચન - દ્રવ્ય સામાન્ય માત્ર સ્વરૂપ જ જો હોય, અને તેમાં વિશેષ (ગુણ-પર્યાયો) કથંચિત્ જુદા જ ન હોય, તથા આવા એકાન્ત અભેદવાદને (દાન્તિકને) સમજાવવા માટે “વ્યવિય" ઇત્યાદિ પદો દ્વારા તમારા વડે કહેવા પ્રમાણે જુદી જુદી ઇન્દ્રિયોની સાથેના જોડાણથી જ રૂપ-રસ-ગંધ-સ્પર્શ આદિ ગુણો જો ભાસતા હોય, એટલે કે બાહ્ય ઉપાધિજન્ય જ માત્ર વિશેષ જણાતા હોય, દ્રવ્યમાં પોતાનામાં સ્વતઃ વિશેષ (એટલે આવા ગુણો અને પર્યાયો) જ ન હોય તો એક જ ઇન્દ્રિય સાથે જોડાયેલા બે દ્રવ્યોમાં જે તરતમતા જણાય છે. તે કેમ ઘટશે ? અર્થાત્ નહી જ ઘટે. તે આ પ્રમાણે - જુદાં જુદાં બે આમ્રફળોને (કેરીને) જુદા જુદા કાળે રસનેન્દ્રિયની (જીભની) સાથે જોડી. તે બન્ને કેરીમાં એક કેરી થોડી મધુર લાગી. અને બીજી કેરી પ્રથમની કેરી કરતાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy