________________
સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૪૨
૨૦૯ જ છે. અર્થાત્ એકાને અભેદ જ છે આમ નથી. કારણ કે દેવભવમાં રહેલો જીવ દેવભવ સમાપ્ત કરીને જયારે પુરૂષાયુષ્ક (મનુષ્યભવ) ધારણ કરે છે ત્યારે પુરૂષાયુષ્ક બનેલો તે જીવ, દેવભવના સ્વરૂપથી વિશિષ્ટ (ભિન્ન) છે. અર્થાત્ દેવાવસ્થાથી ભિન્ન અવસ્થા પામ્યો છે. આવા પ્રકારનો વિશેષનો વ્યવહાર થાય છે અને વિશેષસ્વરૂપ દેખાય પણ છે. દેવભવમાં તે અનિમેષ નયણી, ચાર આંગળભૂમિથી અધ્ધર, લોમાહારી, વૈક્રિયશરીરી, અવધિજ્ઞાની, બાલ્ય-જરાવસ્થારહિત ઇત્યાદિ ભાવો વાળો જે આ જીવ હતો તે બધા જ ભાવો પુરૂષાયુષ્ય (મનુષ્ય) બનતાં ચાલ્યા જાય છે. એટલે કે તે તે પર્યાયોનો તથા તે તે પર્યાયરૂપે જીવદ્રવ્યનો જરૂર નાશ થાય છે અને તેનાથી વિપરીતભાવવાળો બને છે. તેથી તે જીવની અવસ્થા (પર્યાય) જરૂર પલટાય છે. “જીવપણે” જરૂર સામાન્ય છે. પરંતુ સામાન્ય માત્ર જ છે આમ નથી. વિશેષ પણ છે જ. કેવલ એકલો અભેદ નથી. ભેદ પણ જરૂર છે. જેમ ૬૦ વર્ષની ઉંમરવાળો પુરૂષ સાએઠે વરસ સુધી પુરૂષપણે સમાન (સામાન્ય-અભેદ) હોવા છતાં પણ ત્રીસ વરસ બાદ અરાજમાંથી રાજાપણે વિશિષ્ટ બને છે. ભેદ પણ પામે છે. તથા અકેવલીમાંથી કેવલીપણે બને છે અને ભેદ પામે છે. તેમ અનાદિ-અનંત એવો જીવ પણ “જીવપણે” અભિન્ન હોવા છતાં પણ દેવ-માનવ આદિ પર્યાયરૂપે ભિન્ન પણ છે વિશેષ પણ છે. દેવ અને પુરૂષ આ તો દૃષ્ટિગોચર થાય એવા બે પર્યાય જણાવ્યા છે તેના ઉપરથી પ્રતિસમયે સ્કૂલ અને સૂક્ષ્મ ઔદયિકભાવના અને ક્ષાયોશિમિકભાવના પર્યાયો પારિણામિક ભાવના કારણે ૧ થી ૧૨ ગુણઠાણાના જીવોમાં પલટાય છે. ૧૩-૧૪ ગુણઠાણામાં ઔદયિક અને ક્ષાયિકભાવના પર્યાયો પારિણામિક ભાવના કારણે બદલાય છે અને સિદ્ધાવસ્થામાં શેયની પરાવૃત્તિને અનુસારે ક્ષાયિકભાવના પર્યાયો પારિણામિક ભાવને અનુસારે પલટાય છે. તેથી આ જીવદ્રવ્ય જેમ સામાન્ય છે તેમ વિશેષ પણ અવશ્ય છે. અભિન્ન જેમ છે તેમ ભિન્ન પણ છે આ રીતે સર્વે પદાર્થો સામાન્ય-વિશેષ અને ભેદભેદ એમ ઉભય સ્વરૂપ છે.
ટીકામાં કહ્યું છે કે - ગીવોડનાિિનધનો નીવ વિ વિશેષવિન તિ નિયમો 7 वक्तव्यम्, यतः पुरुषायुष्कजीवो देवायुष्कजीवाद् विशिष्ट जीव एव इति त्वभेदे पुरुषजीव इत्यादिभेदो न भवेत् । केवलस्य सामान्यस्य विशेषप्रत्ययाभिधानानिबन्धनत्वान्निर्निमित्तस्यापि विशेषप्रत्ययाभिधानस्य सम्भवे सामान्यप्रत्ययाभिधानस्यापि निर्निमित्तस्यैव भावात् तन्निबन्धनसामान्याभ्युपगमोऽप्ययुक्तः स्यादिति सर्वाभावः । न च विशेषप्रत्ययस्य बाधारहितस्यापि मिथ्यात्वम्, इतरत्रापि तत्प्रसक्तेरिति प्रतिपादनात् ।। ४२ ॥
કોઈ પણ એક જીવદ્રવ્ય અનાદિ-અનંતકાળ સુધી સંખ્યામાં એક જ દ્રવ્ય રહે છે. છતાં તેમાં ક્ષાયોપથમિક-ક્ષાયિક અને ઔદયિકભાવના પર્યાયો અસંખ્યાતા અને અનંતા થાય છે. આમ સંખ્યાથી પણ કથંચિ ભેદ છે. તે હવે જણાવે છે -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org