________________
૨૫૦
કાષ્ઠ-૩ – ગાથા-૧૪-૧૫
સન્મતિપ્રકરણ બે ત્રણ વસ્તુઓમાં જે કાળાવર્ણ સ્વરૂપ વર્ણપર્યાય વર્તે છે. તે વર્ણપર્યાયની જ તરતમતાસૂચક આ ગુણશબ્દ અધિકપણે વપરાયેલો છે. આ રીતે રસની તરતમતા, ગન્ધની તરતમતા, કે સ્પર્શની તરતમતા સૂચવવા સર્વત્ર આ ગુણશબ્દ વપરાય છે અને વર્ણાદિ ગુણોની જે આ તરતમતા છે, જે વિષમતા છે, જે હિનાધિકતા છે તે પણ તે તે વસ્તુનો એક જાતનો પર્યાય જ છે. તેથી આ ગુણશબ્દ પણ પર્યાય અર્થવાળો જ છે. પર્યાયથી ભિન્ન એવો ગુણ નામનો કોઈ પદાર્થ નથી. સારાંશ કે “પર્યાય” શબ્દથી સૂચવાતો જે અર્થ છે. તે જ અર્થને કહેનાર આ ગુણશબ્દ છે. પણ તેનાથી ભિન્ન એવો પદાર્થમાં રહેલો કોઈ જુદો ધર્મ હોય અને તેનો સૂચક ગુણ શબ્દ હોય, તેવું નથી.
ટીકામાં કહ્યું છે કે – યથા શપુ દ્રવ્યેષુ, ક્રિમિન્વી દ્રવ્ય દ્રશસ્તેિ શશીतिरेकेऽपि दशत्वं सममेव, तथैव एतदपि न भिद्यते - "परमाणुरेकगुणकृष्णादिः" इति एकादिशब्दाधिक्ये गुणपर्यायशब्दयोर्भेदः वस्तु पुनस्तयोस्तुल्यमिति भावः ॥
ઉપરોક્ત ચર્ચા અને મૂલગાથાનો પાઠ જોતાં સમજાય છે કે ધર્મ એવા મૂલપદાર્થને દ્રવ્ય” કહેવાય છે. અને તે દ્રવ્યમાં રહેલા સર્વે પણ ધર્મોને પછી તે ગુણ હોય કે ગુણોની હીનાધિકતા હોય કે રૂપાન્તરતા હોય, તે સર્વને પર્યાય કહેવાય છે. અને જે આ પર્યાયો છે તેને જ ક્રમભાવીપણે જોઈએ ત્યારે પર્યાય અને તેને જ સહભાવપણે જોઈએ ત્યારે ગુણ કહેવાય છે. જેમ કે કાળા-નીલા-ધોળા-પીળા અને લાલપણે જોઈએ ત્યારે ક્રમભાવિ હોવાથી પર્યાય અને તે પાંચને વર્ણપણે વિચારીએ ત્યારે સહભાવી હોવાથી ગુણ કહેવાય છે. સુરભિ દુરભિ પણે જોઈએ તો પર્યાય અને ગંધપણે વિચારીએ ત્યારે સહભાવી હોવાથી તે ગુણ કહેવાય છે. તેથી પર્યાયથી ગુણ એ સ્વતંત્ર ભિન્ન વસ્તુ નથી. આ રીતે ગુણ એ પર્યાયથી ભિન્ન નથી આ વાત પ્રથમ સિદ્ધ થઈ.
આવી જ રીતે તિક્ત-કટુ-કષાય-આસ્લક-મધુર પણે જોઈએ તો ક્રમભાવી હોવાથી પર્યાય કહેવાય છે. તે જ ભિન્ન ભિન્ન પાંચ પ્રકારના રસને માત્ર રસ પણે જોઈએ તો સહભાવી ધર્મ હોવાથી ગુણ કહેવાય છે. આ રીતે સર્વત્ર સમજવું. તેથી પર્યાયથી ગુણ એ ભિન્ન તત્ત્વ નથી. આ વાત બરાબર સિદ્ધ કરી.
હવે તે ગુણ, દ્રવ્યથી ભિન્ન છે કે અભિન્ન છે. તેની કંઈક વિચારણા કરીએ. જૈનદર્શનકારો દ્રવ્યથી ગુણને, દ્રવ્યથી પર્યાયને, ગુણથી પર્યાયને, અને ગુણથી દ્રવ્યને, પર્યાયથી દ્રવ્યને, તથા પર્યાયથી ગુણને ભિન્નભિન્ન જ કહે છે. અર્થાત્ કંઈક ભિન્ન અને કંઈક અભિન્ન છે. આમ કહે છે અને જગતમાં પણ આમ જ દેખાય છે. આધાર-આયભાવથી, સંજ્ઞાથી, સંખ્યાથી અને ઇન્દ્રિયગોચરતાથી કથંચિ ભેદ પણ જરૂર છે. તથા દ્રવ્ય પોતે જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org