SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય કાણ્ડ સામાન્યથી વિશેષ, કે વિશેષથી સામાન્ય એકાન્તે ભિન્ન પણ નથી, તેમ જ એકાન્તે અભિન્ન પણ નથી અર્થાત્ ભિન્નાભિન્ન છે. તેનું કથન सामण्णम्मि विसेसो, विसेसपक्खे य वयणविणिवेसो । નવ્વરગામમાં, વાડ઼ તયં ચ પ્પિયમેડ઼ા ? ॥ सामान्ये विशेषो, विशेषपक्षे च वचनविनिवेश: । द्रव्यपरिणतिमन्यां दर्शयति तकञ्च नियमयति ।। १ ।। તથા ગાથાર્થ - સામાન્યમાં વિશેષનો, અને વિશેષમાં સામાન્યનો જે કોઈ વચનવ્યવહાર થાય છે. તે દ્રવ્યને અને તેના અન્ય પરિણમનને (દ્રવ્યને અને પર્યાયને) સિદ્ધ કરે તે વિશેષ વસ્તુ તેમજ છે. સામાન્યાત્મક પણ છે. આમ નિયમિત (અભેદને પણ) જાહેર કરે છે. ॥ ૧ ॥ વિવેચન - જગતમાં પ્રામાણિક પુરુષોના જે કોઈ પણ વચનવ્યવહારો થાય છે. તે સઘળાય સમજી શોચીને જ્ઞાનપૂર્વક થાય છે. વચનવ્યવહારોમાં કોઈ પણ જાતની બાધા ન આવે એવું જો જ્ઞાન હોય તો જ તે જ્ઞાન યથાર્થ છે. સાચુ છે. તેથી જ્યાં જે કોઈ સમ્યજ્ઞાનપૂર્વક વચનવ્યવહાર થાય છે. તેવું જ તે વસ્તુમાં સ્વરૂપ પણ હોય છે. તે સ્વરૂપને સમજીને (જાણીને) જ તે વચન વ્યવહાર થાય છે. જેમ કે દેવદત્ત નામનો એક પુરૂષ છે. તેને જન્મથી મરણ પર્યન્ત લોકો “આ પુરૂષ છે આ પુરૂષ છે” એમ જ કહે છે. પુરૂષપણાનો જ વચનવ્યવહાર કરે છે. આ વચનવ્યવહાર અબાધિત (સાચો) તો જ કહેવાય કે જો તેમાં જન્મથી મરણ પર્યન્ત પુરૂષપણું રહેતું હોય અને ખરેખર તવું પુરૂષપણું તે દેવદત્તમાં જન્મથી મરણ પર્યન્ત રહે જ છે. માટે પુરૂષપણે સામાન્ય જરૂર છે. તથા તે જ દેવદત્તને અમુક વર્ષો સુધી બાલક, પછીનાં કેટલાંક વર્ષો સુધી યુવાન, અને ત્યારપછીનાં કેટલાંક વર્ષો સુધી વૃદ્ધ પણ કહેવાય છે. આ વચનવ્યવહાર પણ તો સાચો કહેવાય કે જો તે પુરૂષમાં બાલ્યાદિભાવો હોય તો, અને તે બાલ્યાદિ ભાવો તેમાં છે જ, તેથી વિશેષ પણ અવશ્ય છે જ. તે દેવદત્તમાં જેમ પુરુષપણા રૂપ સામાન્ય જન્મથી મરણ પર્યન્ત સદા વર્તે છે. તેવી જ રીતે બાલ્યાદિ ભાવો રૂપ વિશેષ પણ કાલભેદે અવશ્ય વર્તે જ છે. આ ઉદાહરણ ઉપરથી નક્કી થાય છે કે દેવદત્ત નામના માનવીમાં “પુરૂષપણાનો’ સામાન્ય વ્યવહાર, અને “બાલ્યાદિપણાનો” વિશેષવ્યવહાર એમ બન્ને વચનવ્યવહારો જગતમાં પ્રવર્તે છે. આ વચનવ્યવહારો તો જ પ્રવર્તતા હશે કે આ બન્ને પ્રકારના ભાવો દેવદત્ત નામના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy