________________
સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૮
૨૩૩ (૧) અસમાનગ્રહણ = રૂપગુણ ચક્ષુરિન્દ્રિયથી, રસગુણ રસનેન્દ્રિયથી, ગંધગુણ ધ્રાણેન્દ્રિયથી, અને સ્પર્શગુણ સ્પર્શનેન્દ્રિયથી આમ એક એક ગુણ એક એક ઇન્દ્રિયથી જ ગ્રહણ કરાય છે રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આ ચારે ગુણોમાંથી કોઈ પણ ગુણ એક ઈન્દ્રિય કરતાં વધારે ઈન્દ્રિયથી ગ્રહણ થતા નથી. જ્યારે તે તે ગુણોવાળું દ્રવ્ય ચક્ષુ અને સ્પર્શને આમ બે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે. જેમ કે ઘટ નામનું દ્રવ્ય ચક્ષુથી પણ જોઈ શકાય છે અને અંધકારમાં હોય ત્યારે સ્પર્શન (ચામડી) થી પણ જાણી શકાય છે. સાકર નામના દ્રવ્યનો મધુરાત્મક રસ, માત્ર રસનેન્દ્રિયથી જ ગ્રહણ કરાય છે. પરંતુ જે સાકરદ્રવ્ય છે. તે ચક્ષુથી જોવા દ્વારા અને સ્પર્શનથી સ્પર્શ કરવા દ્વારા જાણી શકાય છે. આમ સર્વત્ર સમજવું. સારાંશ કે ગુણો એક એક ઇન્દ્રિયગ્રાહ્ય છે. અને દ્રવ્ય બેઇન્દ્રિયગ્રાહ્ય છે. તેથી ગુણોથી દ્રવ્ય ભિન્ન છે. દ્રવ્યથી ગુણોનો અને ગુણોથી દ્રવ્યનો ભેદ માનવામાં આ એક યુક્તિ થઈ.'
(૨) અસમાનલક્ષણ = દ્રવ્ય અને ગુણનાં લક્ષણો ભિન્ન ભિન્ન છે. દ્રવ્યનું લક્ષણ છે કે- TUપર્યાયવ દ્રવ્યમ્ = જે ગુણ અને પર્યાયવાળું હોય, અર્થાત્ ગુણ અને પર્યાયનો જે આધાર હોય તેને દ્રવ્ય કહેવાય છે. આ દ્રવ્યનું લક્ષણ છે. જ્યારે દ્રવ્યાશ્રયા નિપુI TUT: = જે દ્રવ્યના આશ્રયે રહે અને સ્વયં નિર્ગુણ હોય તે ગુણ કહેવાય છે. આ ગુણનું લક્ષણ છે. દ્રવ્ય આધાર અને ગુણો આધેય, તથા દ્રવ્ય એ ગુણોવાળું, અને ગુણ એ સ્વયં નિર્ગુણ હોય છે. આમ દ્રવ્યનું અને ગુણનું લક્ષણ ભિન્ન ભિન્ન છે. તેથી સિદ્ધ થાય છે કે દ્રવ્યથી ગુણ અને ગુણથી દ્રવ્ય ભિન્ન ભિન્ન છે.
૧. ગુણોને એક-એક ઇન્દ્રિયગ્રાહ્ય અને દ્રવ્યને ચક્ષુ-સ્પર્શન એમ ઉભયેન્દ્રિયગ્રાહ્ય જે કહ્યા છે. તે તૈયાયિકવૈશેષિકોની માન્યતાનુસાર જાણવું. કારણ કે તેઓ દ્રવ્યનો બોધ સંયોગસન્નિકર્ષથી થાય છે. આમ માને છે. અને સંયોગસન્નિકર્ષ નેત્ર-સ્પર્શન અને મન આમ ત્રણ જ ઇન્દ્રિયનો થાય છે. તેમાં બાલ્વેન્દ્રિય નેત્ર-સ્પર્શન બે જ છે. આમ માને છે. તેથી પુદ્ગલ દ્રવ્ય નેત્ર-સ્પર્શન એમ ઉભયેન્દ્રિયગ્રાહ્ય છે. જ્યારે તેમાં રહેલા રૂપ-રસ ગંધસ્પર્શ નામના જે ગુણો છે. તે ગુણો તે તે ઇન્દ્રિયના સંયુક્ત સમવાય નામના બીજા ત્રિકર્ષથી જણાય છે. તેથી ગુણો ફક્ત એક જ ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે. આવી માન્યતા નૈયાયિક-વૈશેષિકોની છે. જૈનદર્શનની આવી માન્યતા નથી.
જૈનદર્શન આ બાબતમાં આમ કહે છે કે રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આ ચારે ગુણો, તેના દ્રવ્યથી એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન નથી. પરંતુ ભિન્નભિન્ન છે. તેથી જ્યારે કથંચિ ભિન્ન વિચારીએ ત્યારે રૂપ-રસાદિ ચારે ગુણો જ એક એક ઇન્દ્રિયોથી ગોચર થાય છે. દ્રવ્ય એક પણ ઇન્દ્રિયથી ગોચર થતું નથી. પરંતુ દ્રવ્ય અનુમાનથી જણાય છે. માટે અતીન્દ્રિય છે. પણ તૈયાયિકાદિ જેવું ઉભય ઇન્દ્રિયગ્રાહ્ય માને છે. તેવું ઉભયેન્દ્રિય ગ્રાહ્ય નથી. જેમ રસનાઈન્દ્રિયથી મધુર રસ જ જણાય છે. પણ સાકરદ્રવ્ય જણાતું નથી. મધુર રસ જણાવાથી સાકર દ્રવ્યનું અનુમાન થાય છે. ઘાણથી ગુલાબની ગંધ જ જણાય છે. ગંધ જણાયા પછી સુગંધના કારણે ગુલાબનું અનુમાન થાય છે. ચક્ષુથી લાલ-લીલું-પીળું રૂપ જ જણાય છે. રૂપ જણાવાથી તે તે ફુલો કે વસ્ત્રો વિગેરે હોવાનું અનુમાન થાય છે. સ્પર્શનઈન્દ્રિયથી શીતળતા અને ઉષ્ણતા જ જણાય છે અને શીતળતા તથા ઉષ્ણતા જણાવાથી જળ તથા અગ્નિનું અનુમાન થાય છે આ રીતે ગુણો જ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે. પણ ગુણી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org