SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાઠ-૩ – ગાથા-૧ ૨૧૩ દ્રવ્યમાં હોય તો જ, તેથી બન્ને ભાવો તેમાં છે. તેથી જ આવા સામાન્ય-વિશેષના અબાધિતવ્યવહારો થાય છે. તેથી પુરૂષપણે સામાન્ય એવા દેવદત્તમાં બાલ્યાદિભાવ વિશેષનો વ્યવહાર પ્રવર્તે છે અને બાલ્યાદિભાવ વિશેષ એવા દેવદત્તમાં પુરૂષપણાના સામાન્યનો વ્યવહાર પણ પ્રવર્તે છે. તેથી દેવદત્ત નામનું આ દ્રવ્ય સામાન્યાત્મક પણ છે અને વિશેષાત્મક પણ છે. જ્યારે પુરૂષપણે સામાન્ય એવા દેવદત્તમાં બાલ્યાદિ વિશેષનો વચન વ્યવહાર થાય છે ત્યારે તે દ્રવ્ય બાલ્યાદિભાવ રૂ૫ અન્ય પરિણતિને પણ દેખાડે છે. કારણ કે બાલ્યાદિ પર્યાયો ભેદસૂચક છે તથા તક્ષૐ એટલે કે તે બાલ્યાદિ વિશેષો દેખાતા હોવા છતાં તેમાં જ્યારે પુરૂષપણાની” સામાન્યબુદ્ધિ થાય છે. ત્યારે તે બુદ્ધિ પર્યાયોમાં સામાન્ય રૂપ અન્ય પરિણતિને પણ સિદ્ધ કરે છે. આમ દ્રવ્ય-પર્યાય માત્ર સ્વરૂપ અર્થાત્ ઉભયાત્મક સ્વરૂપવાળો આ પદાર્થ છે. એમ સિદ્ધ થાય છે. બીજુ એક ઉદાહરણ લઈએ “એક વૃક્ષ છે” તેમાં અનેક શાખા-પ્રશાખા-ફુલ-ફળપાંદડાં (પત્ર) આદિ છે. તે આખા વૃક્ષને વૃક્ષપણે જોઈએ અને વચનવ્યવહાર કરીએ કે આ એક અખંડ વૃક્ષ છે ત્યારે તે સામાન્ય છે. અને હકીકતથી આખા વૃક્ષમાં વૃક્ષપણે સમાનતાએકતા-અભેદતા છે જ, અને તો જ બોલાય છે વૃક્ષના એક એક અંશમાં વૃક્ષત્ર વાસ્તવિકપણે વર્ત જ છે. આ વાત નિઃસંદેહ છે. છતાં વૃક્ષપણે એક-અખંડ-સમાન હોવા છતાં પણ તે વૃક્ષમાં શાખા-પ્રશાખા આદિ પણે વિશેષાત્મક અન્ય પરિણમન પણ એટલે કે ભેદ પણ છે જ. શાખા-પ્રશાખા ઘસીને ઔષધ રૂપે વપરાય છે. ફુલ સુંઘવા રૂપે વપરાય છે. ફળ ખાવા રૂપે વપરાય છે. આ બધા ભાગો એક રૂપ = સમાન નથી અર્થાત્ વિશેષ વિશેષ પણ છે. તેથી સામાન્ય એવા વૃક્ષમાં શાખાદિનો જે ભેદવાળો વચનવ્યવહાર થાય છે. તે સામાન્યને રાખીને વિશેષને સૂચવે છે અર્થાત્ તે સાપેક્ષપણે ભેદસૂચક છે. તથા શાખાદિ વિશેષોમાં પણ “આ વૃક્ષ છે આ વૃક્ષ છે” આવો જે સામાન્ય વ્યવહાર થાય છે તે વિશેષોમાં સામાન્ય પણ છે આમ નિયમન કરે છે. આ જ રીતે શરીર નામનું અવયવી એ સામાન્ય છે અને તેમાં હાથ-પગ-માથુ-પેટછાતી-કમ્મર આદિ અવયવો એ વિશેષ પણ છે જ. શરીરમાં બધા અવયવો જુદા-જુદા છે. એમ સમજીને જે અવયવનો વચનવ્યવહાર પ્રવર્તે છે તે સામાન્યમાં વિશેષનો વ્યવહાર છે. અને બધા જ અવયવો અવયવ સ્વરૂપે ભિન્ન ભિન્ન દેખાતા હોવા છતાં શરીર રૂપે એક છે - સમાન છે અખંડ છે. આવો જે વચનવ્યવહાર પ્રવર્તે છે તે વિશેષમાં સામાન્યનો વચનવ્યવહાર કહેવાય છે. “ટ: મસ્તિ' ઘટ છે. આવું બોલવામાં જેમ સત્તા (સામાન્ય) જણાય છે. તેમ ઘટાન્ડ (ઘટ નામની) વિશેષાત્મક અન્ય પરિણતિ પણ દેખાય છે. તથા તે ઘટાત્મક વિશેષ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy