________________
કિડ-૨ – ગાથા-૪૦-૪૧
૨૦૪
સન્મતિપ્રકરણ છે (સાધ્ય) કારણ કે જે ભેદનો વ્યવહાર થાય છે. તે કથંચિત્ જ હોવાથી (હેતુ), જેમ ૬૦ વર્ષના આયુષ્યવાળો પુરૂષ ૩૦ મા વર્ષે રાજા થયો. (ઉદાહરણ). આ અનુમાનને આગળ આવનારી ગાથામાં ઉદાહરણ સાથે વધારે વિસ્તારથી સમજાવાશે. ૩૯
जह कोइ सट्ठिवरिसो तीसइवरिसो णराहिवो जाओ । उभयत्थ जायसद्दो, वरिसविभागं विसेसेइ ॥ ४० ॥ एवं जीवद्दव्वं, अणाइणिहणमविसेसियं जम्हा । रायसरिसो उ केवलिपज्जाओ तस्स सविसेसो ॥ ४१ ॥
સંસ્કૃત છાયા यथा कश्चित्षष्ठिवर्षस्त्रिंशद्वर्षो नराधिपो जातः । उभयत्र जातशब्दो, वर्षविभागं विशेषयति ॥ ४० ॥ एवं जीवद्रव्यं अनादिनिधनमविशेषितं यस्मात् । राजसदृशस्तु केवलिपर्यायस्तस्य स विशेषः ॥ ४१ ॥
ગાથાર્થ - જેમ કોઈક સાઠ વર્ષની ઉંમરવાળો પુરૂષ ત્રીસ વર્ષની ઉંમરે રાજા થયો, આમ બોલવામાં વપરાયેલો નાત શબ્દ બન્નેમાં માત્ર વર્ષનો વિભાગ જ સૂચવે છે. તે ૪૦ ||
એ પ્રમાણે કોઈ પણ પ્રકારની વિશેષતાઓની અવિવક્ષા કરાય ત્યારે જે કારણથી આ જીવદ્રવ્ય અનાદિ-અનંત છે અને તે જીવદ્રવ્યનો જે કેવલી પર્યાય છે. તે રાજપર્યાયતુલ્ય વિશેષ પર્યાય છે. . ૪૧ //
વિવેચન - દ્રવ્યથી તેના પર્યાયો એકાત્તે ભિન્ન નથી, પરંતુ કથંચિ ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન પણ છે. તે વાત ગ્રન્થકારશ્રી એક ઉદાહરણ આપીને સમજાવે છે. જેમ કોઈ એક સાએઠ વર્ષની ઉંમરવાળો પુરૂષ છે તે પોતાના ઉદિતપુણ્યના કારણે ત્રીસ વર્ષની ઉંમરે રાજા થયો. ત્યારે જગતમાં આમ કહેવાય છે કે “જે આ મનુષ્ય હતો તે હવે રાજા થયો” આ દૃષ્ટાન્તમાં મનુષ્યપણું તો પહેલેથી છે જ, અને રાજાપણું આવ્યું તો પણ મનુષ્યપણું તો રહે જ છે. એટલે કે રાજાપણું આવ્યા પહેલાં પણ અને રાજાપણું આવ્યા પછી પણ મનુષ્યપણું સદા છે જ, ફક્ત અરાજપર્યાય ત્રીસ વર્ષની ઉંમર સુધી જ રહે છે પછી તે પર્યાય ચાલ્યો જાય છે અને રાજપર્યાય પ્રગટ થાય છે જે પાછલા ત્રીસ વર્ષ સુધી રહે છે. આમ મનુષ્યપણું જન્મથી મરણ સુધી ધ્રુવ, અને અરાજપર્યાય તથા રાજપર્યાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org