SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ કાડ-૩ – ગાથા-૧ ૨ ૨૪૫ સન્મતિપ્રકરણ આ કારણે જ ભગવતીજી આદિ સૂત્રોમાં ગૌતમસ્વામિજીના પ્રશ્નોના ઉત્તર સમયે પરમાત્મા મહાવીર પ્રભુએ વર્ણપર્યાય, ગંધ પર્યાય, રસ પર્યાય આવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. તથા લોકવ્યવહારમાં પણ આમ કહેવાય છે કે આ જીવનો ચારિત્રપર્યાય ઘણો લાંબો છે. આ જીવનો જ્ઞાનપર્યાય શ્રેષ્ઠ છે. આ જીવનો તપપર્યાય પ્રશંસનીય છે આમ સર્વત્ર ગુણોને પર્યાયશબ્દથી જ સંબોધ્યા છે. માટે ગુણો એ પર્યાયથી જુદા નથી. ગુણોનું જ પરિવર્તન થાય છે. અને તે ગુણો દ્રવ્યથી અભિન્ન હોવાના કારણે ગુણોની પરાવૃત્તિને જ દ્રવ્યપર્યાય કહેવાય છે. તેથી દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય આમ બન્ને ભિન્ન ભિન્ન નથી. પરમાત્માની વાણી ઉપર પ્રમાણે હોવાથી ગુણશબ્દનો પ્રતિપાદ્ય અર્થ પર્યાય જ થાય છે. ગુણોની પરાવૃત્તિને છોડીને દ્રવ્યના અન્ય કોઈ પર્યાયો સંભવતા જ નથી. દ્રવ્યના આશ્રયે ગુણોનું જે પરિવર્તન થાય છે. તેને જ દ્રવ્યપર્યાય કહેવાય છે. ટીકામાં કહ્યું છે કે - યતઃ પુનર્માવતી તસ્વિંતસ્મિન્સૂન્ને“વUOTSનવેëિ ધપવેટિં" (માવતી સૂત્ર ૨૪-૪-૧૨૩ ) રૂાવિના પર્યાયસંજ્ઞા નિયમિતા વUrfવિપુ નૌતમવિષ્ય: व्याकृतास्ततः पर्याया एव वर्णादयो न गुणा इत्यभिप्रायः ।। ११ ।। परिगमणं पजाओ, अणेगकरणं गुणत्ति तुल्लत्था । तह वि ण गुण त्ति भण्णइ, पजवणयदेसणा जम्हा ॥ १२ ॥ परिगमनं पर्यायोऽनेककरणं गुण इति तुल्यार्थौ । तथापि न गुण इति भण्यते, पर्यायनयदेशना यस्मात् ॥ १२ ॥ . ગાથાર્થ - પરિગમન એ પર્યાય અને અનેકકરણ એ ગુણ આ બન્ને શબ્દો તુલ્ય અર્થવાળા છે. તો પણ “આ ગુણ છે” આમ કહેવાતું નથી. કારણ કે પરમાત્માની દેશના પર્યાયાર્થિકનયની છે. / ૧૨ / | વિવેચન - પરિગમન એ પર્યાય અને અનેકકરણ એ ગુણ આ સર્વે પણ શબ્દો સમાન અર્થવાળા (એકાર્થક) છે. પરિવર્તન એટલે પરિગમન, નવા નવા રૂપે થવું તે પર્યાય, તથા વિવક્ષિત એવા એકદ્રવ્યને અનેક સ્વરૂપે કરવું તે અનેકકરણ એ ગુણ એટલે કે દ્રવ્યમાં રહેલા પ્રતિસમયે પલટાતા સહભાવી જે ધર્મો તે ગુણ. આમ શબ્દોથી પ્રતિપાદ્ય અર્થ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ તાત્ત્વિકપણે આ બન્ને શબ્દોથી વાચ્ય અર્થમાં અર્થભેદ હોતો નથી. કારણ કે પ્રતિસમયે દ્રવ્યનું પરિવર્તન થવું કહો કે નવા નવા સ્વરૂપે પલટાવું કહો, બન્ને એક જ છે. તથા દ્રવ્યનું નવા નવા સ્વરૂપે પરિણામ પામવાપણું જે છે તે જ દ્રવ્યને ભિન્ન ભિન્ન સ્વરૂપે અનેકપણે કરે છે. તથા દ્રવ્યમાં સહભાવી પણે રહીને જે ધર્મો પલટાતા રહે છે તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy