________________
૨૨૪ કાષ્ઠ-૩ – ગાથા-૫
સન્મતિપ્રકરણ ઉત્તર - વ્યંજનપર્યાય અને અર્થપર્યાય કોને કહેવાય? તે વિષય પ્રથમ કાષ્ઠની ગાથા ૩૦-૩૧ માં આવી ગયો છે. સદેશતાની બુદ્ધિને ઉત્પન્ન કરનારો અને ઘણા લાંબા કાળ સુધી રહેનારો એવો જે પર્યાય તે વ્યંજનપર્યાય કહેવાય છે. જેમ કે ઘટ જ્યારથી બન્યો છે ત્યારથી માંડીને જયાં સુધી ફુટે નહી ત્યાં સુધી ઘટને “આ ઘટ છે - આ ઘટ છે - આ ઘટ છે” એમ સદેશતાવાળી જ બુદ્ધિ થાય છે. એમ સમજીને જ તેના શબ્દવ્યવહાર, આદાન પ્રદાનના વ્યવહાર અને કાર્ય કરવાના વ્યવહારો થાય છે. તેથી રચનાથી વિનાશ સુધી લાંબોકાળ રહેનારો જે ઘટપણાનો પર્યાય છે. તે વ્યંજન પર્યાય કહેવાય છે. દેવદત્ત નામનો માણસ જન્મથી મરણપર્યન્ત જે દેવદત્ત કહેવાય છે તથા આ દેવદત્ત છે એમ સમજીને જ તેની સાથે સઘળા વ્યવહારો થાય છે. તે વ્યંજનપર્યાય કહેવાય છે. આ રીતે ગાયમાં રહેલો ગાય પર્યાય, પશુમાં રહેલો પશુ પર્યાય, માનવમાં રહેલો માનવ પર્યાય ઇત્યાદિ દીર્ઘકાલવતી જે જે પર્યાયો છે તે સઘળા વ્યંજનપર્યાય છે. આવા પ્રકારના વ્યંજનપર્યાયની અપેક્ષાએ સઘળા પણ પદાર્થો રચનાથી વિનાશકાલ સુધી અસ્તિસ્વરૂપ છે.
સદશતાબુદ્ધિજનક પર્યાય ભલે હો પરંતુ તેમાં એકસમય માત્ર વર્તતો જે પર્યાય તે અર્થપર્યાય છે. ઘટની રચનાના કાલથી ઘટના વિનાશના કાલ સુધી ઘટપણું રહેલું હોવા છતાં પણ સમયે સમયે પુદ્ગલપરમાણુઓનું પુરણ-ગલન તેમાં થયા જ કરે છે. તથા વળી ક્યારેક ઘી ભરાય છેક્યારેક પાણી ભરાય છે તો ક્યારેક તેલ ભરાય છે. ક્યારેક તે જુનો થાય છે તો ક્યારેક તે નવો હોય છે. ક્યારેક તે કાચો છે તો ક્યારેક તે પક્વ છે. ક્યારેક તે ઘટ કૃષ્ણ છે. તો ક્યારેક તે શ્વેત છે. તો ક્યારેક તે ઘટ રંગ-બેરંગી છે. આ રીતે વિચારતાં એક એક સમયે તે તે ઘટમાં કંઈક કંઈક બદલાવાપણું પણ છે જ. તેથી કોઈ પણ એક સમયમાં તે ઘટનું જે જાતનું ઘટપણું છે. તે જાતનું ઘટપણે બીજા સમયે નથી અને બીજા સમયે જે પ્રકારનું ઘટપણું છે. તે પ્રકારનું ઘટપણું ત્રીજા સમયે નથી. અર્થાત્ પ્રતિસમયે ઘટપણું કંઈક કિંઈક ભિન્ન ભિન્ન થાય છે. આ રીતે એક એક સમયમાત્રવતી એવું જે ઘટપણું છે. તે ઘટપણું ઘટપદાર્થમાં છે ખરું પણ શબ્દોથી બોલી શકાતું નથી. વ્યંજનો દ્વારા ઉચ્ચારણયોગ્ય નથી. ભાષા દ્વારા બીજાને સમજાવી શકાતું નથી. તેથી તેવા પર્યાયને વ્યંજનપર્યાય ન કહેતાં અર્થપર્યાય કહેવાય છે. શબ્દોથી બોલી શકાય તેવા પર્યાયને વ્યંજનપર્યાય કહેવાય છે. અને જે માત્ર એક સમયવર્તી જ પર્યાય છે એટલે શબ્દથી બોલી શકાતા નથી પણ પદાર્થના (અર્થના) પર્યાય છે. તેથી તેવા પર્યાયને અર્થપર્યાય કહેવાય છે. આવા પ્રકારના અર્થપર્યાયની અપેક્ષાએ એકસમય પુરતો જ તે પદાર્થ તે પ્રકારે અસ્તિ છે. બીજા સમયે પ્રથમસમયના અર્થપર્યાયની અપેક્ષાએ અને તૃતીયાદિ સમયના અર્થપર્યાયની અપેક્ષાએ તે ઘટ નાસિરૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org