SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૫ ૨ ૨૫ છે. આ રીતે ત્રીજા સમયમાં વર્તતો તે જ ઘટ, પ્રથમ અને દ્વિતીય સમયગત અર્થપર્યાયની અપેક્ષાએ અને ચતુર્થાદિ સમયગત અર્થપર્યાયની અપેક્ષાએ નાસ્તિસ્વરૂપ છે. દેવદત્ત નામનો પુરૂષ, જન્મથી મરણપર્યત દેવદત્તસ્વરૂપે હોવા છતાં પણ, પ્રથમ દિવસે એક દિવસના વયપર્યાયપણે અસ્તિ છે. પરંતુ બે દિવસ કે ત્રણ દિવસની વયપર્યાયપણે નાસ્તિ છે. બીજા દિવસે બે દિવસની વયપર્યાયપણે અસ્તિ છે. પરંતુ એક દિવસની વયપર્યાયપણે કે ત્રણ-ચાર દિવસની વયપર્યાયપણે નાસ્તિ છે. આ રીતે જોતાં બાળકમાંથી યુવાન થયેલો દેવદત્ત હવે બાલપર્યાય રૂપે અને ભાવિના વૃદ્ધ પર્યાયરૂપે નાસ્તિ છે. તેથી જ યુવાવસ્થામાં વર્તતો દેવદત્ત બાલચેષ્ટા કે વૃદ્ધચેષ્ટા કરતો નથી. આ રીતે એક એક સમયના અર્થપર્યાયની અપેક્ષાએ વિવક્ષિત કોઈ પણ દ્રવ્ય તે સમય પુરતું જ તે સ્વરૂપે અસ્તિસ્વરૂપ છે. શેષ સર્વ અતીત-અનાગત સમયોમાં વિવક્ષિત એવા અર્થપર્યાયની અપેક્ષાએ નાસ્તિસ્વરૂપ છે. જે ઘટ છે તે રચનાથી વિનાશકાલ સુધી ઘટ હોવા છતાં પણ નવો છે ત્યારે જુનો નથી અને જુનો છે ત્યારે નવો નથી. જે દેવદત્ત છે. એ જન્મથી મરણ સુધી દેવદત્ત હોવા છતાં પણ બાળક છે ત્યારે યુવાન અને વૃદ્ધ નથી. યુવાન છે ત્યારે બાળક અને વૃદ્ધ નથી. તથા વૃદ્ધ છે ત્યારે બાળક અને યુવાન નથી. આ રીતે સમય સમયના અર્થપર્યાયની અપેક્ષાએ તે તે પદાર્થો માત્ર એક સમય પુરતા જ વિવક્ષિત સ્વરૂપે અસ્તિ છે. શેષ સઘળા ય સમયોમાં આવનારા અથવા આવેલા અર્થપર્યાયોની અપેક્ષાએ તે નાસ્તિસ્વરૂપ પણ છે. ટીકામાં કહ્યું છે કે - મચવતુમાતા પર્યાય વિશ-દુતિયા gિuRI:, તત્ર विसदृशैर्विवक्षितो घटादिनॆवास्ति, सदृशैस्तु कैश्चिदुक्तवदस्ति, कैश्चिन्नेति तात्पर्यार्थः । આ પ્રમાણે વિવક્ષિત એવું કોઈ પણ એક દ્રવ્ય અસદેશબુદ્ધિજનક (અર્થાત્ વિજાતીય) એવા પરપર્યાયોથી તો સદાકાલ અવશ્ય નાસ્તિ સ્વરૂપ છે. પરંતુ સદેશબુદ્ધિજનક એવા (સજાતીય) પર્યાયોની વિવક્ષામાં પણ જો વ્યંજનપર્યાયોની વિરક્ષા કરીએ તો અસ્તિ સ્વરૂપ છે અને જો સમય-સમયના (એટલે કે પ્રતિસમયે પલટાતા એવા) અર્થપર્યાયની અપેક્ષા લઈએ તો અતીત અનાગત પર્યાયની અપેક્ષાએ નાસ્તિસ્વરૂપ અને માત્ર વર્તમાન એકસમયના પર્યાયની અપેક્ષાએ અસ્તિસ્વરૂપ દ્રવ્ય છે. તેથી અર્થપર્યાયની વિવક્ષાએ ભજનાગતિવાળું (એટલે કે અસ્તિ અને નાસ્તિ એમ ઉભયસ્વરૂપવાળું) દ્રવ્ય છે. આમ સમજીને જ વર્તમાનપર્યાયમાં વર્તતા દ્રવ્યમાં ભૂત-ભાવિના પર્યાયો સત્તાગત રીતે સત્ હોવા છતાં પણ આવિર્ભતપણે તે નથી એમ સમજીને જ તેની સાથેના તે તે પર્યાયો સંબંધી વ્યવહારો વર્તમાનકાલ થતા નથી. / ૫ II Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy