SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૧૩ जंपन्ति अस्थि समये, एगगुणो दसगुणो अणंतगुणो । रूवाई परिणामो, भण्णइ तम्हा गुणविसेसो ॥ १३ ॥ जल्पन्त्यस्ति समये, एगगुणो दसगुणोऽनन्तगुणः । रूपादिः परिणामो, भण्यते तस्माद् गुणविशेषः ॥ १३ ॥ ગાથાર્થ - કોઈક કહે છે કે - “રૂપ-રસાદિનો પરિણામ એકગુણ-દશગુણ અને અનંતગુણ છે.” આવું શાસ્ત્રોમાં કહેવાય છે. તેથી પર્યાયથી ગુણ એ વિશેષવસ્તુ (ભિન્નવસ્તુ) છે. તે ૧૩ || | વિવેચન - કોઈક ભેદવાદી દર્શનકાર જુદા અર્થમાં લખાયેલા શાસ્ત્રપાઠને જુદા અર્થમાં લઈ જઈને પર્યાયથી ગુણ ભિન્ન માનવો જોઈએ. આવો પ્રશ્ન કરે છે - તે કહે છે કે રૂપ-રસ-ગંધ અને સ્પર્શાદિની બાબતમાં જૈન આગમ શાસ્ત્રોમાં “ગુણ” શબ્દ પણ વપરાયેલો જોવા મળે છે. જેમ વર્ણપર્યાય, ગંધાર્યાય, રસપર્યાય, સ્પર્શપર્યાય, જ્ઞાનપર્યાય, ચારિત્રપર્યાય, તપપર્યાય વિગેરે શબ્દોમાં પર્યાયશબ્દનો વ્યવહાર શાસ્ત્રોમાં દેખાય છે. તેવો જ “મુળાનંદુમુર્તિા '' (ભગવતીસૂત્ર પ-૭-૨૧૭) માં એકગુણકાલો, દ્વિગુણકાળો વિગેરે વાક્યપ્રયોગોમાં ગુણશબ્દના પ્રયોગનો વ્યવહાર પણ જૈન આગમશાસ્ત્રોમાં જોવા મળે જ છે. તો એમ કેમ કહો છો કે જૈન આગમશાસ્ત્રોમાં કેવલ એકલા પર્યાયશબ્દનો જ વ્યવહાર દેખાય છે. પણ ગુણશબ્દનો વ્યવહાર નથી દેખાતો. એકગુણો કાળો, બે ગુણો (બમણો) કાળો, ત્રિગુણ (ત્રણ ગણો) કાળો વિગેરે વાક્યોમાં ગુણશબ્દનો વ્યવહાર પણ થયેલો જોવા મળે છે. માટે ગુણ એ પર્યાયથી ભિન્ન તત્ત્વ છે. આવા પ્રકારના ગુણશબ્દથી યુક્ત એવા વાક્યપ્રયોગો પણ શાસ્ત્રમાં દેખાતા હોવાથી ભગવંતે જેમ પર્યાયાર્થિકનયની દેશના કરી છે. તેમ ભગવંતે ગુણાર્થિકનયની દેશના પણ કરેલી હોવી જોઈએ. આવો પ્રશ્ન કોઈ શિષ્ય ગુરુજીની સામે કરે છે. તેનો ઉત્તર હવે પછીની ગાથામાં ગુરૂજી પોતે આપે જ છે. વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ એ પુદ્ગલાસ્તિકાયના ગુણો છે. જ્ઞાનદર્શન-ચારિત્ર અને વીર્ય એ આત્મદ્રવ્યના ગુણો છે. આવા પ્રકારનું વિધાન તો શાસ્ત્રોમાં અનેક સ્થાને દૃષ્ટિગોચર થાય છે. માટે પર્યાયશબ્દની જેમ ગુણશબ્દનું વિધાન પણ જૈન આગમ સાહિત્યમાં અનેક સ્થાને છે જ. ટીકામાં કહ્યું છે કે - નત્પત્તિ વ્યTUત્વવાદ્રિ - વિદ્યતે ઇવ સિદ્ધાન્ત “મુવિના હુમુવિના' (માવતીસૂત્ર ૬-૭-૨૨૭) રૂત્યાદિ રૂપી વ્યારા:, तस्माद् रूपादिगुणविशेष एवेत्यस्ति गुणार्थिको नयः उपदिष्टश्च भगवतेति ॥ १३ ।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy