________________
૨૦૮
કાર્ડ-૨ -- ગાથા-૪૨
સન્મતિપ્રકરણ આ રીતે દ્રવ્યથી પર્યાયો (સામાન્યથી વિશેષ) કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન એમ બન્ને છે જ. એકાત્તે એકલા ભેદને જ અથવા એકલા અભેદને જ માત્ર માનવું તે મિથ્યાત્વ છે. કથંચિત્ અભેદ પણ છે તેને સિદ્ધ કરનાર ન્યાયશાસ્ત્રાનુસારી અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે -
સામાન્ય (પક્ષ), વિશેષ્યઃ ૧થગ્નિમિત્રમ્ (સાધ્ય), (સામાન્ચેપ વિશેÈ ) મેદ્રવ્યવહારપ્રામાUિવાત્ (હેતુ), યથા શ્વમેવ પુરુપદ્રવ્ય કરીનપર્યાયરીનપર્યાયાખ્યાં भेदव्यवहारभावमाप्नोति, तद्वत् एकमेव जीवद्रव्यं अकेवलि-केवलिपर्यायाभ्यां भेदव्यवहारमाप्नोति । तस्मात् तज्जीवद्रव्यं अकेवलिकेवलिपर्यायाभ्यां कथञ्चिदभिन्नमेव ।।
આ રીતે જોતાં કોઈ પણ વાતનો વિરોધ આવતો નથી, જે લોકો જગતના સ્વરૂપને અનેકાન્તવૃષ્ટિથી સમજે છે અને એ રીતે જુએ છે. તેને યથાર્થ સમજાય છે. કોઈ પણ જાતનો ક્યાંય વિરોધ કે કોઈ પણ પ્રકારનો દોષ આવતો નથી. જેઓની એકાન્ત ભેદદ્રષ્ટિ છે અથવા એકાત્ત અભેદદ્રષ્ટિ છે. તેને જ વિરોધ આવે છે. તેને જ ઉપર કહ્યા પ્રમાણે વિરોધ-અર્થાત્ અસમન્વય દેખાય છે. પણ આ એકાત્તવૃષ્ટિ એ જ મોટો અંધાપો છે. અજ્ઞાનદશા છે. //૪૦-૪૧
ઉપરની ચર્ચાથી દ્રવ્ય-પર્યાય વચ્ચે (જીવ અને અકેવલી અને કેવલી પર્યાય વચ્ચે, તથા પુરૂષ અને અરાજપર્યાય-રાજપર્યાય વચ્ચે) કથંચિત્ અભેદ સમજાવ્યો છે. પરંતુ આ સાંભળીને કોઈ કદાચ એકાન્ત અભેદ જ સમજી લે અને ભેદનો અપલાપ કરે તો તે પણ એકાન્તવાદ બનવાથી મિથ્યાત્વ જ કહેવાય છે. તેથી તેવા એકાન્ત અભેદવાદની સામે જીવ અને કેવલજ્ઞાનાદિ વચ્ચે કથંચિત્ ભેદ પણ છે તે હવે સમજાવે છે
નીવો માનો, “નીવ" ત્તિ મિત્રો પણ વળ્યો. जं पुरिसाउयजीवो, देवाउयजीवियविसिट्ठो ॥ ४२ ॥ નીવોનાિિનધનો, “નવ'' કૃતિ = નિયમતો વચ્ચઃ | यत्पुरुषायुष्कजीवो, देवायुष्कजीवितविशिष्टः ।। ४२ ।।
ગાથાર્થ - જીવદ્રવ્ય અનાદિ-અનંત છે. તો પણ “આ જીવ સદા જીવમાત્ર જ છે” આમ એકાંતથી ન કહેવાય, કારણ કે પુરૂષપણે થયેલો જીવ દેવપણાથી ભિન્ન (વિશિષ્ટ) વ્યવહાર પામે છે. / ૪૨ ||
વિવેચન - આ સંસારમાં રહેલાં સર્વ જીવદ્રવ્યો “જીવપણે” અનાદિ-અનંત છે એટલે કે જીવમાત્રપણે સામાન્યરૂપે જરૂર છે જ. તો પણ તે માત્ર “જીવરૂપ જ” છે. સામાન્યાત્મક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org