SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૧ ૨૧૫ ધ્રુવ કોઈ સ્થિર દ્રવ્ય છે જ નહીં. હવે જો મૂલભૂત ધ્રુવ એવું સામાન્ય (દ્રવ્યો જ ન હોય તો વિશેષ પ્રગટ થાય કોનામાં? પુરૂષસ્વરૂપ ધ્રુવ દ્રવ્ય હોય, તો બાલ્યાદિભાવો તેમાં પ્રગટે વૃક્ષ નામનું સામાન્ય હોય તો તેમાં શાખા-પ્રશાખા આદિ વિશેષ પ્રગટે, માટી નામનું મૂલભૂત દ્રવ્ય (સામાન્ય) જો ધ્રુવ હોય તો તેમાં કૃલિંડાદિ વિશેષ પ્રગટે, જો સામાન્ય જ ન હોય તો જે માટીમાંથી પિંડ બનાવ્યો, તે પિંડમાંથી ઘટ બનાવતાં બનાવતાં જો મૂળભૂત માટી દ્રવ્ય જ સર્વથા નાશ પામી જાય તો કંઈ રહ્યું જ નહીં, ભૂતલ ચોખ્ખું જ થઈ ગયું. હવે ઘટ બનશે શેમાંથી ? દુનીયાના લોકોને પણ દેખાય છે કે મૃર્લિંડમાંથી માટી રહેતે છતે જ ઘટ બને છે. તેથી બૌદ્ધની વાત એકાન્તવિશેષમાત્રની છે. તે સામાન્યના (ધ્રુવતત્ત્વના) અપલાપક હોવાથી તેની વાત પણ ઉચિત નથી. તથા નિયાયિક અને વૈશેષિકો સામાન્યને તથા વિશેષને એમ બન્નેને માને છે ખરા, પરંતુ જે સામાન્ય છે તે વિશેષ વિનાનું છે અને જે વિશેષ છે તે સામાન્ય વિનાનું છે આમ માને છે. ઉભયાત્મક વસ્તુ છે આમ માનતા નથી. તેથી તેની વાત પણ મિથ્યા છે. તેઓનું કહેવું છે કે “સત્તા' એ સામાન્ય છે. જે દ્રવ્ય-ગુણ અને કર્મમાં રહેનાર છે. આ સામાન્ય એ સામાન્ય માત્ર છે. વિશેષ નથી. આમ કહે છે. અને અન્તિમ વિભાજક જે પદાર્થ છે તે વિશેષ છે. તે નિત્યદ્રવ્ય માત્રમાં જ રહેનાર છેઆ સામાન્ય નથી. જો આ વિશેષને સામાન્યાત્મક માનીએ તો તેનું વિશેષાત્મકપણાનું જ સ્વરૂપ છે તે જ નષ્ટ થઈ જાય. આમ કહીને બન્નેને એકાન્ત જુદા માને છે. પરંતુ જગતના પદાર્થો તેવા નથી. તેઓએ જે સત્તા સામાન્ય માન્યું છે તે પણ દ્રવ્ય-ગુણ અને કર્મમાં વર્તનાર હોવાથી દ્રવ્યાત્મક-ગુણાત્મક અને કર્માત્મક છે. માટે ત્રિવિધ અને તેના ઉત્તરભેદ રૂપે અનેકવિધ હોવાથી વિશેષ સ્વરૂપ પણ છે જ, અને પરમાણુએ પરમાણુએ જે વિશેષો છે તે સર્વે પણ વિશેષો વિશેષપણે સમાન હોવાથી સામાન્યાત્મક પણ છે જ. આ રીતે અન્યદર્શનકારોની દ્રષ્ટિ એકાન્તસામાન્ય તરફ, એકાન્તવિશેષ તરફ અને એકાત બન્ને તરફ ઢળેલી છે. તેથી તેઓની સઘળી પણ વાત મિથ્યાત્વ છે. તે માટે ગ્રંથકારશ્રી સમજાવે છે કે સામાન્યમાં વિશેપનો અને વિશેષમાં સામાન્યનો જે વચનવ્યવહાર જગતમાં પ્રવર્તે છે. તે જ યથાર્થ છે. બરાબર છે. પદાર્થનું સ્વરૂપ પણ તેવું જ છે. પદાર્થના અબાધિત સ્વરૂપને સમજાવનારો જે વચનવ્યવહાર છે. તે જ યથાર્થજ્ઞાનમૂલક છે. આ રીતે સર્વે પણ દ્રવ્યો વ્યાત્મક અને પરિણામાત્મક (પર્યાયાત્મક) માત્ર જ છે. આ વાત નિર્વિવાદ સિદ્ધ થાય છે. અને આ રીતે સામાન્યની સાથે વિશેષ તથા વિશેષની સાથે સામાન્ય સંકળાયેલું જ છે. આ રીતે જ સર્વે પણ દ્રવ્યો મેદાભદવાળા નિયમિત છે. આવું જાહેર કરે છે. આ ગાથાનો વિષય તથા આના પછીની બીજી-ત્રીજી ગાથાનો વિષય પ્રથમ કાર્ડની ગાથા ૧૨ માં પણ સમજાવેલ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy