SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ કાડ-૩ – ગાથા-૯ સન્મતિપ્રકરણ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ રાસની ઢાળ ૨ માં ગાથા ૧૩ માં આ જ વાત કહી છે. તે ગાથા આ પ્રમાણે છે - जो गुण, दल पर्यवर्नु होवइ, तो द्रव्यइ स्युं कीजइ रे । શુ-પરિણામ પરંતર વન, ગુuT-પર્યાયે વદી નડું રે || ર-૩ | ટબો - કોઈ કહસ્યઈ “વ્યપર્યાય ગુણપર્યાય રૂપ કારય ભિન્ન છઈ, તે માઢિ દ્રવ્ય ૧, ગુણ ૨, રૂપ કારણ ભિન્ન કલ્પઈ” તે જૂઠું, જે માટિ કાર્યમાંહિ કારણ શબ્દનો પ્રવેશ છઈ. તેણઈ કારણભેદઈ કાર્યભેદ સિદ્ધ થાઈ. અનઈ કાર્યભેદ સિદ્ધ થયો હોઈ, તો કારણભેદ સિદ્ધ થાઈ. એ અન્યોન્યાશ્રય નામઈ દૂષણ ઉપજઈ. તે માટd ગુણ-પર્યાય જે કહઈ, તે ગુણ-પરિણામનો જે પટંતર-ભેદ કલ્પનારૂપ, તેહથી જ કેવલ સંભવઈ. પણિ પરમાર્થઈ નહીં. અનઈ એ ૩ નામ કહઈ છઈ તે પણિ ભેદોપચારઈ જ. ઈમ જાણવું. જો ગુણ એ પર્યાયનું દલ કહિતાં - ઉપાદાનકારણ હોઈ, તો દ્રવ્યઈ સ્યું, કીજઈ ? દ્રવ્યનું કામ ગુણઈ જ કીધઉં. તિ વારઈ ગુણ-પર્યાય પદાર્થ કહો. પણ ત્રીજો ન હોઈ. ઉપાધ્યાયજી મહારાજશ્રી આ ગાથામાં તથા તેના ટબામાં સ્પષ્ટ કહે છે કે જો ગુણ એ જ પર્યાયનું ઉપાદાનકારણ કહીએ, અર્થાત્ ગુણોમાં પણ સ્વતંત્રપણે પર્યાય પામવાની શક્તિ છે આમ કહીએ તો દ્રવ્ય શું કરશે ? દ્રવ્ય તો પર્યાય વિનાનું કેવલ એકલું ધ્રુવ અપરિણામી જ ઠરશે. કારણ કે દ્રવ્યનું જે કામ હતું. તે ગુણે જ કરી લીધું અને જો તેમ હોય તો ગુણ એ આધારભૂત મૂલ પદાર્થ, અને તેનું જે પરિવર્તન (અર્થાત્ આધારભૂત એવા ગુણમાં થતું રૂપાતર) તે પર્યાય આમ ગુણ-પર્યાય બે જ પદાર્થ થશે. પણ ત્રીજો દ્રવ્ય નામનો કોઈ પદાર્થ નહીં રહે. કારણ કે પર્યાય વિનાનું કેવલ એકલું ધ્રુવતાવાળું તત્ત્વ આ સંસારમાં કોઈ હોતું જ નથી. તથા વળી ૧ દ્રવ્યપર્યાય અને ૨ ગુણપર્યાય રૂપ કાર્ય ભિન્ન છે તે માટે દ્રવ્ય અને ગુણરૂપ કારણ પણ ભિન્ન છે આમ જે દિગંબરાનુયાયી લોકો કલ્પે છે તે જૂઠું છે. નરનારકાદિ તે દ્રવ્યપર્યાય અને મતિ-શ્રુતમાં જે વિશેષતા તે ગુણપર્યાય. આ પ્રમાણે પર્યાયાત્મક કાર્યનો ભેદ છે. તેથી તેના કારણરૂપે દ્રવ્ય-ગુણનો પણ ભેદ છે. આવી વાત દિંગબરાસ્નાય પ્રમાણે જે કરે છે તે વાત પણ જુદી છે. કારણ કે પર્યાયાત્મક કાર્યના ભેદથી દ્રવ્ય અને ગુણાત્મક કારણનો ભેદ સિદ્ધ થાય કે દ્રવ્ય અને ગુણાત્મક કારણના ભેદથી દ્રવ્યપર્યાય અને ગુણપર્યાયાત્મક કાર્યભેદ સિદ્ધ થાય. આ બન્ને બાબત પરસ્પર અન્યોન્યાશ્રય દોષવાળી છે. માટે દિગંબર આમ્નાયની આ વાત બરાબર નથી. પરંતુ ગુણ અને પર્યાયનો જે ભેદ છે તે પટંતર = કલ્પનાકૃત ભેદ છે. વાસ્તવિક ભેદ નથી. જેમ તેલની ધારા પડે છે. ત્યાં તેલ અને ધારા જુદી નથી. છતાં કલ્પનાથી ભેદ કહેવાય છે. તેમ અહીં કલ્પના કૃત ભેદ સમજવો પણ પરમાર્થે ભેદ નથી. પરમાર્થે તો દ્રવ્ય એ વાસ્તવિક તત્ત્વ છે અને તેના આશ્રયે તેમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy