________________
૨૫૧
સન્મતિપ્રકરણ
કાષ્ઠ-૩ – ગાથા-૧૬ તે તે ગુણપણે અને તે તે પર્યાયપણે પરિણામ પામતું હોવાથી, દ્રવ્યના પ્રદેશ પ્રદેશે તે તે ગુણો અને પર્યાયો વ્યાપેલા હોવાથી, તથા “ઘડો લાલ છે” “આત્મા ચેતન છે” “આ ગોળ ગળ્યો છે” ઇત્યાદિ અભેદપ્રધાન વ્યવહાર થતો હોવાથી આ ત્રણેનો કથંચિત્ અભેદ પણ અવશ્ય છે જ. પાંચ તોલા સોનાનો હાર ઘડાવીએ ત્યારે જે સોનું છે. તે જ હારસ્વરૂપે પરિણામ પામે છે. માટે દ્રવ્યથી ગુણો અને પર્યાયો કથંચિત્ અભિન્ન છે. જો ભેદ હોત તો પાંચ તોલા સોનું અને પાંચ તોલાનો હાર, એમ મળીને ૧૦ તોલા વજન થવું જોઈએ. પણ આમ થતું નથી તેથી કથંચિત્ અભિન્ન પણ જરૂર છે જ. આ જ વાત પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં કહેલી છે. તે ગાથાઓ આ પ્રમાણે છે.
સ્વર્ણ કુંડલાદિક હુઉં જી, ઘટ રક્તાદિક ભાવ, એ વ્યવહાર ન સંભવઈ છે, જો ન અભેદ સ્વભાવ રે
ભવિકા ધારો ગુરુ ઉપદેશ. ૩-૩ બંધ દેશ ભેદ હુઈ જી, બિમણી ગુરુતા રે ખંધિ, પ્રદેશ ગુરુતા પરિણમઈજી, ખંધ અભેદહ બંધ રે.
ભવિકા, ધારો ગુરુ ઉપદેશ. ૩-૪ આમ જગતમાં સર્વે પણ પદાર્થો પોત પોતાના ગુણ અને પર્યાયથી કથંચિત્ ભિન્ન અને કથંચિ અભિન્ન છે. જગતનું આ જ સાચું વાસ્તવિક સ્વરૂપ છે. છતાં સાંખ્ય-નૈયાયિક વૈશેષિક (તથા દિગંબર) આદિ કેટલાક દર્શનકારો દ્રવ્યથી ગુણોને એકાન્ત ભિન્ન જ માને છે. અને તેમ એકાન્ત ભિન્ન માનવાથી વિવક્ષિત એવો ગુણ-ગુણી ભાવનો સંબંધ ઘટતો નથી. તે સંબંધ ઘટાવવા માટે વચ્ચે સમવાય સંબંધ લઈ આવે છે. અને તે પ્રમાણે દ્રવ્ય તથા ગુણોનો સમવાય સંબંધથી પરસ્પર સંબંધ થયેલો છે. આમ માને છે પણ તે ઘટતું નથી. કારણ કે સમવાય સંબંધ એક, નિત્ય અને વ્યાપક હોવાથી નિયત ગુણીની સાથે ગુણોનો સંબંધ કરવામાં અસમર્થ છે. તેવા એકાન્તભેદવાદનું નિરસન હવે પછીની ગાથામાં એકાન્ત અભેદવાદી કરે છે. તે જણાવે છે. ll૧૪-૧૫ll
એકાન્તભેદવાદનું નિરસન કરતાં એકાન્તઅમેદવાદી આ પ્રમાણે કહે છે - एगंतपक्खवाओ, जो उण दव्व-गुण-जाइभेयम्मि । अह पुव्वपडिक्कुट्ठो, उआहरणमित्तमेयं तु ॥ १६ ॥ પળાન્તપક્ષપાતો યઃ પુનર્વવ્ય-ગુણ-જ્ઞાતિ-ભેદ્દે ! अथ पूर्वप्रतिक्रुष्ट (प्रतिक्षिप्तः) उदाहरणमात्रमेतत्तु ॥ १६ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org