SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ " સન્મતિપ્રકરણ કાડ-૨ – ગાથા-૩૪ થી ૩૬ ૧૯૭ પર્યાયોનો જ અનુભવ થાય છે. આપણને હાલ ક્ષાવિકભાવ નથી તેથી તે ભાવજન્ય પર્યાયો સમજાતા નથી. પણ જરાક સૂક્ષ્મબુધ્ધિથી વિચારીશું તો તે પર્યાયો પણ સમજાશે, તે આ પ્રમાણે છે – કંઈક સ્થિર બુદ્ધિવાળા થઈને આપણે સમજીએ. કેવલજ્ઞાન અને કેવલદર્શન આ બન્ને ગુણો જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયકર્મના સર્વથા ક્ષયથી થયેલા છે. તેથી તેમાં મતિજ્ઞાનાદિની જેમ હાનિ-વૃદ્ધિ કે વધઘટ કે પ્રગટતા અપ્રગટતા હોતી નથી. તેથી તેવા હાનિ-વૃદ્ધિ થવા રૂપ પર્યાયો તેમાં નથી. પરંતુ જગતમાં રહેલા સર્વેદ્રવ્યોના ત્રણેકાળના સર્વક્ષેત્રોમાં થયેલા-થતા અને થવાવાળા સર્વપર્યાયો કેવલી ભગવાન કેવલજ્ઞાન અને કેવલદર્શનથી જાણે છે અને જુએ છે આ વાત તો બરાબર છે ? હા, કેવલી ભગવાન સર્વભાવોને જાણે છે. અને જુએ છે. આ વાતમાં કોઈ સંદેહ નથી, નિર્વિવાદ આ વાત સત્ય છે. હવે સંસારમાં રહેલા સર્વે દ્રવ્યોના સર્વે પર્યાયો પ્રતિસમયે બદલાય છે. આ વાત પણ બરાબર છે ને ? એટલે કે ઘટ-પટ આદિ દ્રવ્યો પારિણામિકભાવે અને એકેન્દ્રિય - વિકલેન્દ્રિયાદિ જીવો પારિણામિકભાવે, ઔદયિકભાવે અને ક્ષાયોપથમિકભાવે યથાયોગ્ય પ્રતિસમયે પરિવર્તન પામે છે. પર્યાયાન્તર થાય છે. આ વાત બરાબર છે ને? હા, સર્વે દ્રવ્યો પરિણામી નિત્ય છે. તેથી પ્રતિસમયે સર્વે દ્રવ્યો પરિવર્તન પામે જ છે. તો તેના ઉપરથી એ વાત સિદ્ધ થાય છે કે સર્વે દ્રવ્યો પ્રતિસમયે જો પરિણામી જ છે (પરિવર્તન પામે જ છે) અને પ્રતિસમયે પરિવર્તન પામતા એવા સર્વદ્રવ્યોને અને તેના સર્વપર્યાયોને કેવલી પરમાત્મા જુએ છે અને જાણે છે. તેથી સર્વદ્રવ્યોને જાણતા અને જોતા એવા કેવલી ભગવાનનું કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ પ્રતિસમયે શેયદ્રવ્યોને જાણવા અને જવારૂપે પરિવર્તન વાળું જ બન્યું, તે માટે તે બન્ને ગુણો પણ પરિવર્તન પામે જ છે. આ વાત પણ સિદ્ધ થાય છે. કારણ કે જેમ જેમ શેય બદલાય છે તેમ તેમ તે શેયને જાણવા રૂપે અને જોવા રૂપે પ્રવર્તનારૂં - જ્ઞાન-દર્શન પણ બદલાય જ છે. જેમ સીનેમામાં પિક્સર જોનારા સ્ત્રી-પુરૂષો ખુરશી ઉપર ભલે સ્થિર બેઠા છે. ગમનાગમન કંઈ કરતા નથી. અને સામે ચાલતું ચિત્ર એકી નજરે નિહાળી રહ્યા છે. ત્યારે તે ચિત્રમાં જેમ જેમ જુદા જુદા રસવાળું ચિત્ર આવે છે. તેમ તેમ જોનારા માણસોને પણ તે તે ચિત્રને અનુસારે અવશ્ય ચિત્ર-વિચિત્રભાવે જ તે ચિત્રનું જ્ઞાન થાય છે. (તથા જોનારા જીવો મોહના ઉદયવાળા હોવાથી તેઓમાં તેવા હાવ-ભાવ પણ = વિકારો પણ થાય છે) તેવી જ રીતે કેવલજ્ઞાન અને કેવલદર્શનથી કેવલી ભગવાન પણ સંસારમાં રહેલા સર્વદ્રવ્યોના પ્રતિસમયે બદલાતા પર્યાયોને જુએ છે અને જાણે છે તેથી જોયધર્મોની પરાવૃત્તિ પ્રમાણે જ્ઞાતાનું જ્ઞાન પણ જોવા-જાણવારૂપે નવા-નવા પર્યાયોને પામે છે અને તેથી બદલાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy