________________
(૨૩) તરફથી પણ આર્થિક સહયોગ આ ટ્રસ્ટને મળેલ છે. તેમાંથી પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજશ્રીને યથોચિત આ પુસ્તક ભેટ અપાશે. તથા પૂ. જયન્તસેનસૂરીશ્વરજી મ.સા.ની શુભપ્રેરણાથી શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય છે. મૂર્તિ. ત્રિસ્તુતિક જૈન સંઘ સુરત તરફથી ૨૦૦ કોપી નોંધાવીને આ સંઘ તરફથી આ ટ્રસ્ટને આ રીતનો સહયોગ મળેલ છે. આ સર્વે સહાયકોનો હું ઘણો આભાર માનું છું. તથા પૂજ્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી કોબાના જ્ઞાનભંડારમાંથી હસ્તલેખિત ટીકાની પ્રતની પુરેપુરી ઝેરોક્ષ કોપી કાઢી આપીને તે ભંડારે મને સહાય કરી છે. અમદાવાદ તપોવનના જ્ઞાનભંડારે હિન્દી વિવેચન ભાગ-૧-૨-૫ આપીને તથા શ્રી નેમિવિજ્ઞાનકડુરસૂરિ જૈન જ્ઞાનમંદિર સુરતે વાદમહાર્ણવ ટીકાના “૧ થી ૫” પાંચ ભાગો આપીને આ લખાણમાં સારી એવી સહાય કરી છે. આ સર્વે પુસ્તકદાતા સહાયકોનો હું હૃદયના ભાવપૂર્વક ઘણો જ આભાર માનું છું.
સુંદર છાપકામ, બાઈડીંગ, તથા ટાઈપસેટીંગ વિગેરે કામકાજ બદલ ભરત ગ્રાફિક્સ, અમદાવાદ પ્રેસના માલિક શ્રી ભરતભાઈ, મહેન્દ્રભાઈ તથા તેમના સ્ટાફનો પણ આભાર માનું છું.
લિ
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
A/૬૦૨, પાર્થદર્શન કોમ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯. (Gujarat, India) ફોન : (૦૨૬૧) ૨૭૬૩૦૭૦, મો : ૯૮૯૮૩૩૦૮૩૫
Julilu.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org