SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ કાડ-૩ – ગાથા-૮ સન્મતિપકરણ કોઈ પણ દ્રવ્ય પોતાના અતીત - અનાગત પર્યાયોથી ભિન્નભિન્ન છે. તથા વર્તમાનકાલ સમાન દેખાતા પર્યાયવાળાં અનેક દ્રવ્યો પણ પરસ્પર ભિન્નભિન્ન છે. આ વાત સમજાવીને હવે સર્વે પણ દ્રવ્યો પોત પોતાના ગુણોથી પણ ભિન્નભિન્ન જ છે. પરંતુ એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન નથી જ. આ વાત સમજાવવા માટે જે કોઈ દર્શનકારો દ્રવ્યથી તેના ગુણોનો અને ગુણોથી તે તે દ્રવ્યનો એકાન્ત ભેદ જ માને છે. (તેનું ખંડન કરવા માટે) તેનો પૂર્વપક્ષ પ્રથમ રજુ કરે છે. रूवरसगंधफासा, असमाणग्गहणलक्खणा जम्हा । तम्हा दव्वाणुगया, गुणत्ति ते केइ इच्छंति ॥ ८ ॥ रूप-रस-गन्ध-स्पर्शा असमानग्रहणलक्षणा यस्मात् । तस्माद् द्रव्यानुगता “गुणा" इति ते केचिदिच्छन्ति ।। ८ ॥ ગાથાર્થ - જે કારણથી રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આ ગુણો દ્રવ્યથી અસમાન (ભિન્ન) પ્રમાણગ્રાહ્ય છે. તથા અસમાન (ભિન્ન) લક્ષણવાળા છે. તેથી દ્રવ્યને આશ્રિત (એટલે કે દ્રવ્યમાં રહેલા) છે. પરંતુ દ્રવ્યથી એકાન્ત ભિન્ન એવા આ ગુણો છે. આમ કોઈ કહે છે. || ૮ || વિવેચન - દ્રવ્યમાં જ રહેલા છે તે દ્રવ્યના ગુણો, તે તે દ્રવ્યથી એકાન્ત ભિન્ન જ છે. એમ કેટલાક માને છે. તેનું ખંડન કરીને દ્રવ્યથી પોતપોતાના ગુણો ભિન્નભિન્ન છે. તે સમજાવવા માટે ગ્રંથકારશ્રી પ્રથમ જે એકાન્ત ભિન્ન માને છે તેની માન્યતા (એટલે કે પૂર્વપક્ષ) રજુ કરે છે. આવું એકાન્ત ભિન્નત્વ કોણ માને છે ? તેનો મૂલમાં ઉલ્લેખ નથી. મૂલમાં તો હું શબ્દ લખીને કેટલાક દર્શનકારો એમ સામાન્ય નિર્દેશ કરેલ છે છતાં નૈયાયિક અને વૈશેષિક દર્શનકારો અહીં પ્રધાનપણે લેવા. કારણ કે તેઓ ગુણ-ગુણી, અવયવ-અવયવી, કાર્ય અને કારણ વચ્ચે એકાન્તભેદ માની સમવાયસંબંધ વડે સંબંધિતપણું માને છે. તથા દિગંબરો પણ સમજવા. તેઓ પણ ગુણ-ગુણીનો ભેદ માને છે. ટીકામાં કહ્યું છે કે વન વૈશેષિ :, સ્વયુધ્ધ વા સિદ્ધાન્તોનમજ્ઞા અગ્રુપત્તિ . ત્યાં પ્રથમ વૈશેષિકાદિનો પૂર્વપક્ષ કહે છે. આવા પ્રકારના એકાન્તભેદવાદી તૈયાયિક-વૈશેષિકોનું કહેવું એવું છે કે રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આ પુગલાસ્તિકાય દ્રવ્યના ગુણો છે. પરંતુ આ ચારે ગુણો, તથા તે ચારે ગુણોવાળું ગુણી એવું દ્રવ્ય, અસમાન (એટલે - ભિન્ન ભિન્ન) ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે. તથા અસમાન (એટલે ભિન્ન-ભિન્ન) લક્ષણવાળાં છે. તેથી ગુણોથી દ્રવ્ય અને દ્રવ્યથી ગુણ ભિન્ન જ છે. પણ અભિન્ન નથી. ગુણોથી દ્રવ્યને અને દ્રવ્યથી ગુણોને ભિન્ન કહેવામાં તેઓની પાસે મુખ્યપણે બે યુક્તિ છે. તે આ પ્રમાણે છે - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy