SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૬ | વિવક્ષિત એવા કુંડલમાં જે કુંડલાકારપણાનો દીર્ઘ કાલવર્તી પર્યાય છે તે વ્યંજનપર્યાય છે. વિવક્ષિત એવા એક ઘટમાં જે દીર્ઘકાલવર્તી ઘટાકાર પર્યાય છે તે વ્યંજનપર્યાય છે પરંતુ તે કુંડલમાં અને તે ઘટમાં પ્રતિસમયે પુરણ-ગલનાદિના કારણે જે પરિવર્તન થાય છે તેમાંનો એક સમયવર્તી કોઈ પણ પર્યાય તે અર્થપર્યાય કહેવાય છે. પ્રથમ સમયે જે કુંડલ કે ઘટ છે તે કુંડલ કે તે ઘટ બીજા સમયે તેવું રહ્યું નથી. બીજા સમયે જે સ્વરૂપ છે તે ત્રીજા સમયે રહ્યું નથી. આમ અર્થપર્યાયો એક એક સમયવર્તી હોય છે. પરંતુ તે અર્થપર્યાયો એકસમય માત્રવતી હોવાથી વચનોચ્ચારણયોગ્ય નથી માટે વ્યંજનપર્યાય કહેવાતા નથી. ઉત્પત્તિકાલથી વિનાશકાલ સુધી સરખી જણાતી વસ્તુ પણ પ્રત્યેક સમયના અર્થપર્યાયની દૃષ્ટિએ ભિન્ન ભિન્ન છે. અર્થાત્ વિશેષ છે. ઉર્ધ્વતા સામાન્યથી જે સમાન (સામાન્ય) ભાસે છે. તેવા કુંડલમાં અને ઘરમાં પ્રતિસમયના અર્થપર્યાયથી વિશેષ - વિશેષ પણ છે આ વાત જણાવી. ઉર્ધ્વતાસામાન્યમાં વિશેષ સમજાવીને હવે તિર્યક્ષામાન્યમાં પણ વિશેષ છે. તે સમજાવે છે તિર્યસામાન્યથી સમાન જણાતા વર્તમાનકાલવર્તી અનેક કુંડલોમાં કુંડલાકારપણે જે સમાનતા છે. તેમાં પણ એકગુણ પીળાશ, દ્વિગુણ પીળાશ, ત્રિગુણ પીળાશ ઇત્યાદિ રૂપે ભિન્ન ભિન્ન એવું જે દ્રવ્યસ્વરૂપ છે. તે વિશેષ છે. આમ તિર્યસામાન્યમાં પણ વિશેષ-વિશેષ છે તે હવે સમજાવે છે. પ્રવૃUUU િવિઝિયમ = પ્રત્યુત્પન્નકાલ એટલે વર્તમાનકાલ, વર્તમાનકાળે જે કુંડલાકારપણે પરિણામ પામેલાં હજારો કુંડલો છે તથા ઘટાકારપણે બનેલા હજારો ઘડો છે તેમાં કુંડલાકારતા અને ઘટાકારતા સમાન હોવા છતાં પણ એટલે કુંડલાકારપણે અને ઘટાકારપણે અસ્તિસ્વરૂપ હોવા છતાં પણ તેમાંના એક કુંડલમાં સોનાની જે પીળાશ છે તેવી પીળાશ બીજા કુંડલમાં નથી. બીજા કુંડલમાં જે પીળાશ છે તેવી પીળાશ ત્રીજા કુંડલમાં નથી કાં તો અધિક પીળાશ છે. અથવા કાં તો હીન પીળાશ છે. એવી જ રીતે એક ઘટમાં જે રક્તવર્ણ છે તે બીજા ઘટમાં નથી. બીજા ઘટમાં જેવો રક્તવર્ણ છે તેવો ત્રીજા ઘટમાં નથી. પણ હીનાધિક છે. આ પ્રમાણે વર્ણમાં, ગંધમાં, રસમાં, સ્પર્શમાં ઇત્યાદિ કોઈ પણ ગુણમાં એકગુણ (એક ગણો) વર્ણાદિ છે કોઈમાં દ્વિગુણ (બમણો) વર્ણાદિ છે. કોઈમાં ત્રિગુણ (ત્રણ ગણો) વર્ણાદિ છે. આમ “|UITયા સાંતUા મુવિસ'' એકગુણપીતતા, એકગુણરક્તતા, ઈત્યાદિથી પ્રારંભીને અનંતગુણ પીતતા, અનંતગુણરક્તતા સુધીના વદિ સંબંધી અનંતભેદોને (વિશેષોને) આશ્રયી આ દ્રવ્ય દ્રવ્યું માનવું પડે = ભજના ગતિવાળું બને છે. અર્થાત્ બધાં જ કુંડલ સોનાનાં હોવાથી પીળાં હોવા છતાં પણ જે કુંડલ એકગુણ (એકગણી) પીળાશવાળું છે તે એક ગુણપીળાશને આશ્રયી અસ્તિસ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy