SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ કાષ્ઠ-૩ – ગાથા-૬ સન્મતિપ્રકરણ છે. પણ તે જ કુંડલ દ્વિગુણ પીળાશ, ત્રિગુણપીળાશ, ચારગુણપીળાશને આશ્રયી તેવું નથી. માટે તેવા પર્યાયને આશ્રયી નાસ્તિસ્વરૂપ પણ છે. આમ અસ્તિ-નાસ્તિ ઉભયસ્વરૂપ હોવાથી ભજનાગતિવાળું છે. તેવી જ રીતે વિવક્ષિત એકઘટમાં જે રક્તતા છે. તે રક્તતા બધા ઘટમાં નથી અને બીજા ઘટમાં જે રક્તતા છે તે રક્તતા વિવક્ષિત ઘટમાં નથી. આ રીતે સર્વે પણ દ્રવ્યોમાં પોતપોતાના ગુણોની હિનાધિકતાના કારણે વર્તમાનકાલીન એવા એક અર્થપર્યાયમાં સમાન તરીકે ભાસતા અનેક પદાર્થોમાં પણ ભેદ હોય છે. અસ્તિ-નાસ્તિ ઉભયસ્વરૂપ હોય છે. આ જ પ્રમાણે વિવક્ષિત એવો એક ઘટ પણ પોતાની ઉત્પત્તિથી પોતાના વિનાશ સુધી ઘટપણે ઉર્ધ્વતા સામાન્ય હોવા છતાં પણ પ્રતિસમયે હીનાધિક રક્તતા આદિ ગુણોને લીધે એકગુણરક્તતા ઇત્યાદિ રૂપે અનંતગુણ રક્તતા સુધીના વર્ણાદિના ભેદને અનુસારે અનેક વિશેષો વાળો બને છે. કોઈ પણ એક સ્વરૂપે અસ્તિ છે અને શેષ સ્વરૂપે નાસ્તિ છે. આમ ભજનાગતિવાળું દ્રવ્ય છે. આ રીતે પ્રતિસમયે સ્વરૂપ બદલાતું હોવાથી સમયભેદે પરિણામભેદ હોવાથી પૂર્વકાલીન સમયોના અને ઉત્તરકાલીન સમયોના અર્થપર્યાયોથી વર્તમાનકાલીન અર્થપર્યાય ભિન્ન છે. તથા એક જ કાલે વર્તતા એક જ સરખા આકારવાળા અનેક કુંડલોમાં અને અનેક ઘટમાં પણ એકગુણપીતતા દ્વિગુણપીતતા ત્રિગુણપીતતા ઇત્યાદિ રૂપે વર્ણ-ગંધરસ અને સ્પર્શને આશ્રયી અનેક જાતનો ભેદ હોય છે. જીવાદિ દ્રવ્યમાં પણ પોત પોતાના ગુણોની હીનાધિકતા પ્રમાણે અર્થપર્યાયને આશ્રયી દ્રવ્ય ભિન્ન ભિન્ન કહેવાય છે. વિવક્ષિત એવા એક અર્થપર્યાય રૂપે અસ્તિ છે અને શેષ અર્થપર્યાયો રૂપે નાસ્તિ છે. માટે સર્વે પણ દ્રવ્યો વર્તમાનકાલના પર્યાયમાં પણ વર્તમાન પર્યાય આશ્રયી અસ્તિ અને અતીત-અનાગત પર્યાયને આશ્રયી નાસ્તિ એમ ભજનાગતિવાળું દ્રવ્ય છે. એક સરખા સમાન આકારવાળા પદાર્થોમાં પણ શ્વેત-નીલ-પીત-રક્ત-કૃષ્ણ એમ પાંચ પ્રકારના વર્ષોની, સુગંધ-દુર્ગધ એમ બે પ્રકારની ગંધની, તિક્ત-મધુર-કટુ-કષાય અને આમ્લ એમ પાંચ પ્રકારના રસની, મૃદુ-કર્કશ, શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂક્ષ, ગુરૂ-લઘુ એમ આઠ પ્રકારના સ્પર્શની તથા ચોરસ-ત્રિકોણ, ગોળ, લંબગોળ અને ષટ્કોણ આમ પાંચ પ્રકારના સંસ્થાનની કંઈક કંઈક હીનાધિકતા પ્રમાણે સમાન વસ્તુમાં પણ અવશ્ય ભેદ હોય છે. જ્યાં જ્યાં દ્રવ્યનો ભેદ છે ત્યાં ત્યાં પર્યાયનો ભેદ પણ અવશ્ય છે. કાચો ઘટ કૃષ્ણ હોય છે. જલાધારને માટે અયોગ્ય હોય છે. ભટ્ટામાં પકવતાં તે જ ઘટ રક્ત બને છે અને જલાધારને યોગ્ય બને છે. આ રીતે ઉત્પત્તિથી વિનાશ સુધી ઘટપણે અભેદ છતાં કાચા-પાકાપણે, કૃષ્ણ-રક્તપણે, અને જલાધારને અયોગ્ય-યોગ્યપણે ભેદ પણ અવશ્ય છે જ. કૃષ્ણ એવા કાચા ઘટમાં પણ અને પક્વ એવા રક્ત ઘટમાં પણ સમયે સમયે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy