________________
૧૯૬
કાષ્ઠ-૨ – ગાથા-૩૪ થી ૩૬
સન્મતિપ્રકરણ દેખાય છે. આ જીવનો ઔદયિકભાવ છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિયપણાના જે જે ભાવો બદલાય છે. તે પણ જાતિનામકર્મના ઉદયજન્ય હોવાથી ઔદયિકભાવના પર્યાયો થાય છે. તેથી પણ જીવમાં ઉત્પાદ-વ્યય સંભવે છે. એમ રોગી-નિરોગી, રાજા-રંક, સુખી-દુઃખી તથા બાલ્યાદિ અવસ્થા ઇત્યાદિ જે ચડતા-ઉતરતા ભાવો બદલાય છે. તે સઘળા ભાવો કર્મના ઉદયજન્ય હોવાથી ઔદયિક ભાવના પર્યાયો છે અને તેને આશ્રયી સંસારી જીવમાં ઉત્પાદ-વ્યય પ્રગટપણે ચોક્કસ દેખાય છે. આવા પ્રકારના ઔદયિકભાવના ઉત્પાદ-વ્યય સિદ્ધમાં હોતા નથી.
તથા ચારે ગતિના સંસારી જીવોમાં મતિ-શ્રુતજ્ઞાનાદિ પ્રત્યેક સમયમાં હાનિ-વૃદ્ધિ પામે જ છે. દાનાદિ લબ્ધિઓની પણ હાનિ-વૃદ્ધિ થાય છે. આ બધા ક્ષાયોપથમિક ભાવના પર્યાયો છે. તેને આશ્રયીને પણ સંસારી જીવોમાં ઉત્પાદ વ્યય થાય છે. આ બન્ને તો ઉદાહરણ માત્ર છે. અર્થાત્ આ ઉદાહરણ આપીને હવે કેવલીમાં ઉત્પાદ-વ્યય સમજાવવા છે. જેમ છઘસ્થ જીવોમાં ઔદયિકભાવના અને ક્ષાયોપથમિક ભાવના પર્યાયોનું પરિવર્તન થાય છે અને તેને આશ્રયી ઉત્પાદ-વ્યય સંસારી જીવોમાં સંભવે છે. તેવી જ રીતે કેવી પરમાત્મામાં પણ જ્યારે દેહસ્થ અવસ્થા હોય છે ત્યારે ઔદયિકભાવના અને ક્ષાયિકભાવના પર્યાયોનું પરિવર્તન થાય છે. તથા સિધ્ધસ્થાવસ્થામાં કેવળ એકલા ક્ષાયિકભાવના પર્યાયોનું પરિવર્તન થાય છે. એટલે કે દેહસ્થાવસ્થામાં બન્ને ભાવોને આશ્રયીને અને દેહાતીતાવસ્થામાં કેવળ એકલા ક્ષાયિકભાવને આશ્રયીને કેવલજ્ઞાન-કેવલદર્શનમાં પણ ઉત્પાદ અને વ્યય પ્રતિસમયે થાય જ છે. સર્વે પણ દ્રવ્યોનો જેમ પારિણામિક ભાવ છે. તેવી જ રીતે જીવદ્રવ્યનો પણ પરિણામિક સ્વભાવ હોવાથી પરિવર્તન ચાલુ જ રહે છે માટે ઉત્પાદ-વ્યય થાય જ છે.
પ્રશ્ન - ઉપરની વાત બરાબર સમજાતી નથી. કર્મોના ઉદયથી તો જીવમાં રોગીનિરોગી પરિવર્તન આવે, કર્મોના ક્ષયોપશમથી પણ ગુણોની હાનિ-વૃદ્ધિથી પરિવર્તન આવે, એટલે કે નવા નવા પર્યાયો આવવાથી ઉત્પાદ-વ્યય થાય પરંતુ ક્ષાયિકભાવમાં પરિવર્તન (પર્યાયો) હોય આ વાત સમજાતી નથી. ક્ષાયિકભાવે થયેલું કેવલજ્ઞાન અને કેવલદર્શન તો સદાકાલ એકસરખું સમાન જ રહે છે. આવેલું કદાપિ જતું નથી, ક્યારેય પણ વધઘટ થતી નથી. તો આવા ક્ષાયિકભાવથી થનારા ગુણોમાં ઉત્પાદ-વ્યય કેમ હોય ? કોઈને પણ પુછો તો સિદ્ધસ્થાવસ્થામાં રહેલા પરમાત્મા સદાકાલ એકસરખા સમાન ઉપયોગમાં જ પ્રવર્તે છે. આમ જ કહેશે. તેનો અર્થ એ થયો કે હવે આ બન્ને ગુણોમાં (ક્ષાયિકભાવના તમામ ભેદોમાં) આવા ઉત્પાદ-વ્યય સંભવતા નથી. કેવલ એકલું ધ્રુવવ જ સંભવે છે.
ઉત્તર - આપણે બધા સાંસારિક જીવો ઔદયિકભાવવાળા અને ક્ષાયોપથમિક ભાવવાળા છીએ, એટલે તે ભાવથી થયેલા પર્યાયો જ આપણને દ્રષ્ટિગોચર થાય છે તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org