SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ કાર્ડ-૩ – ગાથા-૩-૪ સન્મતિપ્રકરણ બીજું ઉદાહરણ લઈએ તો યુવાવસ્થામાં આવેલો ચૈત્ર, અતીત એવી બાલ્યાવસ્થાથી અને ભાવિ એવી વૃદ્ધાવસ્થાથી કથંચિત્ સંકળાયેલું દ્રવ્ય છે. તેથી જ અતીત એવી બાલ્યાવસ્થામાં કરેલી ભૂલો સ્મૃતિગોચર થતાં શરમાય છે. જો અતીતાવસ્થાનો બાલ ચૈત્ર અને વર્તમાનાવસ્થાનો યુવાન ચૈત્ર અત્યન્ત ભિન્ન જ હોત તો બાલ્યાવસ્થાની ભૂલો સ્મરણમાં આવે નહી અને શરમાવાનું બને જ નહીં, પણ આવું સ્મરણ થવાનું અને શરમાવાનું બને છે. તે માટે કથંચિ અભિન્ન પણ અવશ્ય છે જ, તથા ભાવિની વૃદ્ધાવસ્થા સાથે પણ વર્તમાન યુવાવસ્થાવાળો ચૈત્ર કથંચિ સમન્વયાત્મક છે. તેથી જ ભાવિની વૃદ્ધાવસ્થામાં સુખે સુખે રહેવાય તે માટે ધનોપાર્જન-ધનસંચય આદિ કરે છે અને તેની ચિંતા રાખે છે. જો યુવાવસ્થાનો ચિત્ર અને વૃદ્ધાવસ્થાનો ચૈત્ર (બૌદ્ધમત પ્રમાણે) અત્યન્ત ભિન્ન જ હોત તો ભાવિના સુખ માટેનો પ્રયત અને તેની ચિંતા યુવાવસ્થાવાળો ચૈત્ર ન જ કરત, માટે કથંચિત્ અભેદ પણ અવશ્ય છે જ. આ રીતે માનવભવમાં વર્તતો જીવ અતીત એવા નરકાદિ ભવની સાથે અને અનાગત એવા દેવાદિભવની સાથે પણ કથંચિત્ અભિન્ન અને કથંચિ ભિન્ન અવશ્ય છે જ. આમ સર્વે પણ દ્રવ્યો પોત પોતાના અતીત અનાગત પર્યાયો સાથે સમન્વયવાળાં છે. કથંચિ ભિન્ન અને કથંચિ અભિન્ન છે. દ્રવ્ય સ્વરૂપે અભેદ છે અને પર્યાય સ્વરૂપે ભેદ છે. કાલક્રમે આવતા જુદા જુદા પર્યાયોમાં આ તેનું તે જ દ્રવ્ય છે. તેનું તે જ દ્રવ્ય છે આવી જે બુદ્ધિ થાય છે આ ઉર્ધ્વતાસામાન્યનો પ્રભાવ છે. ઉપરાઉપર (એક પછી એક) આવતા પર્યાયોમાં દ્રવ્ય તેનું તે જ છે. દ્રવ્ય તેનું તે જ છે. આવા પ્રકારનું સમન્વયાત્મક (ઐક્યતા) સ્વરૂપ પદાર્થનું હોવાપણું જે છે તેને જ ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. અને આવા પ્રકારની પૂર્વાપરની અપેક્ષાવાળા વચનને ઉર્ધ્વતાસામાન્યને આશ્રયી પ્રતીત્યવચન કહેવાય છે. ટીકામાં કહ્યું છે કે પ્રત્યુત્પન્ન ભાā વસ્તુનો વર્તમાનપરિધામ, વિતમવિષ્યષ્ય पर्यायाभ्यां यत्समानरूपतया नयति = प्रतिपादयति वचः, तत्प्रतीत्यवचनं = समीक्षितार्थवचनं सर्वज्ञवचनमित्यर्थ अन्यच्चानाप्तवचनम् । હવે તિર્ય સામાન્યને આશ્રયી પ્રતીત્ય વચન સમજાવે છે. તેāતથિં ચ = તથા દ્રવ્યાન્તર એટલે કે જ્યાં દ્રવ્ય ભિન્ન ભિન્ન છે. પરંતુ ભિન્ન ભિન્ન એવા તે દ્રવ્યોમાં પર્યાયની જે સમાનતા છે અને તેના કારણે સમન્વયાત્મક એવો જે વચનવ્યવહાર થાય છે. તે પણ પ્રતીત્યવચન છે આ તિર્ય સામાન્ય રૂપ પ્રતીત્ય વચન છે. જેમ કે માટીનો ઘડો હોય, સોનાનો ઘડો હોય, રૂપાનો ઘડો હોય કે તાંબાનો ઘડો હોય, આમ ભિન્ન ભિન્ન દ્રવ્યોના બનેલા અનેક ઘડા છે. છતાં ઘટાકારપણે બધા સરખા - અર્થાત્ સમાન છે. ગયા વટ, મયમપિ ટ: Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy