SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૨ – ગાથા-૩૪ થી ૩૬ આ રીતે વિચારતાં મુક્તિપ્રાપ્તિના પ્રથમ સમયે દેહનો નાશ થતાં દેહગત આત્માનો પણ દેહધારી તરીકે નાશ જાણવો, તથા આત્માનો દેહધારી તરીકે નાશ થતાં, આત્મગત કેવલજ્ઞાન-કેવલદર્શનનો પણ દેહધારી આત્માના ગુણ તરીકે નાશ થયો જાણવો. આ રીતે સંઘયણ આદિ સાંસારિકભાવોના સંબંધવાળાં કેવલજ્ઞાન અને કેવલદર્શન ભવસ્થ કેવલી પરમાત્મામાં જે છે તેવાં કેવલજ્ઞાન અને કેવલદર્શન નિર્વાણ સમયે વિનાશ પામે છે. તેથી તેમાં વ્યય પણ છે જ, તથા સિધ્યમાનસમયે તેનાથી વિપરીત ભાવવાળાં (એટલે કે સંઘયણ આદિ સાંસારિક સંબંધો વિનાનાં અશરીરી ભાવવાળાં) કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થાય છે. તેથી તેમાં ઉત્પાદ પણ છે જ, આમ કેવલજ્ઞાન તથા કેવલદર્શનમાં ઉત્પાદ-વ્યય પણ છે જ, તથા સાંસારિક ભાવોનો સંબંધ કે તે સાંસારિક ભાવોનો વિયોગ જો કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં ન જોડીએ અને ફક્ત એકલા ક્ષેત્રે પદુર્ગ = કેવલજ્ઞાન અને કેવલદર્શનાત્મક ધર્મમાત્ર લઈએ તો તેવા પ્રકારના ધર્મમાત્રને આશ્રયીને વેવર્ન = આ બન્ને જ્ઞાન-દર્શનને, સુ (૩મનિવસિર્ચ = મvid) ટ્રાફર્ઘ = સૂત્રમાં અપર્યવસિત - અર્થાત્ અનંત એટલે કે ધ્રુવ કહેલાં છે. આમ પણ જાણવું. ભાવાર્થ એ છે કે કેવલજ્ઞાન અને કેવલદર્શન જેમ સાદિ-અનંત હોવાથી ધ્રુવ છે. તેમ તે બન્ને પર્યાયને આશ્રયી ઉત્પાદ વ્યયવાળાં પણ છે અને સાદિ-અનંત હોવાથી ધ્રુવ પણ અવશ્ય છે જ. તેથી ત્રિપદીવાળાં છે તથા જે કારણે ત્રિપદીવાળાં છે તે કારણે સત્ છે. ટીકામાં કહ્યું છે કે સિદ્ધત્વેના શેષવિરામસ્વરૂપે ( પુનઃ પૂર્વવત્પન્ન અપ વત્નज्ञानाख्योऽर्थपर्याय उत्पादविगमध्रौव्यात्मकत्वाद्, वस्तुनः अन्यथा वस्तुत्वहानेः । यत् तु अपर्यवसितत्वं सूत्रे केवलस्य दर्शितं तत् तस्य केवलभावं सत्तामात्रमाश्रित्य कथंचिदात्मव्यतिरिक्तवात् तस्य आत्मनश्च द्रव्यरूपतया नित्यत्वात् । પ્રશ્ન - નિર્વાણ સમયે ઉપર સમજાવ્યા પ્રમાણે ધારો કે કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં ઉત્પાદ-વ્યય થાય છે. એમ માની લઈએ તો પણ આ નિર્વાણ સમય ન આવે ત્યાં સુધી ભવસ્થાવસ્થામાં, તથા નિર્વાણ સમય પછી મુક્તાવસ્થામાં પ્રતિસમયે આવા પ્રકારના દેહગતપર્યાયોના સંબંધનો વિયોગ, કે અદેહગતપર્યાયોનો ઉત્પાદ તો કંઈ છે જ નહીં, કોઈ પણ જાતનું હાનિ વૃદ્ધિ રૂપ પરિવર્તન પણ દેખાતું જ નથી. તો તેવા કાલે કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં ત્રિપદી કેમ ઘટાવશો? આ બન્ને અવસ્થામાં તો આ બન્ને ગુણો એક સરખા (અલ્પ પણ પરિવર્તન વિનાના) રહેતા હોય છે. એવું અમને લાગે છે. તો ત્યાં ત્રિપદી કેવી રીતે લગાડશો ? ઉત્તર - તમારી વાત ઠીક છે. પરંતુ કોઈ પણ એક જીવ જે દેવ-નરક-તિર્યંચ અને મનુષ્ય થાય છે. તે આયુષ્યકર્મના ઉદયથી થાય છે. એટલે તેમાં પરિવર્તન (ઉત્પદ-વ્યય) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy