________________
કારડ-૨ – ગાથા-૪૩
૨૧૦
સન્મતિપ્રકરણ संखेजमसंखेजं, अणंतकप्पं च केवलं णाणं । तह रागदोसमोहा, अण्णे वि य जीवपज्जाया ।। ४३ ।। सङ्ख्यातमसङ्ख्यातमनन्तकल्पञ्च केवलं ज्ञानम् । तथा रागद्वेषमोहा, अन्येऽपि च जीवपर्यायाः ।। ४३ ।।
ગાથાર્થ - કેવલજ્ઞાન સંખ્યાત-અસંખ્યાત અને અનંત ભેદવાળું છે. તથા તેવી જ રીતે રાગ-દ્વેષ અને મોહ વિગેરે જીવના બીજા પણ પર્યાયો (સંખ્યાત-અસંખ્યાત અને અનંત) છે. તેથી જીવદ્રવ્યથી આ પર્યાયો કથંચિત્ ભિન્ન પણ છે. જે ૪૩ ||
વિવેચન - કોઈ પણ જીવદ્રવ્ય તે સંખ્યામાં પોતે એક છે અને તેના કેવલજ્ઞાનાદિ શુદ્ધ પર્યાયો તથા રાગદ્વેષમોહાદિ અશુદ્ધ પર્યાયો સંખ્યાત-અસંખ્યાત અને અનંત છે હવે જો એકાતે અભેદ જ હોય તો આ સંખ્યાભેદ કેમ ઘટે ? જીવ અને કેવલજ્ઞાનાદિ પર્યાયો જો સર્વથા અભિન્ન જ હોય તો જીવદ્રવ્ય એક હોવાથી કેવલજ્ઞાનાદિ શુદ્ધ પર્યાયો અને રાગાદિ અશુદ્ધ પર્યાયો પણ સંખ્યામાં એક જ હોવા જોઈએ. સંખ્યાત-અસંખ્યાત અને અનંત કેમ ઘટે ? અને જો પર્યાયો ત્રિવિધ સંખ્યાવાળા હોય તો જીવદ્રવ્ય પણ ત્રિવિધ સંખ્યાવાળું હોવું જોઈએ, એક કેમ હોય? તે પણ ત્રિવિધ સંખ્યાવાળું હોવું જોઈએ. પરંતુ આમ નથી. તેથી કથંચિત્ ભિન્ન પણ અવશ્ય છે જ.
પ્રશ્ન - કેવલજ્ઞાનાદિ શુદ્ધ પર્યાયો અને રાગદ્વેષાદિ અશુદ્ધ પર્યાયો જીવદ્રવ્યથી ભિન્નભિન્ન છે. તે તો સમજાયું. પરંતુ તે પર્યાયો સંખ્યા - અસંખ્યાત અને અનંત જે કહ્યા, તે કેવી રીતે ઘટે ?
ઉત્તર - કેવલજ્ઞાન અને કેવલદર્શનથી ધર્મ-અધર્મ-આકાશાદિ છ દ્રવ્યો જણાય છે. અહીં જોય એવાં ૬ દ્રવ્યો જાતિની અપેક્ષાએ (સંખ્યાત) હોવાથી તેને જોનારૂં કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ સંખ્યાત કહેવાય છે. તથા તે કેવલજ્ઞાન-કેવલદર્શનથી ધર્મ-અધર્મ-લોકાકાશકે જે અસંખ્યાત પ્રદેશવાળાં છે. તેના અસંખ્યાતા પ્રદેશો જણાય છે. તેથી તેને જોનારૂં અને જાણનારૂં કેવલજ્ઞાન-કેવલદર્શન અસંખ્યાતું કહેવાય છે. તથા જીવદ્રવ્યો અલોકાકાશ અને ત્રણે કાળના સમયો અનંત છે. તે અનંતાને આ જ્ઞાન-દર્શન જાણે છે માટે આ જ્ઞાનદર્શન અનંત પણ છે. તથા પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય સંખ્યાતપ્રદેશી-અસંખ્યાતપ્રદેશી અને અનંતપ્રદેશી પણ છે. તેવા પ્રકારના દ્રવ્યને જાણતું અને જોતું એવું કેવલજ્ઞાન અને કેવલદર્શન સંખ્યાતુઅસંખ્યાતુ અને અનંતુ પણ છે જ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org