________________
શ્રી જિનાય નમ: શ્રી સિદ્ધિ વિનય-ભદ્ર-જનક-વિલાસ-૩ૐકારસૂરિભ્યો નમ:
- આવકાર
–આ. વિજયમુનિચન્દ્રસૂરિ जेण विणा लोगस्स ववहारो सव्वहा ण णिव्वडइ ।
तस्स भुवणेक्कगुरुणो णमोऽणेगंतवायस्स ॥ સમ્મતિતર્ક પ્રકરણ” અનેકાંતની વિશદ ચર્ચા કરતી અનૂઠી કૃતિ છે. આચાર્ય સિદ્ધસેન દિવાકરજીની આ કૃતિ “તત્ત્વાર્થસૂત્ર” ની જેમ શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયોમાં માન્ય થયેલી છે.
સમ્મતિતર્ક પ્રકરણ : શ્વેતાંબર પરંપરામાં સેંકડો વર્ષોથી “સમ્મતિતર્ક પ્રકરણ' દર્શન પ્રભાવક ગ્રંથ તરીકે જાણીતો છે. આ ગ્રંથનું અધ્યયન સ્વ-પર દર્શનના સિદ્ધાંતો સમજવા માટે ઘણું જ જરૂરી હોવાથી એનો અભ્યાસ કરવા અકથ્યનું સેવન કરવું પડે તો પણ પ્રાયશ્ચિત્ત લાગતું નથી એવું ચૂર્ણિકાર ભગવંતે (નિશીથ ભા.ગા. ૪૮૪) સ્પષ્ટ જણાવ્યું છે.
સમ્મતિતર્ક ગ્રંથમાં ત્રણ કાંડ અને ૧૬૭ ગાથા છે. ૧૬૬ મી ગાથા ઉપર ટીકા નથી એટલે એ ગાથા પ્રક્ષિપ્ત મનાય છે.
ત્રણ કાંડના નામ ગ્રંથકારે આપ્યા જણાતા નથી. કોઈ પ્રકાશનમાં પ્રથમ કાંડનો નયકાંડ, બીજાનો જીવકાંડ તરીકે ઉલ્લેખ મળે છે પણ ડૉ. પ્રકાશ પાંડેયના મતે નયકાંડ, જ્ઞાનકાંડ અને શેયકાંડ નામ અપાય તો એ ગ્રંથના વિષયને અનુરૂપ ગણાય.
સમ્મતિ તર્ક વિષે અને ગ્રંથકાર આ. સિદ્ધસેન દિવાકરજી વિષે ઘણાં વિદ્વાનોએ લખ્યું છે. ડૉ. પ્રકાશ પાંડેયએ આ બધાની ચર્ચા “સિદ્ધસેન દિવાકર વ્યક્તિત્વ એવં કૃતિત્વ' માં કરી છે. પાર્શ્વનાથવિદ્યાપીઠ વારાણસીથી પ્રગટ થયેલા આ પુસ્તકની ભૂમિકામાં ડૉ. સાગરમલ જૈને પણ કેટલીક ચર્ચા કરી છે. આ પુસ્તકના આધારે અહીં કેટલીક ઉપયોગી બાબતો જોઈએ.
સમ્મતિવમાં ‘' શ્રુતિ છે માટે એની રચના ઉત્તર કે પશ્ચિમ ભારતમાં થયેલી હોવી જોઈએ એમ ડૉ. નેમિચન્દ્રનું માનવું છે.
ગ્રંથના પ્રથમકાંડમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયોનું વિવેચન છે. અહીં ગ્રંથકારશ્રીએ નૈગમ સિવાયના સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ છે નયોનો સમાવેશ કર્યો છે. પ્રથમના બેનો દ્રવ્યાર્થિકમાં અને શેષ ચારેનો પર્યાયાર્થિક નયમાં સમાવેશ કર્યો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org