________________
૨૫૨ કાડ-૩ – ગાથા-૧૬
સન્મતિપ્રકરણ ગાથાર્થ - દ્રવ્યની જાતિને વિષે તથા ગુણની જાતિને વિષે જે જે એકાન્તભેદનો પક્ષપાત (આગ્રહ) છે. તેનું જો કે પહેલાં જ અમે નિરસન કરેલું છે. તો પણ તે ભેદભેદ સમજાવવા માટે હવે પછીની ગાથામાં આ એક ઉદાહરણ કહેવાય છે. ll૧૬
| વિવેચન - નવથી પંદર સુધીની ગાથામાં જણાવ્યા પ્રમાણે ગુણથી પર્યાય અને પર્યાયથી ગુણ એકાન્તભિન્ન નથી આ વાત સિદ્ધ કરી છે. અર્થાત્ પુદ્ગલની સાથે વર્ણપણે જે ધર્મ છે તે સહભાવી હોવાના કારણે જેને ગુણ કહેવાય છે. તે વર્ણ નામનો ગુણ જ નીલપીત-રક્ત-શ્વેત અને કૃષ્ણ પણે વિચારતાં ક્રમભાવી થવાના કારણે પર્યાય કહેવાય છે. આ જ કારણથી પર્યાયથી ગુણ ભિન્ન તત્ત્વ નથી. એમ સિદ્ધ થાય છે. વળી આ જ કારણથી ભગવંતોએ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય આમ બે જ નવો સૂચવ્યા છે ત્રીજો ગુણાર્થિકનય જણાવ્યો નથી. આ રીતે ગુણ-પર્યાયનો ભેદ નથી આ સિદ્ધ થયું. પરંતુ ગાથા આઠમીમાં જણાવેલો દ્રવ્યથી ગુણો એકાન્ત ભિન્ન માનવાનો જે મુદો છે. તે તો ઉભો જ રહે છે. તેનું નિરાકરણ બાકી જ રહે છે.
સારાંશ કે ગાથા ૯ થી ૧૫ માં ગુણ-પર્યાય વચ્ચે ભેદ નથી કથંચિ અભેદ છે આમ સિદ્ધ કર્યું. પરંતુ આઠમી ગાથામાં જે કોઈ દર્શનકારો ઘટ આધાર છે. અને જલ આધેય છે. તે બન્ને પદાર્થો જેમ ભિન્ન છે તેમ ઘટ-પટાદિ દ્રવ્યો આધાર છે અને વર્ણાદિ ગુણો આધેય છે આ રીતે દ્રવ્ય એ ગુણોનો આધાર અને ગુણો એ દ્રવ્યાશ્રિત હોવાથી ઘટ-જલની જેમ દ્રવ્યથી ગુણો એકાન્ત ભિન્ન જ છે આમ માને છે. અને પછી ગુણ-ગુણી ભાવનો સંબંધ ઘટાવવા માટે સમવાય સંબંધ લાવે છે તે દ્રવ્ય-ગુણ વચ્ચેના એકાન્તભેદનો મુદો તો ચર્ચવાનો બાકી જ રહી જાય છે. તેનું નિરસન ગાથા ૯ થી ૧૫ માં આવતું નથી. તથા ૯મી ગાથામાં કહ્યું હતું કે દ્રવ્યથી ગુણ એકાન્ત ભિન્ન નથી. તે વાત હમણાં દૂર રહો. આગળ ઉપર તે વિચારીશું તેથી હવે તે વિચાર કરવા માટે એકાન્તભેદનું નિરસન આ ૧૬મી ગાથામાં એકાન્ત અભેદવાદી જણાવે છે -
આઠમી ગાથામાં દ્રવ્યો આશ્રય છે અને ગુણો તેમાં આશ્રિત છે. સમવાયસંબંધથી દ્રવ્યમાં ગુણો વર્તે છે. આમ કહીને ઘટ-જલની જેમ જે કોઈ દર્શનકારો (નૈયાયિક અને વૈશેષિક તથા દિગંબરો) દ્રવ્ય-ગુણ વચ્ચે એકાન્ત ભેદ માને છે. તેનું નિયાયિક વૈશેષિકાદિનું) નિરસન કરતાં ભેદભેદ એમ ઉભયવાદી એવું જૈનદર્શન કંઈ પણ કહે તે પહેલાં એકાન્ત અમેદવાદી જ આ ભેદવાદીની સામે પોતાનો માનેલો અભેદપક્ષ કહે છે.
એકાન્તભેદવાદીની સામે તેનું ખંડન કરવા માટે એકાન્તઅભેદવાદીનું કથન ગાથા ૧૮માં ગ્રંથકારશ્રી રજુ કરે છે. ત્યારબાદ ગાથા ૧૯માં આ બન્ને એકાન્તવાદીઓના મતનું ખંડન ભેદભેદવાદી એવા ગ્રંથકારશ્રી પોતે જ રજુ કરશે. અને સાપેક્ષ ભેદભેદવાદ જ યથાર્થ છે. તે સિદ્ધ કરશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org