SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ કાર્ડ-૨ -- ગાથા-૪૨ સન્મતિપ્રકરણ આ રીતે દ્રવ્યથી પર્યાયો (સામાન્યથી વિશેષ) કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન એમ બન્ને છે જ. એકાત્તે એકલા ભેદને જ અથવા એકલા અભેદને જ માત્ર માનવું તે મિથ્યાત્વ છે. કથંચિત્ અભેદ પણ છે તેને સિદ્ધ કરનાર ન્યાયશાસ્ત્રાનુસારી અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે - સામાન્ય (પક્ષ), વિશેષ્યઃ ૧થગ્નિમિત્રમ્ (સાધ્ય), (સામાન્ચેપ વિશેÈ ) મેદ્રવ્યવહારપ્રામાUિવાત્ (હેતુ), યથા શ્વમેવ પુરુપદ્રવ્ય કરીનપર્યાયરીનપર્યાયાખ્યાં भेदव्यवहारभावमाप्नोति, तद्वत् एकमेव जीवद्रव्यं अकेवलि-केवलिपर्यायाभ्यां भेदव्यवहारमाप्नोति । तस्मात् तज्जीवद्रव्यं अकेवलिकेवलिपर्यायाभ्यां कथञ्चिदभिन्नमेव ।। આ રીતે જોતાં કોઈ પણ વાતનો વિરોધ આવતો નથી, જે લોકો જગતના સ્વરૂપને અનેકાન્તવૃષ્ટિથી સમજે છે અને એ રીતે જુએ છે. તેને યથાર્થ સમજાય છે. કોઈ પણ જાતનો ક્યાંય વિરોધ કે કોઈ પણ પ્રકારનો દોષ આવતો નથી. જેઓની એકાન્ત ભેદદ્રષ્ટિ છે અથવા એકાત્ત અભેદદ્રષ્ટિ છે. તેને જ વિરોધ આવે છે. તેને જ ઉપર કહ્યા પ્રમાણે વિરોધ-અર્થાત્ અસમન્વય દેખાય છે. પણ આ એકાત્તવૃષ્ટિ એ જ મોટો અંધાપો છે. અજ્ઞાનદશા છે. //૪૦-૪૧ ઉપરની ચર્ચાથી દ્રવ્ય-પર્યાય વચ્ચે (જીવ અને અકેવલી અને કેવલી પર્યાય વચ્ચે, તથા પુરૂષ અને અરાજપર્યાય-રાજપર્યાય વચ્ચે) કથંચિત્ અભેદ સમજાવ્યો છે. પરંતુ આ સાંભળીને કોઈ કદાચ એકાન્ત અભેદ જ સમજી લે અને ભેદનો અપલાપ કરે તો તે પણ એકાન્તવાદ બનવાથી મિથ્યાત્વ જ કહેવાય છે. તેથી તેવા એકાન્ત અભેદવાદની સામે જીવ અને કેવલજ્ઞાનાદિ વચ્ચે કથંચિત્ ભેદ પણ છે તે હવે સમજાવે છે નીવો માનો, “નીવ" ત્તિ મિત્રો પણ વળ્યો. जं पुरिसाउयजीवो, देवाउयजीवियविसिट्ठो ॥ ४२ ॥ નીવોનાિિનધનો, “નવ'' કૃતિ = નિયમતો વચ્ચઃ | यत्पुरुषायुष्कजीवो, देवायुष्कजीवितविशिष्टः ।। ४२ ।। ગાથાર્થ - જીવદ્રવ્ય અનાદિ-અનંત છે. તો પણ “આ જીવ સદા જીવમાત્ર જ છે” આમ એકાંતથી ન કહેવાય, કારણ કે પુરૂષપણે થયેલો જીવ દેવપણાથી ભિન્ન (વિશિષ્ટ) વ્યવહાર પામે છે. / ૪૨ || વિવેચન - આ સંસારમાં રહેલાં સર્વ જીવદ્રવ્યો “જીવપણે” અનાદિ-અનંત છે એટલે કે જીવમાત્રપણે સામાન્યરૂપે જરૂર છે જ. તો પણ તે માત્ર “જીવરૂપ જ” છે. સામાન્યાત્મક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy