________________
(૨૫) બીજા કાંડમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ઉપયોગ ક્રમથી કે યુગપત્ર માનવામાં દોષ બતાવી અભેદવાદનું સ્થાપન કર્યું છે. મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાનમાં જ્ઞાન અને દર્શનનો ભેદ હોય પરંતુ કેવલજ્ઞાનમાં આવો ભેદ ન હોય એવા આચાર્ય સિદ્ધસેન દિવાકરજીના મતને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગણીએ “સિદ્ધસેનોપજ્ઞનવ્યતે' તરીકે “જ્ઞાનબિંદુમાં વિશેષણ આપ્યું છે અને એનું સમર્થન પણ કર્યું છે.
ત્રીજા કાંડમાં અનેકાંતવાદનું નિરૂપણ કરતી વખતે અનેક એકાંતવાદી દર્શનોની સમીક્ષા કરી છે.
ટીકાઓ : “સમ્મતિતર્ક' ઉપર ધુરંધર વિદ્વાન મલવાદીજીએ ટીકા રચ્યાનું અનેકાંતવાદ'માં આ. હરિભદ્રસૂરિએ નોંધ્યું છે. પણ કમભાગ્યે આ ટીકા મળતી નથી.
એવી જ રીતે આ જ સન્મતિ દ્વારા રચાયેલ “સન્મતિ વિવરણ'નો ઉલ્લેખ દિગંબર પરંપરાના વાદિરાજના પાર્શ્વનાથચરિતમાં છે પરંતુ એ પણ અનુપલબ્ધ છે.
બૃહદ્દીપનિકામાં એક અજ્ઞાત કર્ણક ટીકાનો ઉલ્લેખ છે પણ એની પણ જાણકારી મળી શકી નથી.
આચાર્ય શ્રી અભયદેવસૂરિજીએ રચેલી પચીસ હજાર શ્લોકપ્રમાણ ટીકા જ વર્તમાનમાં “સમ્મતિતર્ક ઉપરની એક માત્ર વ્યાખ્યા છે. આ ટીકામાં ગ્રંથકારે અનેક દાર્શનિક ચર્ચાઓ કરી છે. એમના સમય સુધીનો દર્શન-શાસ્ત્રનો ઈતિહાસ જાણવાનું ઉત્તમ સાધન આ ટીકા છે. એટલે “વાદ-મહાર્ણવ' એનું નામ તદન યથાર્થ છે.
ગ્રન્થકાર : “સિદ્ધસેન' નામના ઘણા આચાર્ય ભગવંતો થયા છે. પ્રસ્તુત ગ્રન્થના ગ્રન્થકારશ્રી દિવાકર એવા વિશેષણથી વિશિષ્ટ આ સિદ્ધસેનજી છે એ જાણીતું છે.
દિવાકર વિશેષણ આ. હરિભદ્રસૂરિજીએ આપ્યું છે. પંચવસ્તુ (ગાથા ૧૦૪૮) માં તેઓશ્રી જણાવે છે કે -
आयरियसिद्धसेणेण सम्मईए पइट्ठिअजसेणं । दूसमणिसा-दिवाकरकप्पंतणओ तदक्खेणं ॥
આ પૂર્વે દ્વાદશાનિયચક્રમાં મલવાદીજીએ અને ચૂર્ણિમાં જિનદાસગણિમહત્તરજીએ સિદ્ધસેનાચાર્યનો ઉલ્લેખ કર્યો છે પરંતુ દિવાકર વિશેષણ ત્યાં નથી.
આ. હરિભદ્રસૂરિ પછી તો આ વિશેષણ એટલું બધું વ્યાપક બન્યું છે કે આજે એ ગ્રંથકારના નામનો ભાગ કે પર્યાય બની ગયું છે.
પરંપરા : “સન્મતિતર્ક” શ્વેતાંબર અને દિગંબર બને પરંપરામાં માન્ય છે એટલે આ. શ્રી સિદ્ધસેન દિવાકરજીને બને પોતાની પરંપરાના માને તે સ્વાભાવિક છે. પરંતુ મોટા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org