SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કા-૨ – ગાથા-૩૯ ૨૦૩ કરી આપે તેવું) આ ઉદાહરણ અમે કહીશું. (ઉદાહરણ આપીને અમે આ વ્યાતિ સમજાવીશું) ૩૯ // | વિવેચન - પ્રથમકાંડની બારમી ગાથામાં એકાન્તવાદના ખંડન પ્રસંગે જ અમારા વડે પહેલાં કહેવાઈ જ ગયું છે કે દ્રવ્ય વિનાના કેવલ એકલા પર્યાયો ક્યાંય હોતા નથી, તથા પર્યાયો વિનાનું એકલું દ્રવ્ય પણ ક્યાંય હોતુ નથી. અર્થાત્ દ્રવ્ય સદા પર્યાયોથી યુક્ત હોય છે. અને પર્યાયો સદા દ્રવ્યથી યુક્ત જ હોય છે. ક્યારેય પણ એકલું દ્રવ્ય કે એકલા પર્યાયો હોતા જ નથી. તેથી જ સર્વે પણ દ્રવ્યો ઉત્પાદ-વ્યય અને સ્થિતિવાળાં જ છે. આ જ દ્રવ્યનું સાચું અને પરિપૂર્ણ લક્ષણ છે. પર્યાયાર્થિકનયની એકાત્તવૃષ્ટિવાળા કેવળ એકલા પર્યાયોને જ દેખે છે. દ્રવ્યને જોતા નથી, તેથી તેઓને ઉત્પાદ-વ્યય જ દેખાય છે. ધૃવત્વ દેખાતું નથી (જેમ કે બૌદ્ધ) અને દ્રવ્યાર્થિકનયની એકાન્તવ્રુષ્ટિવાળાને કેવળ એકલું દ્રવ્ય જ દેખાય છે. પર્યાયો દેખાતા નથી. તેથી તેઓને કેવલ એકલું ધૃવત્વ જ દેખાય છે. ઉત્પાદ-વ્યય દેખાતા નથી. (જેમ કે સાંખ્યાદિ). આ એકાત્તવૃષ્ટિ જ જીવને મિથ્યાભ્રમ કરાવે છે. (પ્રથમકાંડ ગાથા-૧૧ થી ૧૩). પરંતુ બન્ને નયોને સાપેક્ષપણે જો જોડવામાં આવે તો જ વસ્તુનું પરિપૂર્ણ ત્રિપદીવાળું અનેકાન્તાત્મક સ્વરૂપ જોવા અને જાણવા મળે છે અને આ જ યથાર્થવાદ છે અનેકાન્તવાદ છે. સાપેક્ષવાદ છે. સમ્યગ્વાદ છે. ખરેખર આ જ પદાર્થનું સાચું લક્ષણ અને સાચું સ્વરૂપ છે. આ વૃષ્ટિવાળા જીવો જ સમ્યગ્દષ્ટિ છે. જો પદાર્થનું પરિપૂર્ણ ત્રિપદીવાળું સ્વરૂપ જાણવું હોય તો દ્રવ્યથી પર્યાયોનો અને પર્યાયોથી દ્રવ્યનો એકાન્ત ભેદ (કે એકાન્ત અભેદ) ન માનતાં કથંચિ ભેદ અને કથંચિત્ અભેદ જ માનવો જોઈએ. ટીકામાં કહ્યું છે કે - ચાણયં પૂર્વમેવ દ્રવ્યપર્યાયોમેંમેશાત્તાક્ષાતિરેઘન્નક્ષmડ પ્રયુ યોનિત: "૩પ્રાય-દ્વિ-બંગા'' (પ્રથમ કાંડ ગાથા-૧૨) ત્યાદિના ગાન્તવ્યવस्थापनात् तथापि केवलज्ञाने अनेकान्तात्मकैकरूपप्रसाधकस्य हेतोः साध्येनानुगमप्रदर्शकप्रमाणविषयम् उदाहरणमिदमुत्तरगाथया वक्ष्ये । આ વાત સમજાવવા માટે હવે પછીની ર/૩ ગાથાઓમાં એક સુંદર ઉદાહરણ આપે છે. અને તે ઉદાહરણ, કથંચિત્ અભેદ સાધક અનુમાનમાં સાધ્ય અને સાધનની (હેતુની) વ્યાપ્તિ સિદ્ધ કરવા માટે જ અપાય છે. જેમ કે દ્રવ્ય (પક્ષ), પ થગ્નિમિત્રમ્ (સાધ્ય), ઋથગ્નિદેવ મેવવ્યવહારત્ (હતુ-સાધન). યથા પષ્ટિવર્ષાયુક્ક: પુરુષ: ત્રિશમે વર્ષે નરાધિપ નાતઃ (ઉદારહણ) : કોઈ પણ દ્રવ્ય (પક્ષ), પોતાના પર્યાયોથી કથંચિત્ અભિન્ન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy