SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬). ભાગના વિદ્વાનો ગહન ચિંતન પછી એવા નિષ્કર્ષ ઉપર આવ્યા છે કે ગ્રંથકારશ્રી શ્વેતાંબર પરંપરા જોડે જ સંબંધ ધરાવે છે. પં. જુગલકિશોર મુખ્તાર ગ્રંથકારને દિગંબર પરંપરાના સિદ્ધ કરવા એવો તર્ક આપે છે કે - પખંડાગમની ધવલાટીકામાં જિનસેનકૃત હરિવંશપુરાણમાં અને રવિણકૃત પદ્મપુરાણમાં સમ્મતિનો ઉલ્લેખ હોવાથી ગ્રંથકાર દિગંબર પરંપરાના છે. રવિણ અને જિનસેન દિગંબરપરંપરાના નહીં પણ યાપનીય પરંપરાના છે. માટે ગ્રંથકાર યાપનીયપરંપરાના હોવા જોઈએ એવી દલીલ ડૉ. એ. એન. ઉપાધ્યાય અને ડૉ. કુસુમ પટોરિયા કરે છે. આ. સિદ્ધસેન દિવાકરનો સંબંધ શ્વેતાંબર પરંપરા જોડે હોવાનું માનવા માટે વિદ્વાનોએ જે પ્રમાણો આપ્યાં છે એનો ટુંકસાર આ પ્રમાણે છે - દિગંબર વિદ્વાનોની પ્રાકૃત ભાષાની તમામ રચના શૌરસેની પ્રાકૃતમાં છે. “સમ્મતિ'માં યશ્રુતિ છે. આની રચના મહારાષ્ટ્રપ્રાકૃતમાં છે. દિગંબર પરંપરાના કોઈ પણ ગ્રંથમાં આ. સિદ્ધસેનજીનું જીવન ચરિત્ર નથી. શ્વેતાંબર પરંપરામાં કહાવલી (આ. ભદ્રેશ્વરસૂરિ કૃત), પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ, ચતુર્વિશતિપ્રબંધ વગેરેમાં શ્રી સિદ્ધસેન દિવાકરજીનું વિસ્તૃત જીવનચરિત્ર ઉપલબ્ધ થાય છે. પાંચમી બત્રીસીમાં પ્રભુવીરની સ્તુતિ કરતાં યશોદાપ્રિય' તરીકે ઉલ્લેખ છે જે શ્વેતાંબરપરંપરા જોડે જ બંધ બેસે છે. દિગંબરો પ્રભુ મહાવીર અવિવાહિત હતા એવું માને છે. સન્મતિતર્કપ્રકરણની હસ્તલેખિત પ્રતો વિપુલ પ્રમાણમાં જૈન શ્વેતાંબર જ્ઞાનભંડારોમાં જ મળે છે. અનેક શ્વેતાંબર આચાર્યોએ આ. સિદ્ધસેનને પોતાના સંપ્રદાયના સ્પષ્ટપણે નિર્દિષ્ટ કર્યા છે. કોઈ દિગંબર ગ્રંથકારે આવું કર્યું નથી. • સન્મતિતર્કપ્રકરણમાં નયના ભાંગા વગેરે સ્થળે પંચમાંગ ભવતીસૂત્ર અને દ્વિતીયાંગ સ્થાનાંગસૂત્રનો ઉલ્લેખ છે. દિગંબરો આગમોને માન્ય કરતા નથી. ગુણપર્યાયની ચર્ચામાં પણ આગમનું અનુસરણ ગ્રંથકારે કર્યું છે. આવા અનેક કારણો છે કે સિદ્ધસેન દિવાકર શ્વેતાંબર પરંપરા જોડે સંકળાયેલા છે એવું તટસ્થ આધુનિક વિદ્વાનો એકી અવાજે સ્વીકારે છે. સન્મતિતર્કપ્રકરણ ઉપર આ. અભયદેવસૂરિજીની વિસ્તૃત ટીકા અને એના આધારિત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy