SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૧૭-૧૮ જેમ ૪૦/૫૦ વર્ષની ઉંમરનો દેવદત્ત નામનો કોઈ એક પુરૂષ છે. તે ખરેખર વાસ્તવિકપણે પુરૂષમાત્ર રૂપ સામાન્ય જ છે. તે પુરૂષ, કંઈ પિતા-પુત્ર-પૌત્ર-ભાણેજ કે ભાઈ નથી. અર્થાત્ તે પુરૂષમાં પુરૂષત્વ સ્વરૂપ સામાન્યપણું જ છે. પરંતુ પિતા-પુત્રાદિ વિશેષ ધર્મો તેમાં વાસ્તવિક છે જ નહીં. જો તે પુરૂષમાં પિતૃત્વ નામનો વિશેષ ધર્મ પોતાનો સ્વયં હોત તો જેમ સાકરને જ્યાં નાખો ત્યાં ગળપણ જ આપે. તેમ આ પુરૂષની આજુબાજુ કોઈ પણ માણસ ઉભો રાખીએ તો સર્વની સાથે તેનું પિતાપણુ જ દૃષ્ટિ ગોચર થવું જોઈએ એટલે કે આ પુરૂષ એકનો પિતા છે. તેમ તે સર્વનો પણ પિતા જણાવો જોઈએ. કારણ કે તેનામાં તે પિતૃત્વધર્મ સાચો છે અર્થાત્ વાસ્તવિક છે. પોતાનો સહજ છે. એમ તમે માન્યું છે. પણ આવું જણાતું નથી. તેથી તે પુરૂષમાં પુરૂષત્વ નામનું સામાન્ય સ્વરૂપ જેવું છે. તેવો પિતૃત્વ નામનો વિશેષધર્મ છે જ નહીં. માત્ર પુત્રના સંબંધથી તેને પિતાપણે સંસારમાં વ્યવહારાય છે. તેવી જ રીતે તે દેવદત્ત નામના પુરૂષમાં પુત્રત્વ નામનો વિશેષ ધર્મ પણ નથી જ. જો આ ધર્મ હોત તો જેમ તેના પિતાને આશ્રયી “પુત્રત્વ” જણાય છે. તેવી જ રીતે સર્વ પુરૂષોને આશ્રયી તેમાં પુત્રત્વ જણાવું જોઈએ. જેમ વૃક્ષમાં વૃક્ષત્વધર્મ સાચો-યથાર્થ છે તેથી જે કોઈ પુરૂષો તેના તરફ દૃષ્ટિપાત કરે ત્યારે સર્વે પુરૂષોને તે વૃક્ષ જ દેખાય છે. તેમ પુરૂષમાં પુત્રત્વ આદિ ધર્મો જો સાચા વાસ્તવિક હોત, પોતાનામાં સહજપણે જ હોત તો સર્વે પણ પુરૂષોને તેમાં જેમ પુરૂષત્વ ધર્મ દેખાય છે. તેમ તે સાચા પુત્રત્યાદિ ધર્મ પણ દેખાવા જોઈએ. પરંતુ સર્વને આશ્રયી તેમાં પુત્રત્વ જણાતું નથી. તે દેવદત્ત એકનો (પોતાના પિતાનો) જ પુત્ર છે એટલે કંઈ સર્વનો પુત્ર થઈ જતો નથી. દેવદત્તમાં રહેલું પુરૂષત્વ બધાને જણાય છે. તેથી તે ધર્મ તેનો પોતાનો વાસ્તવિક છે. સાચો છે. પરંતુ પુત્રત્વ કે પિતૃત્વ સર્વ પુરૂષોને તેમાં જણાતું નથી. તેથી તે સંબંધમાત્ર વડે કલ્પનાકૃત છે. માટે વ્યવહાર માત્ર જ છે. ટીકામાં કહ્યું છે કે - પિતૃ-પુત્ર-ન-બાય-પ્રાતૃમર્થ ઇસ્ય પુરુષી સમ્બન્ય तेनासावेक एव पित्रादिव्यपदेशमासादयति । न चासावेकस्य पिता पुत्रसम्बन्धतः - इति शेषाणामपि पिता भवति । આ રીતે વસ્તુતત્ત્વ વિચારતાં સર્વત્ર સામાન્યમાત્ર (અભેદ) જ છે. ક્યાંય વિશેષધર્મો (ગુણ અને પર્યાયો ભેદ સ્વરૂપે) જણાતા નથી જ. વિવક્ષિત દેવદત્તનામનો પુરૂષ પોતાના પિતાના સંબંધથી પુત્રત્વપણે, પોતાના પુત્રના સંબંધથી પિતૃત્વપણે પોતાના દાદાની સાથેના સંબંધથી પૌત્રતપણે માત્ર સંસારમાં વ્યવહાર કરાય છે. બાકી તેમાં પુરૂષત્વ નામનો સામાન્યધર્મ જ છે. અભેદ જ છે. પણ ગુણ-પર્યાયો સ્વરૂપ વિશેષો નથી તેથી ભેદ નથી. જેમ પાંચ ફુટ ઉંચો એક પુરૂષ ઉભો છે તે પુરૂષ વાસ્તવિક પણે ઉંચો પણ નથી અને ઠીંગણો પણ નથી. જેવો છે તેવો છે અર્થાત્ પાંચ ફુટ ઉંચાઈવાળો છે. પણ તેની પડખે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy